ગોવર્ધનરામ ત્રિપાઠી | Govardhanram Tripathi

ગોવર્ધનરામ ત્રિપાઠી | Govardhanram Tripathi | Gujarati sahitya

સાહિત્યમાં ગુજરાતીપણાના દર્શન કરાવનાર : ગોવર્ધનરામ ત્રિપાઠી

નામગોવર્ધનરામ ત્રિપાઠી
પૂરું નામગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
જન્મ20 ઓક્ટોબર, 1885
જન્મસ્થળનડિયાદ
પત્નીહરિલક્ષ્મી
ઉપનામપંડિત યુગના પુરોધા, સાક્ષર વર્ય, ગુંજન, જગત સાક્ષર (ન્હાનાલાલ દ્વારા)
અવસાન4 જાન્યુઆરી, 1907
  • ગોવર્ધનરામને નાનપણથી વાંચવાનો ખૂબ શોખ હતો. કોલેજના અભ્યાસકાળ દરમિયાન જીવન જીવવા અંગે ત્રણ સંકલ્પ કર્યા – એલએલ.બી. થઈ મુંબઈ જઈ વકીલાત કરવી, ક્યારેય નોકરી કરવી નહીં અને ચાળીસમે વર્ષે વ્યવસાયમાંથી નિવૃત્ત થઈ શેષ જીવન સાહિત્ય અને સમાજની સેવામાં સમર્પિત કરવું.
  • પંડિતયુગને તેમના નામ ૫૨થી “ગોવર્ધનયુગ” તરીકે ઓળખવામાં આવે છે. સરસ્વતીચંદ્ર કૃતિએ ગુજરાતી સમાજમાં સંસ્કારનું સિંચન કરેલું છે.
  • સમયાંતરે તેમની આર્થિક સ્થિતિ નબળી પડતા તેમણે વર્ષ 1879 થી 1883 સુધી ભાવનગરમાં દીવાનના અંગત સેક્રેટરી તરીકે સેવા આપી હતી ત્યારબાદ તેમણે ભાવનગરથી મુંબઈ જઈ વકીલાત કરી હતી.
  • વર્ષ 1887માં તેમણે ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ મહાનવલક્થા “સરસ્વતીચંદ્ર” નો ભાગ-1 પ્રકાશિત કર્યો હતો અને સમયાંતરે તેના અન્ય ભાગો પણ પ્રકાશિત કરવામાં આવ્યા.
    • ભાગ – 1 : બુદ્ધિધનનો કારભાર(1887)
    • ભાગ – 2 : ગુણસુંદરીનું કુટુંબજાળ (1892)
    • ભાગ – 3 : રત્નનગરીનું રાજ્યતંત્ર (1898)
    • ભાગ – 4 : સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહૂતિ (1901)
  • ઈ.સ.1902માં અમદાવાદમાં સુરેન્દ્રનાથ બેનર્જીના અધ્યક્ષપણા હેઠળ યોજાયેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સંમેલનમાં હાજરી આપી હતી.
  • ગોવર્ધનરામ ચાળીસ વર્ષના થયા અને તેમણે ચાળીસમા વર્ષે વ્યવસાયમાંથી નિવૃત્ત થવાનો સંકલ્પ પૂરો કર્યો અને વકીલાત છોડી નિવૃત્ત થઈ ગયા. આમ, તેમણે તેમના તમામ સંકલ્પો સારી રીતે પૂરા કર્યા.
  • વર્ષ 1905માં અમદાવાદમાં યોજાયેલ પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદ અધિવેશનના પ્રથમ પ્રમુખ રહ્યાં હતા.
  • તેમણે તેમની પ્રથમ પત્ની હરિલક્ષ્મીના અવસાન નિમિત્તે “સ્નેહમુદ્રા” કાવ્યસંગ્રહ લખ્યો અને પુત્રી લીલાવતીના અવસાન નિમિત્તે “લીલાવતી જીવનકલા” નામનો ચરિત્રગ્રંથ લખ્યો.
  • “સરસ્વતીચંદ્ર” નવલકથાને આનંદશંકર ધ્રુવે “કળિયુગનું પુરાણ” કહ્યું છે અને મનુભાઈ પંચોળીએ “સરસ્વતીચંદ્ર”ના વખાણ કરતાં કહ્યું કે, “ભારતના ઉજવણી પર્વમાં ગુજરાત પાસે આપવા જેવી બે ભેટ છે, એક ગાંધીજી અને બીજી સ૨સ્વતીચંદ્ર નવલકથા” તથા ન્હાનાલાલે “સરસ્વતીચંદ્ર”મહાનવલકથાને “જગત કાદંબરી” કહ્યું હતું.
  • “સરસ્વતીચંદ્ર”ના આધા૨ે “ગુણસુંદરીનો ઘરસંસાર” (1972) નામનું ગુજરાતી ચિત્રપટ બન્યું હતું તેમજ હિંદી ફિલ્મ “સરસ્વતીચંદ્ર” (1968)ના દિગ્દર્શક ગોવિંદ સરૈયા છે.
  • સરસ્વતીચંદ્ર નવલકથા ૫૨થી સંજયલીલા ભણસાલી દ્વારા હિંદી ધારાવાહિકનું નિર્માણ થયેલ છે.
  • તેમના કાકા મનસુખલાલ ત્રિપાઠી સુધારક યુગના સાહિત્યકાર હતા.
  • ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ પ્રદાન કરવા બદલ ભારત સરકાર દ્વારા 27 એપ્રિલ, 2016ના રોજ તેમની સ્મૃતિમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
  • વર્ષ 2017થી ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા શ્રી ગોવર્ધનરામ નવલકથા પારિતોષિક આપવામાં આવે છે.

સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ

નાટકસરસ્વતીચંદ્ર (ભાગ 1 થી 4), અધ્યાત્મ જીવન, લીલાવતી જીવનકલા, નવલરામનું જીવનવૃત્તાંત, ક્ષેમરાજ અને સાધ્વી
કાવ્યસંગ્રહસ્નેહમુદ્રા, સાક્ષરજીવન, (હૃદય રુદિત શતકમ)
વિવેચનકવિ દયારામનો અક્ષરદેહ
રોજનીશીસ્ક્રેપબુક (ભાગ 1 થી ૩)
અન્યમાનચતુર અને ધર્મલક્ષ્મી (પાત્રો ગુણસુંદરી, સુંદર, ધર્મલક્ષ્મી, માનચતુર) (નવલકથા : સરસ્વતીચંદ્ર ભાગ-બે માંથી)

ધોરણ

ધોરણ-12 (દ્વિતીય ભાષા)કુસુમનું કઠણ તપ (નવલકથા ખંડ)

અન્ય સાહિત્યકાર

સાહિત્યકારવાંચવા માટે
સુધારકયુગના સાહિત્યકારઅહી ક્લિક કરો
મધ્યકાલીનયુગના સાહિત્યકારઅહી ક્લિક કરો

2 thoughts on “ગોવર્ધનરામ ત્રિપાઠી | Govardhanram Tripathi”

Leave a Comment

error: Content is protected !!