ન્હાનાલાલ દલપતરામ કવિ | Nanalal Dalpatram Kavi

ન્હાનાલાલ દલપતરામ કવિ | Nanalal Dalpatram Kavi

ડોલનશૈલીના સથવારે નવો માર્ગ ચિતરનાર : ન્હાનાલાલ

નામન્હાનાલાલ
પૂરું નામન્હાનાલાલ દલપતરામ કવિ
જન્મ16 માર્ચ, 1877
જન્મસ્થળઅમદાવાદ
ઉપનામપ્રેમભક્તિ, ગુજરાતના કવિવર, કવિસમ્રાટ
બિરુદપ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ (કાન્ત), શ્રેષ્ઠ રસકવિ, તેજે ઘડેલા શબ્દના સર્જક, ડોલન શૈલી ના પિતા, વસંતના વૈતાલિક
અવસાન9 જાન્યુઆરી, 1946
  • દલપતરામ અને ન્હાનાલાલ નામની પિતા-પુત્રની બેલડીએ વર્ષો સુધી ગુજરાતી સાહિત્યનો વિકાસ કર્યો છે.
  • તેમણે રાજકોટમાં સર ન્યાયાધીશ અને નાયબ દીવાન તરીકેની કામગીરી પણ કરી હતી.
  • તેમણે પ્રેમનું એક સ્તર જાળવી રાખીને તેમણે ગુજરાતની સ્ત્રીઓને ગીતો ગાતા કરી અને દયારામની ગરબીઓ પછી સ્ત્રીઓને ગીતો ગાતી કરનાર જો કોઈ હોય તો એ ન્હાનાલાલ છે.
  • આ ઉપરાંત તેમણે દેશભકિતના પણ ગીતો પણ લખ્યા હતા.
  • તેમના વિદ્યાગુરુ અને સંસ્કારગુરૂ કાશીરામ દવે હતા.
  • ન્હાનાલાલની પૈતૃક અટક તરવાડી (ત્રિવેદી પરથી) પણ તેઓ ધીમે ધીમે કવિ તરીકે જાણીતા થતા, તેમણે અને તેમના વંશજોએ કાયમી ધોરણે “કવિ” અટક તરીકે અપનાવી.
  • ન્હાનાલાલે લેખનની શરૂઆત “વસંતોત્સવ” કાવ્ય દ્વારા કરી.
  • તેઓ ડોલનશૈલી માટે જાણીતા છે જેમાં તેમણે “જયાજયંત” અને “ઈન્દુકુમાર” જેવા નાટકો લખ્યા છે.
  • સૌપ્રથમ વાર ગુજરાતીમાં છંદ વિનાની અછાંદસ કૃતિ આપી, જેને “ડોલનશૈલી” થી ઓળખવામાં આવે છે.
  • ન્હાનાલાલે વર્ષ 1919માં ગાંધીજીની 50મી જન્મજયંતી નિમિત્તે “ગુજરાતનો તપસ્વી” કાવ્ય લખ્યું હતું.
  • “પાંખડીઓ” તેમનો વાર્તાસંગ્રહ છે જેને તેઓ વાર્તાઓ નહિ, પરંતુ પ્રસંગો કે હીરાની કરચો તરીકે ઓળખાવે છે.
  • ન્હાનાલાલને પોતાની લગ્નતિથિએ પોતાના લગ્નજીવન વિશે એક કાવ્ય લખવાની ટેવ હતી. તેમણે તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ “કેટલાક કાવ્યો” તેમની પત્ની માણેકબાઈને અર્પણ કર્યો હતો. તેમણે લંકાના પ્રવાસ દરમિયાન તેમની પત્નીને ઉદ્દેશીને “કુલયોગિની” કાવ્ય લખ્યું હતું.
  • પારસીઓ જ્યારે સૌપ્રથમ ગુજરાત આવ્યા તે પ્રસંગને વર્ણવતાં “દૂધમાં સાકર” નામના કાવ્યની રચના કરી હતી.
  • ગિરનાર ખાતેના સમ્રાટ અશોકના શિલાલેખને તેમણે “શૈલકણ” તરીકે બિરદાવ્યો છે.
  • તેમનું “હરિસંહિતા” ભાગ : 1 અને 2 નામનું મહાકાવ્ય અધૂરું હતું. જે તેમના નિધન પછી જવાહરલાલ નહેરુના હસ્તે પ્રસિદ્ધ થયું હતું.

સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ

કાવ્યસંગ્રહવસંતોત્સવ (ડોલનશૈલીમાં લખાયેલી તેમની પ્રથમ કૃતિ), મહેરામણના મોતી, ગીતમંજરી ભાગ–1, 2, ન્હાના ન્હાના રાસ ભાગ : 1, 2 અને 3, પ્રેમભકિત ભજનાવલી
કાવ્યગુજરાતનો તપસ્વી, શરદપૂનમ, વીરની વિદાય, સૌરાષ્ટ્રનો સાધુ, કુલયોગિની
નાટકઈન્દુકુમાર, જયાજયંત, રાજર્ષિભરત, શહેનશાહ અકબર, વિશ્વગીતા
નવલક્થાઉષા અને સારથી
વિવેચનસાહિત્ય મંથન, આપણા સાક્ષરરત્નો, જગત કાદંબ૨ીઓમાં સરસ્વતીચંદ્રનું સ્થાન
મહાકાવ્યકુરુક્ષેત્ર
જીવનચરિત્રકવીશ્વર દલપતરામ (પિતા દલપતરામ ડાહ્યાલાલ તરવાડીનું જીવનચરિત્ર આલેખાયેલું છે), સારથી
અન્યવિરાટની હિંડોળો, પ્રાણેશ્વર, પિતૃતર્પણ, વિલાસની શોભા, હરિસંહિતા, પાખંડીઓ, ખમ્મા વીરાને,ન્હાના૨ાસ, તાજમહેલ, હરિના દર્શન (ભકિત ગીત), ભરતગોત્રનાં લજ્જાચીર (વિશ્વગીતામાંથી)

પંક્તિઓ

ધન્ય હો ! ધન્ય જ પુણ્ય પ્રદેશ !
અમા૨ો ગુણિયલ ગુર્જર દેશ !

સિંહને શસ્ત્ર શાં ! વી૨ને મૃત્યુ શાં !

પાર્થને કહો ચડાવે બાણ,
હવે તો યુદ્ધ એ જ કલ્યાણ.

અસત્યો માંહેથી પ્રભુ, પરમ સત્યે તું લઈ જા.

ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તું જ નામ
ગુણ તારા નિત ગાઈએ, થાય અમા૨ા કામ.

સૌંદર્ય શોભે છે શીલથી
ને યૌવન શોભે છે સંયમ વડે

ઝીણાં ઝ૨મ૨ વ૨સે મેહ, ભીંજે મારી ચુંદલડી

ગણ્યા ગણાય નહિ, વીણ્યાં વીણાય નહિ

ગુજરાતની એક પાંખ નીલીને એક પાંખ લીલી

દીઠે ક૨ડે કૂતરો, પીઠે ક૨ડે વાઘ
વિશ્વાસે ક૨ડે વાણિયો, દબાયો ક૨ડે નાગ

ધોરણ

ધોરણ : 11 (દ્વિતીય ભાષા)હરિના દર્શન (હરિગીત)

અન્ય સાહિત્યકાર

1 thought on “ન્હાનાલાલ દલપતરામ કવિ | Nanalal Dalpatram Kavi”

Leave a Comment

error: Content is protected !!