દયારામ | Dayaram in gujarati | Gujarati sahitya

દયારામ | Dayaram

ગરબીના સર્જક / પિતા : દયારામ

નામદયારામ પ્રભુરામ ભટ્ટ
પિતાપ્રભુરામ ભટ્ટ
માતારાજકોર બા (મહાલક્ષ્મી)
જન્મ18 ઓગસ્ટ, 1777
જન્મસ્થળચાંદોદ(ચાણોદ), વડોદરા
કર્મભૂમિડભોઈ, વડોદરા
ગુરુઈચ્છારામ ભટ્ટજી
શિષ્યછોટાભાઈ, ગિરજાશંકર, લક્ષ્મીરામ દેસાઈ, શીતબાઈ સોની
અવસાનઈ.સ.1852
બિરુદ“પ્રેમસખી”, “દયાસખી”, “ગરબીના પિતા” (નરસિંહરાવ દિવેટિયા દ્વારા), “બંસી બોલનો કવિ” (ન્હાનાલાલ દ્વારા), “બીજી મીરાં”, “નાચતી કિલ્લોલતી ગોપી”, “ગુજરાતનો હાફીઝ”, “ગુજરાતનો જયદેવ”, “ગુજરાતનો બાયરન”, “રસિક શૃંગારી કવિ”, “ગરબી સમ્રાટ”, “વ્યાકુળ વૈષ્ણવ” (નટવરલાલ પંડયા દ્વારા), “વૃંદાવનની ગોપ” (ન્હાનાલાલ દ્વારા)
  • બીજી મીરાં તરીકે ઓળખાતા દયારામ ગરબી સ્વરૂપે તેણે મુખ્યત્વે સખાભાવે કૃષ્ણભક્તિ પર પદોની રચના કરી.
  • તેમના પર વૈષ્ણવ સંપ્રદાયની વિશેષ અસ૨ જોવા મળે છે.
  • તેમની “રસિક વલ્લભ” કૃતિને વૈષ્ણવ સંપ્રદાયનો મહત્વનો ગ્રંથ ગણવામાં આવે છે.
  • સમગ્ર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તેઓ એકમાત્ર અક્ષરજ્ઞાન ધરાવતા હતા.
  • તેઓ મઘ્યકાળના અંતિમ સાહિત્યકાર ગણાય છે.
  • તેઓ મધ્યકાલીન ગુજરાતી અને અર્વાચીન ગુજરાતી સાહિત્યના સેતુ છે.
  • દયારામ જ્ઞાતિએ સાઠોદરા નાગર બ્રાહ્મણ હતા.
  • એમના જીવન પર વલ્લભાચાર્યના પુષ્ટિ સંપ્રદાયની અસર જોવા મળે છે.
  • બુંદીકોટાના દ્વારકેશ મંદિરના સ્વારકાનાથજી ગાદીના ગુરુ પુરૂષોત્તમદાસજી મહારાજ તેમના કવિતા ગુરૂ હતાં.
  • કરનાળીના કેશવાનંદજી મહારાજે તેમને શ્રીકૃષ્ણનો સાક્ષાત્કાર કરાવ્યો ત્યા૨થી તેઓ કૃષ્ણભક્ત થયા હતા.
  • તેમનું મૂળ નામ દયાશંકર હતું, પરંતુ તેમના ગુરુ ઈચ્છારામ ભટ્ટના ઉપદેશથી વલ્લભસંપ્રદાયનો વૈષ્ણધર્મ અપનાવ્યો અને તેઓ દયાશંકરમાંથી દયારામ થયા તેમજ તેમના ગુરુએ “શ્રી કૃષ્ણ શરણં મમ” નામનો અષ્ટાક્ષરી મંત્ર આપ્યો હતો.
  • દયારામે ગુરુની પ્રેરણાથી માત્ર 13 વર્ષની ઉંમરે પોતાની પ્રથમ કૃતિ “તત્ત્વ પ્રબંધ” લખી હતી.
  • “બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિન્દુસ્તાનના તીર્થોની યાત્રા કર. તારી દ્રષ્ટિ ખુલી જશે” આ ઉદ્ગારો દયારામ માટે સુપ્રસિદ્ધ કથાકાર વિદ્વાન ઈચ્છારામ ભટ્ટ દ્વારા ઉચ્ચારવામાં આવ્યા હતા.
  • તેમની ગ૨બીઓમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. તેમણે કૃષ્ણભકિત વિશે મિત્રભાવે ગરબી સાહિત્યપ્રકારની રચના કરી. આથી તેમને ગરબીના પિતા ગણવામાં આવે છે.
  • આખ્યાનને વ્યવસ્થિત ગોઠવવા માટે “કડવા” ની રચના ભાલણે કરી, પરંતુ દયારામે કડવા ને બદલે “મીઠાં” શબ્દ પ્રયોગ કર્યો. જ્યારે આખ્યાન સ્વરૂપને ઘાટ પ્રેમાનંદે આપ્યો છે.
  • દયારામને ગુજરાતી સાહિત્યના ભક્તિકવિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે નરસિંહ મહેતાને ભક્તકવિ તરીકે ઓળખવામાં આવે છે.
  • દયારામને ન્હાનાલાલેબંસીબોલના કવિ“, “વૃંદાવનની ગોપી” તેમજ “પ્રાચીનતાના મોતી વર્ષતા છેલ્લા રસમેઘ” તરીકે વર્ણવ્યા છે.
  • ક. મા. મુનશીએ કહ્યું હતું કે, “દયા૨ામ નિતાંત શૃંગાર કવિ છે. દયારામ એટલે નરસિંહ મહેતાથી પ્રારંભ પામેલી મધ્યકાલીન કવિતાનું જાણે કે પૂર્ણવિ૨ામ”.
  • દયારામે ગુજરાતી ભાષામાં “રેખતા” સાહિત્ય સ્વરૂપ આપ્યું છે.
  • તેમની ઊર્મિ કવિતાઓ “દયારામ રસસુધા” અને “દયારામના પદો” માં સંગ્રહાયેલી છે.
  • જીવનના છેલ્લા દિવસોમાં માંદગીના સમયે સોના૨ણ રતનબાઈ નામની વિધવાએ તેમની સેવા કરી હતી. દયારામે તેમનું વસિયતનામું આ બાઈના નામે કરેલું.
  • તેમનું નિધન 9 ફેબ્રુઆરી, 1852ના રોજ થયું હતું.
  • દયારામનો અક્ષરદેહ” ના નામથી ગોવર્ધનરામ ત્રિપાઠીએ તેમના વિશે અધ્યયન ગ્રંથ લખ્યો છે.
  • દયારામના મૃત્યુ સાથે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યયુગનો અંત આવે છે. આમ, દયારામને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અંતિમ સાહિત્યકાર ગણવામાં આવે છે.
  • તેમણે ગોપીઓને ઉલ્લેખીને કહ્યું હતું કે, ગોપીઓનું મન કૃષ્ણમય હોવાથી તેને કાળા રંગની વસ્તુઓમાં કૃષ્ણ દેખાય છે.
  • તેઓ 12 ભાષાના જાણકાર હતા.

દયારામ : આજીવન બ્રહ્મચારી

  • દયારામના વિવાહ આઠ વર્ષની નાની વયે ગંગા નામની એક નાગર કન્યા સાથે નક્કી થયા હતા પરંતુ લગ્ન પૂર્વે જ તેનું અવસાન થતાં દયારામ આજીવન બ્રહ્મચારી રહ્યા હતા.
  • કવિની આધેડ વયે, 40 થી 45 વર્ષની એક દુઃખી બાળવિધવા રતનબાઈ નામની સોના૨ણ તેમના આશ્રયે આવી હતી અને મરજાદી કવિની જીવનભર સેવાચાકરી તેણે અત્યંત ભક્તિભાવથી કરી હતી. ભક્તકવિ તરીકે તેમની આસપાસ એક શિષ્યમંડળ રચાયું હતું. કવિ રણછોડ તેમનો શિષ્ય હતો. રતન સોના૨ણે પણ મરજાદ લીધી હતી અને દયારામની શિષ્યા બનીને તે રહી હતી.

સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ

તેમની પાસેથી કુલ 86 કૃતિઓ મળે છે. જેમાં ગુજરાતી ભાષામાં 64, વ્રજ ભાષામાં 20, મરાઠી ભાષામાં 1 અને સંસ્કૃત ભાષામાં 1 કૃતિ લખેલી છે.

આખ્યાન આધારિત કૃતિઅજામિલ આખ્યાન, સત્યભામા વિવાહ, મીરાં ચરિત્ર, રુકમણી
હિન્દી કૃતિસત્સૈયા
પુષ્ટિ સંપ્રદાયનું સાહિત્યરતિક વલ્લભ, તત્વપ્રબંધ, ગુરુ શિષ્ય સંવાદ, ધર્મનીતિસાર, ભક્તિપોષણ
અન્યભક્તિવેલ, દાણચાતુરી, પ્રેમરસગીતા, શ્રી કૃષ્ણ નામમાહાત્મય, શોભાસલુણા શ્યામની, સિદ્ધાંતસાર, ઋતુવર્ણન, માધવરાવ વ્યાસને પદ્યરૂપે પત્ર, પૃષ્ટિપથ રહસ્ય, કૃષ્ણલીલા, ઓ વ્રજનારી (પદ), ઝધડો લોચન મનનો (ગરબી)

પંક્તિઓ

શ્યામ રંગ સમીપે ન જાવું,
મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું

નટવ૨ નિરખ્યાં ને’ન તે

ઓ વ્રજના૨ી ! શા માટે તું અમને આળ ચડાવે ?
પુણ્ય પુરવ તણાં, એથી પાતળિયો અમને લાડ લડાવે

ઓ રંગ રસિયા ક્યાં ૨મી આવ્યા રાસ રે

હું શું જાણું જે વ્હાલે મુજમાં શું દીઠું,
વારે વારે સામો આવે મુખ લાગે મીઠું.

એક વર્યો ગોપીજનવલ્લભ, નહીં સ્વામી બીજો..

કાનુડો કામણગા૨ો રે

ઊભા રહો તો કહું વાતડી બિહારીલાલ

ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થ ના સરે
મત્સ્ય ભોગી બગલો મુક્તાફળ દેખી ચંચુ ના ભરે

જે કોઈ પ્રેમઅંશ અવતરે, પ્રેમ૨સ તેના ઉ૨માં ઠરે

લોચન મનનો રે ! કે ઝઘડો લોચન મનનો !
રસિયો તે જનનો રે ! કે ઝઘડો લોચન મનનો !

વ્રજ વહાલું રે, વૈકુંઠ નહીં આવું,
મને ન ગમે ચતુર્ભુજ થાવું

મનજી મુસાફર રે, ચાલો નિજ દેશ ભણી

હરિના જન તો મુકિત ના માગે,
માગે જન્મો જન્મનો અવતા૨

ઘેલી મુને કીધી શ્રીનંદજીના નંદે

પ્રેમની પીડા તે કોને કહીએ મધુક૨ પ્રેમની પીડા

ઓ વાંસલડી વેરણ થઈ લાગી રે વ્રજની નારને

ફૂલ્યો શું ફરે છે ૨ે ? ભૂલ્યો ભવકૂપમાં પડયો

ધોરણ

ધોરણ : 12શ્યામ રંગ સમીપે (ગરબી)

અન્ય સાહિત્યકાર

સાહિત્યકારવાંચવા માટે
ભોજા ભગતઅહી ક્લિક કરો
નિરાંત ભગતઅહી ક્લિક કરો
બાપુસાહેબ ગાયકવાડઅહી ક્લિક કરો
ધીરો ભગત (બારોટ)અહી ક્લિક કરો
પ્રીતમઅહી ક્લિક કરો
શામળ ભટ્ટઅહી ક્લિક કરો
પ્રેમાનંદઅહી ક્લિક કરો
અખોઅહી ક્લિક કરો
ભાલણઅહી ક્લિક કરો
મીરાંબાઈઅહી ક્લિક કરો
નરસિંહ મહેતાઅહી ક્લિક કરો
જૈનયુગના સાહિત્યકારઅહી ક્લિક કરો

2 thoughts on “દયારામ | Dayaram in gujarati | Gujarati sahitya”

Leave a Comment

error: Content is protected !!