Botad | બોટાદ

તાલુકા (04)

તાલુકા (04)
બોટાદ
સ્વામીના ગઢડા
બરવાળા
રાણપુર

તાલુકા યાદ રાખવાની ટ્રીક

Botad-map
Botad-Taluka

મુખ્ય મથક : બોટાદ
ઉપનામ : સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર
બોટાદ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ અને કવિશ્રી બોટાદકરનું જન્મસ્થાન

જિલ્લાની સીમા

  • ઉત્તર : સુરેન્દ્રનગર અને અમદાવાદ
  • દક્ષિણ : અમરેલી
  • પૂર્વ : ભાવનગર
  • પશ્ચિમ : રાજકોટ

જિલ્લાની રચના

બોટાદ જિલ્લાની રચના 15 ઓગસ્ટ, 2013ના રોજ અમદાવાદ અને ભાવનગર જિલ્લામાંથી કરવામાં આવી હતી. આ સમયે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા.

ભૌગોલિક સ્થાન

  • 22° 13′ ઉત્તર અક્ષાંશથી 71°41′ પૂર્વ રેખાંશ

સામાજિક, આર્થિક સર્વેક્ષણ : 2021-2022 મુજબ

કુલ ક્ષેત્રફળ : 2564 (ચો.કી.મી.)
કુલ વસ્તી : 6,52,526
સાક્ષરતા : 73.1 ટકા
વસ્તી ગીચતા : 255 ચો.કિમી. (એક ચો.કિ.મી. દીઠ વ્યક્તિઓ)
જાતિ પ્રમાણ : 964 (1000 પુરૂષો દીઠ મહિલાઓ)

ઈતિહાસ

  • મહારાજા તખતસિંહજી ના શાસનકાળ દરમિયાન બોટાદ એ ભાવનગર રાજ્યનો મહત્ત્વનો મહાલ ગણાતું.
  • ઈ.સ.1973માં ભાવનગર રાજ્ય તરફથી બોટાદમાં દવાખાનું ખોલવામાં આવ્યું હતું.
  • વિકાસની દૃષ્ટિએ ભાવનગર-વઢવાણ રેલવે લાઈન વાયા બોટાદ નાંખવામાં આવી હતી.
  • બોટાદમાં મ્યુનિસિપાલિટીની રચના ભાવસિંહજી બીજાના સમયમાં થઈ હતી.
  • કૃષ્ણકુમારસિંહજીના સમયમાં ઘણા સુધારા – વધારા બોટાદમાં કરવામાં આવ્યાં હતા.
  • બોટાદ એ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ છે. અહીં સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠી સંતો તથા અનેક અમર કૃતિઓની રચના કરી હતી.
  • સૌરાષ્ટ્રનું માતબર અખબાર “ફુલછાબ” જ્યારે રાણપુરથી પ્રસિદ્ધ થતું હતું તે સમયે ઝવેરચંદ મેઘાણી તેના તંત્રી હતા.
  • આ ઉપરાંત માનવ સંબંધોના ગાયક કવિશ્રી બોટાદકરનું જન્મસ્થાન છે. “જનની જોડ સખી નહીં જડે રે લોલ” એ અમરકૃતિની રચના અહીં થયેલી છે.
  • ગુજરાતના સર્વશ્રેષ્ઠ જાદુગર મહમદ છેલ બોટાદમાં થઈ ગયેલ છે. જેણે સ્ટેજ ઉપર નહિ પરંતુ ભૂમિ ઉપર લોકોની વચ્ચે જે તે સ્થળે જાદુના અદ્ભુત પ્રયોગો કર્યા હતા.
  • ગઢડાનું પ્રાચીન નામ ગઢપુર હતું.

ભૂગોળ

નદીઓ

નદીઓસુકભાદર, કેરી, ઘેલો, કાળુભાર, નીલકા, ગોમા

નદી કિનારે વસેલા શહેરો

  • બોટાદ : ઉતાવળી નદીના કિનારે
  • રાણપુર તાલુકામાં – સુખભાદર નદી વહે છે
  • સ્વામીના ગઢડામાં ઘેલો નદી વહે છે
  • ભીમનાથ મહાદેવનું મંદિર નીલકા નદી કિનારે

સિંચાઈ યોજનાઓ

સિંચાઈ યોજનાઓનદીતાલુકા
ભાડલા ડેમસુખભાદર નદીરાણપુર
કાળુભાર ડેમકાળુભાર નદીગઢડા
ખાંભડા ડેમઉતાવળી નદીબરવાળા

ઉદ્યોગ

  • બોટાદમાં સિમેન્ટ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગનો વિકાસ થયો છે. ક્વોરી ઉદ્યોગ, ઊન-ખાદી ઉદ્યોગ, બેરિંગ ઉદ્યોગ વગેરે ઉદ્યોગ વિકાસ પામ્યા છે.

ખનીજ

  • અહીં કેલ્સાઈટ મળી આવે છે.

ખેતી

  • મુખ્યપાક કપાસ, બાજરી, તલ, જુવાર, ઘઉં, જવ
  • બોટાદ ગુજરાતમાં જામફળની ખેતીમાં ત્રીજું સ્થાન ધરાવે છે.
  • આ ઉપરાંત બોટાદમાં ઘઉં, જુવાર, બાજરી, ડુંગળી, મગફળી, ડાંગર, કપાસ, શાકભાજી વગેરેની ખેતી પણ કરવામાં આવે છે.
  • વર્ષ 2016-17 દરમિયાન બોટાદ જિલ્લામાં ફળોનું ઉત્પાદન 16130 મેટ્રિક ટન હતું.

રાષ્ટ્રીય ધોરીમાર્ગ

  • બોટાદમાંથી નેશનલ હાઈવે પસાર થતો નથી.

સાંસ્કૃતિક વારસો

વિદ્યાપીઠ / યુનિવર્સિટી

  • નૂતન ગ્રામ વિદ્યાપીઠ : સ્વામીના ગઢડા
  • જે.સી. કુમારાપ્પા ગ્રામ વિદ્યાપીઠ – સ્વામીના ગઢડા

મંદિરો

  • કષ્ટભંજનદેવ મંદિર : સાળંગપુર
  • સ્વામિનારાયણ મંદિર : ગઢડા
  • ભીમનાથ મહાદેવ

લાયબ્રેરી

  • તખ્તસિંહજી લાયબ્રેરી

મહત્વના સ્થળો અને તેની વિશેષતાઓ

બોટાદ

  • બોટાદ, જિલ્લાનું મુખ્ય મથક છે.
  • વઢવાણની માફક બોટાદને પણ “સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર” ગણવામાં આવે છે.
  • બોટાદ ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ છે.
  • દર વર્ષે મેઘાણી મહોત્સવનું આયોજન બોટાદમાં થાય છે.
  • “સૌંદર્યદર્શી” તરીકે ઓળખાતા દામોદર ખુશાલદાસ બોટાદકરનો જન્મ બોટાદમાં થયો હતો.
  • બોટાદની નજીક મુસ્લિમ સંત પીર હમીરખાનનું સ્થાનક અને કબર આવેલી છે.
  • બોટાદ જિલ્લાનાં કુંડળ ખાતે શનિદેવ મંદિર આવેલું છે. અહીં પ્રગટાવવામાં આવેલ અખંડ જ્યોત શનિ શિંગળાપુરથી ચાલતાં ચાલતાં લાવવામાં આવેલી છે.

ભીમનાથ મહાદેવ

  • ભીમનાથ ગામ પાસેથી પસાર થતી નીલકા નદીના કાંઠે આવેલા આ પૌરાણિક ભીમનાથ મહાદેવના મંદિરની ઉત્પત્તિ બાબતે એક લોકવાયકા પ્રચલિત છે.
  • આશરે 5000 વર્ષ જૂના આ સ્થળે પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન આવ્યા હતા અને અહીં આવેલા વરખડીના વૃક્ષ નીચે ભીમે શિવલીંગની સ્થાપના કરી હતી. હાલમાં પણ આ પાંચ હજાર વર્ષ જૂનું વૃક્ષ હયાત છે. ભારત વર્ષમાં આ એકમાત્ર શિવાલય શિખર વિનાનું છે.
  • ભીમનાથ મહાદેવના મંદિર ઉપર દર શ્રાવણી અમાસે બાવન ગજની ધજા ચડે છે.

સ્વામીના ગઢડા

  • સ્વામીના ગઢડા ઘેલા નદીના કિનારે આવેલું છે.
  • અહીં સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્ત્વનું તીર્થસ્થળ આવેલું છે.
  • સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય તીર્થધામ ગઢપુર એટલે હાલનું શ્રી ગોપીનાથજીદેવ મંદિર ટ્રસ્ટ, ગઢડા
  • બોટાદ જિલ્લાનું મુખ્ય તીર્થધામ એટલે ગઢડા સ્વામિનારાયણ મંદિર.
  • ગઢડામાં મંદિર બાંધવા માટે જમીન દાદા ખાચરના દરબાર દ્વારા દાન કરવામાં આવી હતી.
  • ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર કુલ 49 વર્ષ રહેલ તેમાંથી 30 વર્ષ ગઢડામાં રહેલાં હતાં.
  • ભગવાન સ્વામિનારાયણ ગઢડાને પોતાની કર્મભૂમિ બનાવીને સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી પોતાના હાથે છ મંદિરોના નિર્માણ કર્યા.

સાળંગપુર

  • બોટાદ જિલ્લાના સાળંગપુર ગામમાં કષ્ટભંજનદેવ હનુમાનજીનું મંદિર આવેલું છે.
  • કષ્ટભંજન દેવની સ્થાપના વિક્રમ સંવત 1905 આસો વદ પાંચમના દિવસે કરવામાં આવી હતી.
  • સાળંગપુરના રહેવાસી વાઘા ખાચરે પોતાના ગામના લોકોની હાલત અને ગામની દુર્દશાની વાત ગોપાલનંદ સ્વામીને કરી.
  • ગોપાલનંદ સ્વામીએ અહીં હનુમાનજીના મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.
  • સાળંગપુર ગામમાં જીવા ખાચરનો દરબાર પણ આવેલો છે.
  • નારાયણ કુંડ અહીંના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે.

રાણપુર

  • રાણાજી ગોહિલ દ્વારા ઈ.સ. 1310 માં ભાદર અને ગોમા નદી કિનારે રાણપુરની સ્થાપના કરવામાં આવી હતી. કુમારપાળ દેસાઈ અને સમાજ સુધારક પૂર્ણિમાબેન પકવાસાનો જન્મ રાણપુરમાં થયો હતો.

વેજલકા

  • સિંધુ સંસ્કૃતિનું ઐતિહાસિક સ્થળ અહીં સ્થિત છે.
  • વેજલકા રાણપુર તાલુકામાં આવેલું છે.

બી.એ.પી.એસ. શ્રી સ્વામિનારાયણ મંદિર

  • અહીંયા સ્વામિનારાયણ મંદિર આવેલું છે. આ મંદિર પ્રાચીન ભારતીય નાગર શૈલીનું અદ્ભુત નમૂનારૂપ સ્થાપત્ય છે.
  • સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રચારક પ્રમુખ સ્વામી મહારાજ સાળંગપુર ખાતે બ્રહ્મલીન થયાં હતાં. તેમનું મૂળ નામ શાંતિલાલ પટેલ હતું.

પાળિયાદ (વિહળધામ)

  • પાળિયાદ ગામ જિલ્લા મથક બોટાદથી અંદાજિત 15 કિલોમીટરના અંતરે ગોમા નદી કિનારે વસેલું છે.
  • પાળિયાદમાં વિસામણ બાપુની જગ્યા આવેલી છે.
  • આપા વિસામણજી નામના સંતે તે સમયે પાળિયાદમાં અન્નક્ષેત્ર શરૂ કરેલું. તેમના પછી તેમના વારસદાર ઉનડ બાપુ પણ આજુબાજુના લોકોમાં પૂજનીય હતાં.
  • પાળિયાદમાં સોનગઢના આપા જીવા ભગતની સમાધિ આવેલી છે. જ્યાં સૌરાષ્ટ્રભરનાં કાઠી લોકો દર્શનાર્થે આવે છે.
  • જીવા ભગતના માનમાં ભાદરવા સુદ-બીજના દિવસે કામખીયા નામનો મેળો ભરાય છે.

મહાન વિભૂતિઓ

  • દામોદર ખુશાલદાસ બોટાદકાર – બોટાદ – ગુજરાતી કવિ
  • મોહમ્મદ માંકડ – પાળિયાદ – સાહિત્યકાર – કૃતિ : કેલિડોસ્કોપ
  • ઝવેરચંદ મેઘાણીનું મૃત્યુ બોટાદમાં થયું હતું.
  • બોટાદમાં દર વર્ષે મેઘાણી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
  • કુમારપાળ દેસાઈ – રાણપુર

અન્ય

  • વઢવાણની જેમ બોટાદને પણ “સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર” ગણવામાં આવે છે.
  • બરવાળામાં તલવારની મૂંઠ (હેન્ડલ) બનાવવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે.

1 thought on “Botad | બોટાદ”

Leave a Comment

error: Content is protected !!