નિરાંત ભગત | Nirant bhagat in gujarati | Gujarati sahitya

નિરાંત ભગત | Nirant bhagat

નામનિરાંત ભગત / કવિ નિરાંત / નિરાંત મહારાજ
પિતાઉમેદસિંહ
માતામહૈતાબા
પત્નીકુંવરબાઈ અને સીતાબા
જન્મઈ.સ. 1770-71
જન્મસ્થળદેથાણ ગામ, કરજણ, વડોદરા
અવસાનઈ.સ. 1852
  • કવિ નિરાંતને પ્રીતમ પછીનાં બીજા જ્ઞાનમાર્ગી કવિ માનવામાં આવે છે.
  • તેમણે ગોકળદાસ નામના રામાનંદી સાધુ પાસેથી ઉપદેશ મેળવ્યો હતો.
  • તેમણે દંડીસ્વામીના ગુરુ બનાવ્યા હતા. દંડીસ્વામીના ઉપદેશ બાદ તેઓ નિર્ગુણ ભકિત તરફ દોરાયા.
  • તેઓ દર પૂનમે હાથમાં તુલસીનો છોડ લઈને ડાકોર જતા તેવી માન્યતા છે.
  • પોતે ક્યારેય સંપ્રદાય સ્થાપવા ઈચ્છતા ન હતા, પરંતુ એમના અવસાન પછી એમના શિષ્યોએ જ્ઞાનીગાદીઓ સ્થાપીને “નિરાંત સંપ્રદાય” ચલાવ્યો છે. બાપુસાહેબ ગાયકવાક પણ તેમના શિષ્ય હતા.
  • વડોદરામાં આવેલા “નિરાંત મંદિર” દ્વારા તેમની રચનાઓ “શ્રી નિરાંતકાવ્ય” શીર્ષકથી બહાર પાડવામાં આવી છે અને આ સંપ્રદાય દ્વારા સમયાંતરે “નિરાંત સંત સંમેલન” શીર્ષક થી સત્સંગ, ભજન અને સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.

સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ

ભક્તિ અને વૈરાગ્યનાં પદો, કુંડલિયા, ધોળ-છપ્પા, કાફીઓ, તિથિઓસાતવાર-બારમાસ, મહિનાઓ, જ્ઞાનોપદેશનાં ભજનો, દશાવતાર ખંડન, પુરુષપ્રકૃતિ, સાખીઓ, સરવડાં, ગુરુસંબંધી સાખીઓ, જ્ઞાનભકિત પદ, આત્મબોધ, સવૈયા
દીર્ઘ કૃતિઓયોગસાંખ્ય દર્શનો સલોકો, અવતા૨ખંડન

પંક્તિઓ

રામ ભજો ને રામ ભજો.

ભણીને તું થયો રે ભિખારી

મહામંત્ર છે મોટો રે ના૨ાયણ તણો.

રામનાથ ભજ ભાવ ધરીને, મૂકી મન બડાઈ રે.

સાચું સગપણ શામળિયાનું.

હરતાં ફરતાં ધંધો કરતાં ઘ્યાન હરિનું ધ૨વું

નામ વિના કોઈ નવ તરે ભવસાગરની માંહ્ય

અન્ય સાહિત્યકાર

સાહિત્યકારવાંચવા માટે
બાપુસાહેબ ગાયકવાડઅહી ક્લિક કરો
ધીરો ભગત (બારોટ)અહી ક્લિક કરો
પ્રીતમઅહી ક્લિક કરો
શામળ ભટ્ટઅહી ક્લિક કરો
પ્રેમાનંદઅહી ક્લિક કરો
અખોઅહી ક્લિક કરો
ભાલણઅહી ક્લિક કરો
મીરાંબાઈઅહી ક્લિક કરો
નરસિંહ મહેતાઅહી ક્લિક કરો
જૈનયુગના સાહિત્યકારઅહી ક્લિક કરો

1 thought on “નિરાંત ભગત | Nirant bhagat in gujarati | Gujarati sahitya”

Leave a Comment

error: Content is protected !!