Current affairs Question : 01
દેશની સૌથી લાંબી ક્રુઝ સેવા ક્યાંથી ક્યાં સુધી શરૂ થશે ?
વારાણસી થી બોગીબીલ
લખનૌ થી કાનપુર
કાનપુર થી વારાણસી
વારાણસી થી પટના
જવાબ : વારાણસી થી બોગીબીલ
સમજૂતી :
- કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ઉત્તર પ્રદેશ અને આસામ વચ્ચે પ્રવાસન અને શિપિંગને પ્રોત્સાહન આપવાની યોજના વિશે માહિતી આપી.
- મંત્રી સોનોવાલે કહ્યું કે ઉત્તર પ્રદેશના વારાણસી અને આસામના બોગીબીલ વચ્ચે દેશની સૌથી લાંબી ક્રૂઝ સેવા 2023થી શરૂ થશે. તેમણે કહ્યું કે તે દેશની સૌથી લાંબી નદી ક્રુઝ સેવા હશે જે ગંગા, ઈન્ડો બાંગ્લાદેશ પ્રોટોકોલ રૂટ અને બ્રહ્મપુત્રા થઈને 4,000 કિલોમીટરથી વધુનું અંતર કાપશે.

Current affairs Question : 02
કયા દેશની ખેલાડી લિન્ડા ફ્રુહવિર્ટોવાએ ચેન્નાઈ ઓપન 2022નો ખિતાબ જીત્યો છે ?
ઓસ્ટ્રેલિયા
ચેક રિપબ્લિક
જાપાન
બાંગ્લાદેશ
જવાબ : ચેક રિપબ્લિક
સમજૂતી :
- ચેક રિપબ્લિકની 17 વર્ષની લિન્ડા ફ્રુહવિર્ટોવાએ રવિવારે ફાઈનલમાં ત્રીજા ક્રમાંકિત પોલેન્ડની મેગ્ડા લિનેટને હરાવીને ચેન્નાઈ ઓપન 2022 WTA 250 ટેનિસ ટાઈટલ જીત્યું.

Current affairs Question : 03
કઈ રાજ્ય સરકારે “દૌલતાબાદ કિલ્લા” નું નામ બદલીને “દેવગીરી કિલ્લો” કરવાની જાહેરાત કરી છે ?
તમિલનાડુ
કર્ણાટક
કેરળ
મહારાષ્ટ્ર
જવાબ : મહારાષ્ટ્ર
સમજૂતી :
- તાજેતરમાં મહારાષ્ટ્રના પ્રવાસન મંત્રાલયે ઔરંગાબાદ શહેરની નજીક આવેલા દૌલતાબાદ કિલ્લાનું નામ બદલીને દેવગીરી કરવાનો નિર્ણય લીધો છે.
- તે ભારતનું રાષ્ટ્રીય ધરોહર સ્મારક છે જેની જાળવણી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા કરવામાં આવે છે.
- આ પહેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર કરી દીધું હતું.

Current affairs Question : 04
કયા કેન્દ્રીય મંત્રીએ ચામડાના ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસ માટે “સ્કેલ” એપ લોન્ચ કરી છે ?
નિર્મલા સીતારમણ
સુબ્રમણ્યમ જયશંકર
ધર્મેન્દ્ર પ્રધાન
નરેન્દ્ર સિંહ તોમર
જવાબ : ધર્મેન્દ્ર પ્રધાન
સમજૂતી :
- કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સેન્ટ્રલ લેધર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ચેન્નાઈની મુલાકાત દરમિયાન “SCALE” (સ્કિલ સર્ટિફિકેશન એસેસમેન્ટ ફોર લેધર એમ્પ્લોયમેન્ટ) એપ લોન્ચ કરી.

Current affairs Question : 05
તાજેતરમાં કયા વરિષ્ઠ RSS પ્રચારકનું નિધન થયું છે ?
કેશવ રાવ દત્તાત્રેય દીક્ષિત
દીન દયાલ ઉપાધ્યાય
કેશુભાઈ પટેલ
ગોપીનાથ મુંડે
જવાબ : કેશવ રાવ દત્તાત્રેય દીક્ષિત
સમજૂતી :
- કેશવ દત્તાત્રેય, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના પીઢ સ્વયંસેવક અને એક વરિષ્ઠ પ્રચારક જેમણે પોતાનું સમગ્ર જીવન સંઘને સમર્પિત કર્યું, તેમનું અવસાન થયું.
- 98 વર્ષીય કેશવજીએ કોલકાતાની એપોલો હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

Current affairs Question : 06
ભારતના કોસ્ટ ગાર્ડ્સ અને કયા દેશે દરિયાઈ સંબંધો માટે સંયુક્ત તાલીમ કવાયત હાથ ધરી છે ?
અમેરિકા
ઓસ્ટ્રેલિયા
જાપાન
રશિયા
જવાબ : અમેરિકા
સમજૂતી :
- ભારતના કોસ્ટ ગાર્ડ અને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાએ ચેન્નાઈ કિનારે એક મેગા સંયુક્ત કવાયત હાથ ધરી હતી.
- યુનાઈટેડ સ્ટેટ્સ કોસ્ટ ગાર્ડ (યુએસસીજી) ની ચાર દિવસીય મુલાકાત મંગળવારે સમાપ્ત થઈ. મુલાકાત દરમિયાન, USCG જહાજ અને ભારતીય કોસ્ટ ગાર્ડે શોધ અને બચાવ કામગીરી પર શ્રેષ્ઠ પ્રેક્ટિસની આપ-લે કરી હતી.

Current affairs Question : 07
કયા રાજ્યના જેલ વિભાગે મોબાઈલ એટેન્ડન્સ એપ્લિકેશન શરૂ કરી છે ?
મણિપુર
નાગાલેન્ડ
તમિલનાડુ
આસામ
જવાબ : નાગાલેન્ડ
સમજૂતી :
- નાગાલેન્ડ જેલ વિભાગે સોમવારે કોહિમાની જિલ્લા જેલમાં સ્ટાફની હાજરી પર દેખરેખ રાખવા અને તેનું નિરીક્ષણ કરવા માટે જેલ સ્ટાફ એટેન્ડન્સ એપ્લિકેશન શરૂ કરી.
- જેલ, પ્રિન્ટીંગ અને સ્ટેશનરીના સલાહકાર એચ હેઇંગ દ્વારા આ એપ્લિકેશન સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવી હતી.

Current affairs Question : 08
એલ્વિસ અલી હઝારિકા નોર્થ ચેનલ પાર કરનાર પૂર્વોત્તરમાંથી પ્રથમ તરવૈયા બન્યા, તેઓ કયા રાજ્યના છે ?
અરુણાચલ પ્રદેશ
ત્રિપુરા
મેઘાલય
આસામ
જવાબ : આસામ
સમજૂતી :
- આસામના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય તરવૈયા, એલ્વિસ અલી હઝારિકાએ ઉત્તર-પૂર્વ ઉત્તરી આયર્લૅન્ડ અને દક્ષિણ-પશ્ચિમ સ્કોટલેન્ડ વચ્ચેની સ્ટ્રેટ, નોર્થ ચેનલને પાર કરનાર ઈશાન ભારતમાંથી પ્રથમ અને સૌથી વૃદ્ધ ભારતીય બનવાની સિદ્ધિ હાંસલ કરી છે.

Current affairs Question : 09
આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?
20 સપ્ટેમ્બર
21 સપ્ટેમ્બર
22 સપ્ટેમ્બર
23 સપ્ટેમ્બર
જવાબ : 23 સપ્ટેમ્બર
સમજૂતી :
- દર વર્ષે 23 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે.
- 23મી સપ્ટેમ્બર 1951ના રોજ રચાયેલા વર્લ્ડ ફેડરેશન ઓફ ધ ડેફના સ્થાપના દિવસના ઉપલક્ષમાં આ તારીખની ઉજવણી માટે પસંદગી કરવામાં આવી હતી.

Current affairs Question : 10
ગાઝિયાબાદમાં કયા દેશના દૂતાવાસ દ્વારા માસિક સ્વાસ્થ્ય માટે પ્રોજેક્ટ “સારસ” શરૂ કરવામાં આવ્યો છે ?
જર્મની
ઈઝરાયેલ
યુગાન્ડા
ઉઝબેકિસ્તાન
જવાબ : ઈઝરાયેલ
સમજૂતી :
- 27 વર્ષીય ઉઝમા કાઝમી ગાઝિયાબાદના અર્થલા ગામની મહિલા છે તેણી એક સસ્તું અને પર્યાવરણને અનુકૂળ સેનિટરી નેપકીન, “સારસ” લાવી છે.
- “સારસ” પ્રોજેક્ટનો હેતુ માસિક સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિશે જાગૃતિ લાવવાનો અને મહિલાઓ માટે કૌશલ્યો વિકસાવવાનો છે.

સામાન્ય જ્ઞાન
- વિટામિન “B” ની ઉણપથી કયો રોગ થાય છે ?
- બેરી બેરી
- કયો રોગ વિટામીન “C” ની ઉણપથી કયો રોગ થાય છે ?
- સ્કર્વી
- વિટામિન “D” ની ઉણપથી કયો રોગ થાય છે ?
- રિકેટ્સ
- કયા વિટામિનની ઉણપથી લોહી ગંઠાતું બંધ થાય છે ?
- વિટામિન “K”
- વિટામિન “E” ની ઉણપથી કયો રોગ થાય છે ?
- વંધ્યત્વ
