સ્તૂપ | Stupa full detail in gujarati

સ્તૂપ

તે બૌદ્ધધર્મથી પ્રેરિત એક અર્ધગોળાકાર સ્થાપત્ય છે. બુદ્ધ અને તેમના શિષ્યોના અવશેષો (જેમ કે વાળ, નખ, રાખ, અસ્થિ) તથા બૌદ્ધ ધર્મ સંબંધિત વસ્તુઓને કળશમાં મૂકીને તેના પર બનાવવામાં આવાતા અર્ધગોળાકાર સ્થાપત્યને સ્તૂપ કહે છે. બૌદ્ધ ધર્મના ઉદ્ભવ પહેલાં પણ “સ્તૂપ” સ્થાપત્ય અસ્તિત્વમાં હતું. વૈદિકયુગમાં પણ સ્તૂપ જેવી સ્થાપત્યચનાઓ અસ્તિત્વમાં હતી. એવા પ્રમાણ અનેક ગ્રંથોમાંથી મળી આવે છે, પરંતુ અશોકના સમયમાં “સ્તૂપ” સ્થાપત્યકળા તેના ચરમોત્કર્ષ પર પહોંચી.

સ્તૂપ સ્થાપત્યના અંગો

સ્તૂપ

મેધી

  • સ્તૂપને એક “ચબૂતરા” (મેધી) જેવી ઊંચાઈ પર બનાવવામાં આવતો. તે એક ઢગલા જેવી રચના હોય છે. જે અર્ધગોળાકાર અથવા ઊંધી વાટકી જેવું દેખાય છે.

હર્મિકા

  • સ્તૂપના ટોચના ભાગે “હર્મિકા” નામની રચના હોય છે, જે સ્તૂપનું સૌથી પવિત્ર સ્થાન હોય છે. જેમાં બુદ્ધ અથવા તેમના કોઈ શિષ્યના અવશેષ રાખવામાં આવે છે.

છત્ર

  • હર્મિકાના ઉપર “છત્ર” લગાવવામાં આવે છે. જેની સંખ્યા અલગ-અલગ હોય છે.

વેદિકા

  • સ્તૂપસ્થળને અન્ય સ્થળથી અલગ કરવા માટે તેની ચારે તરફ એક રેલીંગ બનાવવામાં આવે છે, જેને “વેદિકા” કહે છે.

પ્રદક્ષિણાપથ

  • સ્તૂપ અને વેદિકા વચ્ચે પરિક્રમા કરવા માટે એક ખાલી સ્થાન હોય છે, જેને “પ્રદક્ષિણાપથ” કહે છે.
  • સ્તૂપ ઈંટો કે પથ્થરોમાંથી બનાવવામાં આવે છે તથા તેના બાહ્ય ભાગને પ્લાસ્ટરથી ઢાંકવામાં આવે છે.

તોરણ

  • આ આખી સંરચના એક “તોરણ” કે પ્રવેશદ્વાર જેવી રચનાથી ઘેરાયેલી હોય છે.

મહત્ત્વપૂર્ણ સ્તૂપો

સાંચીનો સ્તૂપ

  • અશોકના સમયમાં મધ્ય પ્રદેશમાં વિદિશા નજીક આ સ્તૂપનું નિર્માણ કરાયું હતું.
  • તેના નિર્માણમાં લાકડુ અને પથ્થર બંનેનો ઉપયોગ થયો છે.
  • આ સ્તૂપની સુંદરતા વધારવા માટે ચારે દિશામાં આવેલા પ્રવેશદ્વારો પર બુદ્ધના જીવન અને જાતકકથાઓ સંબંધિત ઘટનાઓના દૃશ્યો ઉત્કિર્ણ છે.
  • અહીં બુદ્ધના શિષ્ય સારીપુત્રના અવશેષ રખાયા હોવાનું મનાય છે.
  • તે મૌર્યકાલીન સ્થાપત્યકળાનો સમૃદ્ધ વારસો છે.

અમરાવતીનો સ્તૂપ

  • આંધ્ર પ્રદેશના કૃષ્ણા નદીના તટ પર આવેલ અમરાવતી ખાતે સાતવાહનવંશના શાસકોએ આ સ્તૂપનું નિર્માણ કરાવ્યું હતું.
  • આ સ્તૂપની વેદિકાના નિર્માણમાં સંગેમરમરનો ઉપયોગ કરાયો હતો.
  • સ્તૂપ બૌદ્ધ ધર્મના હિનયાન પંથથી સંબંધિત છે.
  • અમરાવતીનો સ્તૂપ ખૂબ જ અલંકૃત છે તથા સ્તૂપની દીવાલો પર બુદ્ધના જીવન સંબંધિત વાર્તાઓ અને તેમના ઉપદેશોનું કોતરણીકામ કરાયું છે.

નાગાર્જુનકોંડા સ્તૂપ

  • દખ્ખણ (વર્તમાન આંધ્ર પ્રદેશ) ના સાતવાહનવંશના શાસકોએ બૌદ્ધ ધર્મને સંરક્ષણ આપ્યું હતું તથા ઘણા સ્તૂપોનું નિર્માણ કર્યું, જેમાં સૌથી પ્રસિદ્ધ નાગાર્જુનકોડાનો સ્તૂપ છે.
  • નાગાર્જુનકોડા ના સ્તૂપની વિશેષતા : આ સ્તૂપ પાંચ સ્વતંત્ર સ્તંભ ધરાવે છે, જે બુદ્ધના જીવન, મૃત્યુ, જન્મ, ત્યાગ, જ્ઞાન, પ્રથમ ધર્મોપદેશ તથા મહાપરિનિર્વાણ જેવી મહત્ત્વની ઘટનાઓને દર્શાવે છે.
  • આ સ્તંભોનું નિર્માણ પથ્થર અને ઈંટો એમ બંને સામગ્રીથી થયું છે.

ચૌખંડી સ્તૂપ

  • તે સારનાથ (વારાણસી, UP)માં આવેલ એક પ્રાચીન બૌદ્ધ સ્તૂપ છે. આ સ્તૂપ ઈટોથી નિર્મિત એક ઉત્કૃષ્ટ સંરચના છે તથા તેની ટોચ પર એક અષ્ટભુજાકાર મીનાર આવેલો છે.
  • સ્તૂપનું નિર્માણ મૌર્ય સમ્રાટ અશોકના સમયમાં થયું હોવાનું મનાય છે.
  • તેની ટોચ પર રહેલ અષ્ટભુજાકાર મીનારની રચના મુલકાળમાં કરાઈ હતી. મુઘલ રાજા હુમાયુએ ઈ.સ. 1988માં આ સ્થળની મુલાકાત લીધી હતી, જેની સ્મૃતિમાં આ મીનારની રચના કરાઈ હતી.
  • તાજેતરમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ADI)એ આ સ્તૂપને રાષ્ટ્રીય મહત્ત્વના સંરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરેલ છે.

ભરહુતનો સ્તૂપ

  • મૌર્યકાળ બાદ સત્તા પર આવેલા શૃંગવંશના શાસકોએ મધ્ય પ્રદેશની સતનામાં આ રૂપનું નિર્માણ કરાવ્યું હતું.
  • તેમાં લાલ રેતીના પથ્થરોનો ઉપયોગ થયો હતો જેના પર પોલિશ કરાઈ છે.
  • સ્તૂપની રેલિંગ પથ્થરોની છે, જેના પર જટિલ કોતરણીકામ કરાયેલું છે. રેલિંગ પર કમળ, યક્ષની પ્રતિમા, લક્ષ્મી, હાથી, હરણ, મોરની ડિઝાઈન છે.
  • ભરહુતના સ્તૂપના તોરણો અને વેદિકાઓ પર દાન સંબંધિત અભિલેખ ઉત્કિર્ણ છે.
  • નોંધ : શૃંગવંશ દરમિયાન બ્રાહ્મણ ધર્મ પ્રમુખ હતો તથા શૃંગ શાસકોએ અનેક બૌદ્ધ સ્તૂપ, વિહારોનો નાશ કર્યો હતો. તેમ છતાં તેમણે અનેક બૌદ્ધ સ્તૂપોનું નિર્માણ અને જીર્ણોદ્ધાર પણ કરાવ્યો હતો. મૌર્યકાળમાં સ્તૂપની ફરતે રેલિંગ જોવા મળતી નથી જ્યારે શૃંગ શાસનમાં સ્તૂપની ફરતે રેલિંગનું નિર્માણ થયેલું છે.

ધમેખનો સ્તૂપ

  • તે ઉત્તર પ્રદેશના વારાણસી નજીક સારનાથમાં આવેલો સૌથી પ્રાચીન બૌદ્ધ સ્તૂપ છે.
  • આ સ્તૂપના નિર્માણની શરૂઆત સમ્રાટ અશોકના સમયમાં થઈ હતી. જ્યારે કુષાણકાળમાં તેનો વિસ્તાર થયો અને તેને અંતિમ સ્વરૂપ ગુપ્તકાળમાં અપાયું.
  • આ સ્તૂપ લાલ ઈંટો અને પથ્થરોથી નિર્મિત છે.
  • ભગવાન બુદ્ધે બોધગયામાં આત્મજ્ઞાન બાદ સારનાથમાં જ સૌપ્રથમ પોતાના પાંચ શિષ્યોને ઉપદેશ આપ્યો હતા.

ધર્મરાજિકા સ્તૂપ

  • સારનાથમાં આવેલ આ સ્તૂપનું નિર્માણ અશોકના સમયમાં થયું હતું, જ્યારે તેનો પુનરુદ્ધાર કુષાણવંશના રાજા કનિષ્કના સમયમાં કરાયો હતો.

કેસરિયા સ્તૂપ

  • તે બિહારના પૂર્વ ચંપારણ જિલ્લામાં આવેલ છે.

પિપરહવા સ્તૂપ

  • ઉત્તર પ્રદેશમાં આવેલો આ સ્તુપ સૌથી પ્રાચીન છે.

જાણવા જેવું

  • ભગવાન બુદ્ધના મૃત્યુ બાદ 9 સ્થળોએ સ્તૂપ બનાવાયા હતા :
    1. રાજગૃહ
    2. કપિલવસ્તુ
    3. પાવાપુરી
    4. વૈશાલી
    5. અલકપ્પ
    6. કુશીનારા
    7. રામગ્રામ
    8. વેથપીડા
    9. પીપલીવન
  • ₹ 200ની નવી નોટ પર સાંચીના સ્તૂપનું ચિત્ર અંકિત છે.
200 રૂપિયાની નવી નોટ અને સાંચીનો સ્તૂપ

Leave a Comment

error: Content is protected !!