ગંગાસતી | Gangasati in gujarati | Gujarati sahitya

ગંગાસતી | Gangasati

સોરઠી સંતવાણીનાં કવિયિત્રી : ગંગાસતી

નામગંગાસતી
મૂળ નામગંગાબાઈ કહળસંગ ગોહિલ
ઉપનામસોરઠના મીરાંબાઈ, હીરા બા
માતારૂપાળીબા
જન્મઈ.સ. 1846
જન્મસ્થળરાજપરા (પાલિતાણા), ભાવનગર
ગુરુરામેતવેનજી
શિષ્યપાનબાઈ (પુત્રવધૂ)
અવસાનઈ.સ. 1894
  • ગંગાસતી વાઘેલા રાજપૂતના દીકરી હતાં. ગંગાસતીએ પોતાની પુત્રવધુ અને શિષ્યા “પાનબાઈ” ને સંબોધીને ભજનોની રચના કરી છે.
  • સાત્વિક ભજનની સરવાણી એટલે ગંગાસતી.
  • પતિએ સમાધિ લીધા બાદ ગંગાસતીએ પાનબાઈને ઉદ્દેશીને રોજના એક ભજનની રચના કરી 52 પદોની રચના કરી અને 53મા દિવસે પોતે જીવતા સમાધિ લીધી.
  • તેમના આ ભજનો “સોરઠી સંતવાણી” માં “ગંગાસતીનાં ભજનો” નામથી સંગ્રહાયા છે.
  • સાચાં મોતીઓની માળા જેવાં આ ભજનોમાં ગ્રંથાયેલા વિચારો સાંભળનાર અને સમજનારના દિલને મુગ્ધ કરી મૂકે છે.
  • તેમણે પાનબાઈને સંભળાવેલા ભજનોને ભુધરદાસજીએ શબ્દસ્વરૂપ આપ્યું છે.
  • “મન નો ડગે” પદની રચના ગંગાસતીએ કરેલ છે.

પંક્તિઓ

મેરુ રે ડગે પણ માં મન નો ડગે પાનબાઈ, મરને ભાંગી પડે બ્રહ્માંડ રે
વિપદ પડે પણ વણસે નહીં, ઈ તો હરિજનના ૫૨માણ રે

ભકિત રે કરવી એને રાંક થઈને રહેવું રે
મેલવું અંતરનું અભિમાન રે

પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ
પિયાલો આવ્યો ભકતો કાળનો

વીજળીને ચમકારે મોતીડાં ૫૨ોવો ને પાનબાઈ
અચાનક અંધારા આવશે જી

શીલવંત સાધુને વારેવારે નમીએ
જેના બદલે નહિ વ્રતમાન રે

ધોરણ

ધોરણ : 10શીલવંત સાધુને (ભજન)

અન્ય સાહિત્યકાર

સાહિત્યકારવાંચવા માટે
દયારામઅહી ક્લિક કરો
ભોજા ભગતઅહી ક્લિક કરો
નિરાંત ભગતઅહી ક્લિક કરો
બાપુસાહેબ ગાયકવાડઅહી ક્લિક કરો
ધીરો ભગત (બારોટ)અહી ક્લિક કરો
પ્રીતમઅહી ક્લિક કરો
શામળ ભટ્ટઅહી ક્લિક કરો
પ્રેમાનંદઅહી ક્લિક કરો
અખોઅહી ક્લિક કરો
ભાલણઅહી ક્લિક કરો
મીરાંબાઈઅહી ક્લિક કરો
નરસિંહ મહેતાઅહી ક્લિક કરો
જૈનયુગના સાહિત્યકારઅહી ક્લિક કરો

2 thoughts on “ગંગાસતી | Gangasati in gujarati | Gujarati sahitya”

Leave a Comment

error: Content is protected !!