દલપરામ તરવાડી | Dalpatram tarvadi in gujarati | Gujarati sahitya

દલપરામ તરવાડી | Dalpatram tarvadi

અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રથમ સાહિત્યકાર : દલપતરામ તરવાડી

પૂરું નામદલપતરામ ડાહ્યાભાઈ તરવાડી
જન્મ21 જાન્યુઆરી, 1820
જન્મસ્થળવઢવાણ, સુરેન્દ્રનગર
ગુરુધાર્મિક ગુરૂ : ભૂમાનંદ સ્વામી
સાહિત્યિક ગુરુ : દેવાનંદ સ્વામી
પુત્રન્હાનાલાલ
અવસાન25 માર્ચ, 1898
બિરુદકવીશ્વર, લોકહિત ચિંતક, ગુજરાતી વાણી રાણીના વકીલ (ખંડેરાવ ગાયકવાડ દ્વારા), ગુજરાતી ભાષાના શાણા શિક્ષક, કમ્પેનિયન ઓફ ધ ઈન્ડિયન એમ્પાયર (ઇંગ્લેન્ડની રાણી વિકટોરિયા), રાજકવિ (ભાવનગર તરફથી ), શીઘ્ર કવિ,ગરબી ભટ્ટ(નર્મદ દ્વા૨ા), સમર્થ ઉપકવિ (વિજયરાજ વૈધ દ્વારા), સુધારાનો માળી.
  • દલપતરામે પિતા પાસેથી સાત્વિક સંસ્કાર અને ધાર્મિક વિષયોનું જ્ઞાન મેળવ્યું હતું. તેઓ નાનપણથી જ પદ્યરચના કરવાનો રસ ધરાવતા હતા.
  • તેમણે 14 વર્ષની વયે ભૂમાનંદ સ્વામીથી પ્રભાવિત થઈ સ્વામિનારાયણ ધર્મ અંગીકાર કર્યો હતો. અર્વાચીન ગુજરાતી સાહિત્યનો પ્રારંભ તેમની પ્રથમ કવિતા “બાપાની પીપર”થી થાય છે.
  • સાહિત્યકારની સાથે સાથે એક સમાજસુધારક તરીકે તેમણે ખ્યાતિ મેળવેલ છે.
  • તેમણે ગુજરાતી ભાષામાં મહાવરાનો પ્રયોગ સ૨ળ ભાષામાં કર્યો.
  • દલપતરામે નવું સાહિત્ય સ્વરૂપ હડૂલા (ઉખાણા પ્રકારની રચના) આપ્યું છે જે પ્રાસવાળા જોડણાં તરીકે ઓળખાય છે. જેમ કે…

છાયાં એટલાં છાપરા ને ચાખ્યાં ઘર ;
ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર

  • દલપતરામે દેવાનંદ સ્વામી પાસેથી કાવ્યશાસ્ત્ર, પિંગળ અને વ્રજ ભાષામાં કવિતા રચવાનું શિક્ષણ લીધું અને તેમણે જ્ઞાનચાતુરી અને વ્રજચાતુરીનામના બે ગ્રંથો વ્રજ ભાષામાં રચ્યા.
  • દેવાનંદ સ્વામીએ દલપતરામને અમદાવાદ મોકલ્યા ત્યાં તેમને ભોળાનાથ સારાભાઈએ પિંગળનું જ્ઞાન આપ્યું ત્યારબાદ દલપતરામ અમદાવાદથી વઢવાણ ગયા.

ફાર્બસ-દલપત મિલન

  • દલપતરામ અમદાવાદથી વઢવાણ ગયા તે જ વર્ષે અમદાવાદમાં ફાર્બસ સાહેબની આસિસ્ટન્ટ જજ તરીકે નિમણૂક થઈ ત્યારે ફાર્બસને ગુજરાતી ભાષા શીખવાડે તેવા શિક્ષકની જરૂર હતી. ભોળાનાથ સારાભાઈએ દલપતરામની ભલામણ કરી અને દલપતરામને વઢવાણથી અમદાવાદ બોલાવ્યા.
  • દલપતરામ ફાર્બસ સાહેબને ભદ્રના કિલ્લામાં મળવા ગયા. ફાર્બસે કવિનું પ્રેમથી સન્માન કર્યું અને કહ્યું : “ભોળાનાથભાઈ કહે છે, તમે કવિતા સારી કરો છો.. કાંઈક સંભળાવશો ?” દલપતરામે તરત જ નારદના ટીખળની વાત કહી અને ફાર્બસને રીઝવ્યા. પછી ફાર્બસે કવિને ઓળખવા માટે તૈયાર કરેલી પ્રશ્નાવલી પૂછી. દલપતરામે એવા સરસ જવાબ આપ્યા કે ફાર્બસે પ્રસન્ન થઈને એ જ વખતે તેમને “કવીશ્વર” (પાછળથી લોકો દ્વારા આ બિરુદ વધાવી લેવામાં આવ્યું)નું બિરુદ આપ્યું અને તેમને માસિક 20 રૂપિયાના પગારથી નોકરી પર રાખ્યા.

  • ફાર્બસની પ્રે૨ણાથી દલપતરામે વ્રજ ભાષા છોડીને ગુજરાતીમાં લખવાનું શરૂ કર્યું. દલપતરામે ફાર્બસને “રાસમાળા” તૈયાર કરવામાં સક્રિય મદદ કરી હતી. દલપતરામની સહાયથી, ફાર્બસે 1848ની 26મી ડિસેમ્બરે “ગુજરાત વર્નાક્યુલર સોસાયટી” (હાલ ગુજરાત વિદ્યાસભા) ની સ્થાપના કરી હતી. આ સંસ્થા દ્વારા વર્ષ 1849માં સૌપ્રથમ વરતમાન નામે સાપ્તાહિકની શરૂઆત કરી હતી. વર્ષ 1850માં બુદ્ધિપ્રકાની શરૂઆત કરી હતી, જે હાલમાં માસિક સ્વરૂપે પ્રગટ થાય છે.
  • ફાર્બસ સાહેબની સહાયક ન્યાયાધીશ તરીકે સુરતમાં બદલી થતાં તેમણે દલપતરામને સુરત બોલાવ્યા. દલપતરામે સુરતની જનતાને ઐતિહાસિક ભાષણ આપી લોકો પાસેથી પૈસા એકઠા કરી સુરતમાં સૌપ્રથમ 1850માં એન્ડ્રુઝ લાઈબ્રેરીની સ્થાપના કરી. જે ગુજરાતની પ્રથમ લાઈબ્રેરી ગણાય છે.
  • અમદાવાદની હરકુંવર શેઠાણી પાસેથી મોટી દાન રાશિ મેળવી વર્ષ 1850માં સૌપ્રથમ કન્યાશાળાની શરૂઆત કરાવી, જેનું નામ મગનલાલ વખતચંદ હતું. આમ, ફાર્બસે ગુજરાતમાં જેટલા સુધા૨ા ક૨વાના દલપતરામને કહ્યા તે બધા સુધા૨ાઓ તેમણે પાર પાડ્યા એટલે આ યુગ દલપતયુગ કહેવાયો.

દલપતરામ “કમ્પેનિયન ઓફ ઈન્ડીયન એમ્પાયર”ના ખિતાબથી સન્માનિત

  • વર્ષ 1854માં ફાબર્સ સ્વદેશ ગયા ત્યારે દલપતરામને સાદરામાં મહેસૂલી ખાતામાં ગોઠવતા ગયા. વખત જતાં દલપતરામ મામલતદાર સુધી પહોંચે એવી આ નોકરી હતી. પણ તેમને માટે સરકારી નોકરી નિર્મિત નહોતી. વર્ષ 1855માં ગુજરાત વર્નાકયુલ૨ સોસાયટીનો કાર્યભાર ધીમો પડતા તેના મંત્રી મિ. કર્ટિસે દલપતરામને સરકારી નોકરી છોડીને સોસાયટીમાં જોડાવવા કહેણ મોકલ્યું. પહેલા તો તેમણે ના પાડી, પણ મિત્ર ફાર્બસના કહેવાથી દલપતરામે સોસાયટીનું મંત્રીપદ લીધું અને “બુદ્ધિપ્રકાશ” માસિકનું તંત્રીપદ ગ્રહણ કરી ગુજરાતી સાહિત્યની અમૂલ્ય સેવા બજાવી. તેમની સેવાની કદરરૂપે અંગ્રેજ સરકારે તેમને “કમ્પેનિયન ઓફ ઈન્ડિયન એમ્પાયર“ના ખિતાબથી સન્માનિત કર્યા.

દલપતરામ : ગુજરાતી વાણી રાણીના વકીલ

  • દલપતરામ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (હવે ગુજરાત વિદ્યાસભા)ના વિદ્યાવૃદ્ધિના કાર્ય અંગે ભંડોળ એકઠું ક૨વા ધનિકો અને રાજાઓને મળવા લાગ્યા. કવિતા વડે તેમનું મનોરંજન ક૨ીને તેમણે પરમાર્થ કાજે શ્રીમંતો પાસેથી સારી રકમ એકઠી કરી.એ સમયે મહારાજા ખંડેરાવ ગાયકવાડના દરબારમાં જઈને દલપતરામે કાવ્યભાષણ આપ્યું.

આ પ્રસંગે ખંડેરાવ પ્રશ્ન પૂછે છે,

સુણીને ભૂપે પૂછિયું, ધરી પ્રેમ ભરપૂર,
કોણ તમે છો ને વળી શી ઈચ્છા છે ઉર ?

દલપતરામ જવાબ આપે છે,

ગિરા ગુજરાતી તથા પિયરની ગાદી પામી
મુખ્ય તો મરાઠી માની દેખી દુઃખી દિલ છું.
અરજી તો આપી, દીઠી મરી તથાપિ નહિ
આવ્યો આપ આગળ ઉચ્ચરવા અપીલ છું.
માંડતા મુકદમાને ચાર જણા ચુંથશે તો
શું થશે તે શોચનાથી, સાહેબ, શિથિલ છું.
દાખે દલપતરામ, ખુદાવંશ ખંડેરાવ,
રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું.

  • આમ, ભાષણ આપતાં પૂર્વે દલપતરામે પોતાની ઓળખ “રૂડી ગુજરાતી વાણી, રાણીના વકીલ” તરીકે મહારાજા ખંડેરાવ ગાયકવાડના દરબારમાં પોતાની ઓળખ આપી હતી. એમનું ભાષણ સાંભળીને મહારાજા ખંડેરાવ ગાયકવાડ પ્રસન્ન થાય છે. દલપતરામ મહારાજને સ્નેહભર્યા ઉપાલંભ આપીને કહે છે કે “ગુજરાત રાજ્યમાં તો ગુજરાતી ભાષાનું ચલણ હોવું જોઈએ” તેમજ એ માટે તેઓ મહારાજને કેટલાંક સૂચનો કરે છે. તેથી મહારાજા ખંડેરાવ ગુજરાતી ભાષાના ઉત્કર્ષ માટે નિશાળો તથા પુસ્તકાલયો સ્થાપવાનો નિર્ધાર કરે છે. આમ, દલપતરામના પ્રયાસોથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થિતિ થોડા સમયમાં સધ્ધર થઈ જાય છે.

  • દલપતરામે ગુજરાતી ભાષાની પ્રથમ વાચનમાળા હોપ વાચનમાળા (વર્ષ 1858) તૈયાર કરવાનું ભગીરથ કાર્ય કર્યું.
  • દલપતરામે અમદાવાદના શેઠ હીમાભાઈ પાસેથી 3000નું દાન મેળવી હીમાભાઈ ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી. જે હાલમાં નેટિવ લાઈબ્રેરી તરીકે ઓળખાય છે.
  • દલપતરામે ફાર્બસ સાહેબના મૃત્યુથી થયેલા શોકની અંગત ઊર્મિને પ્રગટ કરતું ગુજરાતી ભાષાનું પ્રથમ કરુણપ્રશસ્તિ કાવ્ય ફાર્બસ વિરહની રચના કરી.
  • દલપતરામની અનેરી સિદ્ધિ તેમની હાસ્યવૃત્તિ છે, જેમ કે સાંબેલું વગાડે, અંધેરી નગરી ગંડુ રાજા, મિથ્યાભિમાન વગેરે.
  • ગુજરાતી કવિતામાં પ્રથમ વખત છંદ-માત્રા મેળ કરવાનું શ્રેય દલપતરામને ફાળે જાય છે.
  • દલપતરામની સમગ્ર કવિતા “દલપત ગ્રંથાવલિ” ત્રણ ભાગમાં સંગ્રહિત થઈ છે.
  • કવિ દલપતરામે નર્મદને અનુસરીનેસ્થાનવર્ણન અને ઋતુવર્ણનના કાવ્યો રચ્યાં છે.
  • દલપતરામે શામળભટ્ટની વાર્તા વાંચી તે જ શૈલીમાંહીરાદન્તીઅને કમળલોચની જેવી પદ્યવાર્તાઓની રચના કરી હતી.
  • દલપતરામના પુત્ર કવિ ન્હાનાલાલ એ પંડિતયુગના સાહિત્યકાર હતા આ ઉપરાંત તેમની પ્રથમ પત્ની મૂળીબાના પુત્ર મોહનલાલે પણ થોડું ઘણુ સાહિત્ય લખેલું હતું. મોહનલાલની માતા એટલે કે મૂળીબાનો દલપતરામે અસ્વીકાર કર્યો તે એકલા અંજાર ખાતે રહેવા લાગ્યાં. મોહનલાલ એ ન્યાયાધીશ હતા અને પિતા સાથે આજીવન અબોલા રાખ્યાં. તેમનો “મોહનલાલ દોહન” કાવ્યમાં પિતા પ્રત્યેનો રોષ ઉત્પન્ન થાય છે.
  • વર્ધમાન વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષે કવીશ્વર દલપતરામ એવોર્ડ એનાયત કરવામાં આવે છે.
  • દલપતરામે “મિથ્યાભિમાન” નાટકને ભૂંગળ વિનાની ભવાઈ કહીને સંબોધ્યું છે.

સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ

નાટકલક્ષ્મી (ગ્રીક નાટ્યકાર એરિસ્ટોફેનિસના “પ્લુટસ”નો અનુવાદ છે), મિથ્યાભિમાન (પાત્રો : જીવરામ ભટ્ટ, રઘુનાથ ભટ્ટ, સોમનાથ અને દેવબાઈ), વિશ્વગીતા
નિબંધભૂતનિબંધ (અંગ્રેજીમાં રૂપાંતર ફાર્બસ સાહેબે કર્યું), જ્ઞાતિનિબંધ, બાલવિવાહ નિબંધ, પુનર્વિવાહ પ્રબંધ, શહેરસુધરાઈનો નિબંધ
કાવ્યોદલપતકાવ્ય (ભાગ 1 અને 2) બાપાની પીપર, ફાર્બસ વિરહ, દલપતપિંગળ, કાવ્યદોહન (ભાગ-1 અને 2), વેન ચરિત્ર (વિધવા વિવાહના પ્રશ્નોનું નિરૂપણ છે), અટચાળો જીવો, શરણાઈવાળો અને શેઠ, પિતાની સેવા (ઊર્મિકાવ્ય), સંપલક્ષ્મી સંવાદ, સ્થાન વર્ણન અને ઋતુવર્ણન

દલપતરામની કૃતિઓની વિશેષતાઓ

  • સૌપ્રથમ ગુજરાતી કવિતા : બાપાની પીપર
  • સૌપ્રથમ ગુજરાતી વાર્તાસંગ્રહ : તાર્કિક બોધ
  • સૌપ્રથમ ગુજરાતી કાવ્યસંગ્રહ : કાવ્યદોહન
  • સૌપ્રથમ સમાજશાસ્ત્રીય નિબંધ : જ્ઞાતિનિબંધ
  • દલપતરામનું શ્રેષ્ઠ નાટક : મિથ્યાભિમાન
  • સૌ પ્રથમ અનુવાદિત ગુજરાતી નાટક : લક્ષ્મી
  • સૌપ્રથમ ગુજરાતી કરૂણપ્રશસ્તિ : ફાર્બસ વિરહ (અંગ્રેજ કવિ ટેનીસનની “ઈન મેમોરિયમ” નામની કૃતિને આધારે)
  • ઉત્તમ ગુજરાતી કાવ્ય રચના : ઊંટ કહે (કાવ્ય)
  • અર્વાચીન ગુજરાતીનું સૌપ્રથમ દેશભકિત કાવ્ય : હુન્નરખાનની ચડાઈ
  • છંદશાસ્ત્રમાં પ્રકાશિત થયેલ દલપતરામનું પુસ્તક : દલપતપિંગળ
  • દલપતરામનું શ્રેષ્ઠ પાત્ર : જીવરામ ભટ્ટ (મિથ્યાભિમાન)

પંક્તિઓ

ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ,
ગુણ તા૨ા નિત ગાઈએ, થાય અમા૨ા કામ

પીપળ પાન ખરતાં, હસતી કુંપળિયા;
મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયા.

દીવા નથી દ૨બા૨માં છે અંધારું ઘો૨

સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે

ઊંટ કહે આ સભામાં, વાંકા અંગવાળા ભૂંડા;
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે…
સાંભળી શિયાળ બોલ્યુ, દાખે દલપતરામ
અન્યનું તો એક વાંકુ આપનાં અઢાર છે

અંધે૨ી નગરી ને ગંડુ રાજા,
ટકે શે૨ ભાજી ને ટકે શેર ખાજા

દેખ બિચારી બકરીનો પણ કોઈ ન જાતા પકડે કાન
એ ઉપકાર ગણી ઈશ્વ૨નો હ૨ખ હવે તું હિન્દુસ્તાન

આવ ગી૨ા ગુજરાતી, તને અતિ શોભિત હું શણગાર સજાવું,
જાણની પાસ વખાણ ક૨ાવવું ગુણી જનમાં તુજ કીર્તિ ગજાવું

લાંબા જોડે ટૂંકો જાય, મરે નહિ તો માંદો થાય,
તે માટે તક જોઈ તમામ, શકિત વિચા૨ી ક૨ીએ કામ

હતો હું સૂતો પા૨ણે પુત્ર નાનો, ૨ડું છેક તો રાખતું કોણ છાનો
મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું, મહા હેતવાળી દયાળી જ મા તું

તોપમાં તો ગોળો જોઈએ, બંદૂકમાં હોય ગોળી,
ભોજો ભગત તો એમ ભણે, જેમ ફાગણ મહિને હોળી

ભણતા પંડિત નીપજે, લખતાં લહિયો થાય,
ચાર ચાર ગાઉ ચાલતાં, લાંબો પંથ કપાય

રૂડો, જુઓ આ ઋતુ૨ાજ આવ્યો,
મુકામ તેણે વનમાં જમાવ્યો

મરતા સુધી મીટે નહીં, પડી ટેવ પ્રખ્યાત,
ફાટે પણ ફીટે નહીં, પડી પટોળે ભાત

અક્કલ ઉધારે ના મળે, હેત ન કાટ વેચાય,
રૂપ ઉછીનું ના મળે, પ્રીત ૫૨ાણે ન થાય

પોલુ છે તે બોલ્યું તેમાં ક૨ી તે શી કારીગરી ?
સાંબેલુ બજાવે તો હું જાણું કે તું શાણો છે.

ધોરણ

ધોરણ : 7 (સેમેસ્ટર-2)જીવરામ ભટ્ટ (નાટક)
ધોરણ : 11 (દ્વિતીય ભાષા)પિતાની સેવા (ઊર્મિકાવ્ય)
ધોરણ : 12 (દ્વિતીય ભાષા)સ્વદેશી પ્રીતિ (ઊર્મિકાવ્ય)

2 thoughts on “દલપરામ તરવાડી | Dalpatram tarvadi in gujarati | Gujarati sahitya”

Leave a Comment

error: Content is protected !!