અહી તમને ધોરણ 6 સામજિક વિજ્ઞાન પાઠ : 16. સ્થાનિક સરકાર | Sthanik Sarkar ની PDF અને સ્વાધ્યાયના સવાલ-જવાબ આપવામાં આવ્યા છે.
સ્થાનિક સરકાર સ્વાધ્યાય | Sthanik Sarkar swadhyay
1. ખાલી જગ્યા પૂરો :
- આપણે પંચાયતીરાજનું ……….. સ્તરનું માળખું કે સ્વીકારેલ છે.
- ત્રણ
- ગ્રામપંચાયતનો વહીવટ કરવા સરકાર તરફથી ……….. ની નિમણૂક કરવામાં આવે છે.
- તલાટી-કમ-મંત્રી (ગ્રામ પંચાયત સેક્રેટરી)
- તાલુકાના વહીવટી વડાને ……….. કહે છે.
- તાલુકા વિકાસ અધિકારી (T.D.O.)
- સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર ……….. પંચાયત છે.
- જિલ્લા
- ગ્રામપંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું ……….. વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે.
- બે
2. ટૂંકમાં ઉત્તર લખો :
- મામલતદાર કઈ કક્ષાના વહીવટી અધિકારી છે ?
- મામલતદાર તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે.
- જિલ્લાના વહીવટી વડા કોણ હોય છે ?
- જિલ્લાના વહીવટી વડા કલેક્ટર હોય છે.
- મહાનગરપાલિકાના વહીવટી વડા કોને ગણવામાં આવે છે ?
- મ્યુનિસિપલ કમિશનરને મહાનગરપાલિકાના વહીવટી વડા ગણવામાં આવે છે.
- મહાનગરપાલિકામાં કેટલા ટકા મહિલા અનામત સભ્યો હોય છે ?
- મહાનગરપાલિકામાં 50 % મહિલા અનામત સભ્યો હોય છે.
- મેયર પોતાના હોદ્દા પર કેટલી મુદત માટે રહી શકે છે ?
- મેયર પોતાના હોદ્દા પર અઢી વર્ષ માટે રહી શકે છે.
3. ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર આપો :
(1) ગ્રામપંચાયતનાં કાર્યો જણાવો.
- ગ્રામપંચાયતનાં કાર્યો આ પ્રમાણે છે :
- ગામના દરેક ઘરને નંબર આપવા.
- ઘરવપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી.
- ગામમાં જાહેર રસ્તાઓ બનાવવા.
- ગામના રસ્તાઓની સફાઈ કરાવવી તેમજ ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવી.
- જાહેર મિલકતોની જાળવણી કરવી.
- ગામમાં આરોગ્યવિષયક સગવડો ઊભી કરવી તેમજ તેની જાળવણી કરવી.
- ગામમાં દીવાબત્તી(લાઈટ)ની વ્યવસ્થા કરવી.
- ગામમાં પ્રાથમિક શિક્ષણની સુવિધા ઊભી કરવી તેમજ એ શિક્ષણ માટે જનજાગૃતિ અને ફેલાવો કરવો.
- ગ્રામવિકાસનું આયોજન કરવું.
- ગામનાં ખેતરોના પાકોની સંભાળ રાખવી તેમજ ગૌચરની જાળવણી કરવી.
- જમીન-દફતરની જાળવણી કરવી.
- જન્મ-મરણનું રજિસ્ટર રાખવું અને તેમાં નોંધ કરવી.
(2) સ્થાનિક સરકાર એટલે શું ? સમજાવો.

- સ્થાનિક કક્ષાએ લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. એ પ્રતિનિધિઓ તે સંસ્થાનો વહીવટ કરે છે. તેને “સ્થાનિક સ્વરાજ્ય” કહેવામાં આવે છે. આ પ્રકારની સંસ્થાઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવાય છે. ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે.
(3) તલાટી-કમ-મંત્રી કયાં કયાં કાર્યો કરે છે ?
- તલાટી-કમ-મંત્રી નીચે મુજબના કાર્યો કરે છે
- તે ગ્રામપંચાયતનો વહીવટ કરે છે.
- તે કરવેરાની વસૂલાત કરે છે.
- તે ગ્રામપંચાયતના અહેવાલ, પત્રકો અને અંદાજપત્ર તૈયાર કરી તેના હિસાબો રાખવાનું કામ કરે છે.
- તે ગ્રામપંચાયતનાં સૂચનોનો અમલ કરે છે.
4. ટૂંક નોંધ લખો :
(1) મહાનગરપાલિકાનાં કાર્યો વિગતે લખો.
- મહાનગરપાલિકાનાં મુખ્ય કાર્યો નીચે પ્રમાણે છે :
- જાહેર સ્વચ્છતા અને જાહેર આરોગ્યની જાળવણી કરવી.
- શહેરના લોકોને પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવું.
- ગંદા પાણીના તેમજ વરસાદના પાણીના નિકાલ માટે ગટર યોજનાની વ્યવસ્થા કરવી.
- શહેરમાં સાફસફાઈ કરાવવી તેમજ ગંદા કચરાનો નિકાલ કરવો.
- પાકા રસ્તાઓ તૈયાર કરાવવા, સમરાવવા અને તેમને સ્વચ્છ રાખવા.
- શહેરના રસ્તાઓ પર દીવાબત્તી(સ્ટ્રીટ લાઈટ)ની વ્યવસ્થા કરવી.
- પ્રાથમિક શિક્ષણનો પ્રબંધ કરવો.
- આગ બુઝાવવા માટેનું તંત્ર (ફાયર બ્રિગેડ) ઊભું કરવું.
- જન્મ-મરણ તેમજ લગ્નની નોંધ રાખવી.
- ખાદ્યસામગ્રીમાં થતી ભેળસેળ અટકાવવી.
- જાહેર દવાખાનાં, પુસ્તકાલય, ક્રીડાંગણો, બાગબગીચા વગેરે બાંધવાં અને તેમનું સંચાલન કરવું.
(2) સામાજિક ન્યાય સમિતિ
- સામાજિક ન્યાયસમિતિ સમાજના નબળા વર્ગોને શિક્ષણ, સ્વાથ્ય તેમજ સામાજિક અને આર્થિક સગવડો મળે એવી યોજનાઓ બનાવવા અને તેનો અમલ કરવા સામાજિક ન્યાયસમિતિની રચના કરવામાં આવે છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કક્ષાએ આ સમિતિ પાંચ સભ્યોની બનેલી હોય છે. પંચાયતીરાજના ત્રણેય સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના ફરજિયાત છે. આ સમિતિનું કાર્ય સમાજના નબળા વર્ગના લોકોને ન્યાય આપવાનું છે.

(3) પંચાયતીરાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા
- કલેક્ટર સમગ્ર જિલ્લાના વહીવટી વડા છે.
- તે જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની પણ કામગીરી બજાવે છે.
- તે જિલ્લા સ્તરે બધા વિભાગોનાં કામોનું સંકલન અને સંચાલન કરે છે.
- તે સમગ્ર જિલ્લાના વિકાસ માટે બનેલી જિલ્લા આયોજન સમિતિના સચિવ તરીકે કામ કરે છે.
- તે ગ્રામપંચાયતના સભ્યોની સંખ્યા નક્કી કરે ખરેખર, પંચાયતીરાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા ખૂબ છે.
- તે ગ્રામપંચાયતની અનામત બેઠકોની ફાળવણી કરે છે.
- અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો તથા મહિલાઓ માટે સરપંચનો હોદો અનામત રાખવાનો નિર્ણય કલેક્ટર કરે છે.
Sthanik Sarkar PDF download
સ્થાનિક સરકાર (PDF ડાઉનલોડ કરવા માટે પાઠના નામ પર ક્લિક કરો) |
Other Chapter PDF Download
ક્રમ | જે પાઠની PDF ડાઉનલોડ કરવી હોય એ પાઠના નામ પર ક્લિક કરો |
---|---|
15 | સરકાર |
14 | વિવિધતામાં એકતા |
13 | ભારત : ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન |
12 | નકશો સમજીએ |
11 | ભૂમિસ્વરૂપો |
10 | પૃથ્વીનાં આવરણો |
09 | આપણું ઘર : પૃથ્વી |
08 | ભારતવર્ષની ભવ્યતા |
07 | ગુપ્તયુગ અને અન્ય શાસકો |
06 | મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક |
05 | શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર |
04 | ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા |
03 | પ્રાચીન નગરો અને ગ્રંથો |
02 | આદિમાનવથી સ્થાયી જીવનની સફર |
01 | ચાલો, ઈતિહાસ જાણીએ |
FAQ’s About સ્થાનિક સરકાર | Sthanik Sarkar
આપણે પંચાયતીરાજનું ……….. સ્તરનું માળખું કે સ્વીકારેલ છે.
ત્રણ
ગ્રામપંચાયતનો વહીવટ કરવા સરકાર તરફથી ……….. ની નિમણૂક કરવામાં આવે છે.
તલાટી-કમ-મંત્રી (ગ્રામ પંચાયત સેક્રેટરી)
તાલુકાના વહીવટી વડાને ……….. કહે છે.
તાલુકા વિકાસ અધિકારી (T.D.O.)
સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર ……….. પંચાયત છે.
જિલ્લા
ગ્રામપંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું ……….. વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે.
બે
મામલતદાર કઈ કક્ષાના વહીવટી અધિકારી છે ?
મામલતદાર તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે.
જિલ્લાના વહીવટી વડા કોણ હોય છે ?
જિલ્લાના વહીવટી વડા કલેક્ટર હોય છે.
મહાનગરપાલિકાના વહીવટી વડા કોને ગણવામાં આવે છે ?
મ્યુનિસિપલ કમિશનરને મહાનગરપાલિકાના વહીવટી વડા ગણવામાં આવે છે.
મહાનગરપાલિકામાં કેટલા ટકા મહિલા અનામત સભ્યો હોય છે ?
મહાનગરપાલિકામાં 50 % મહિલા અનામત સભ્યો હોય છે.
મેયર પોતાના હોદ્દા પર કેટલી મુદત માટે રહી શકે છે ?
મેયર પોતાના હોદ્દા પર અઢી વર્ષ માટે રહી શકે છે.
ગ્રામપંચાયતનાં કાર્યો જણાવો.
ગ્રામપંચાયતનાં કાર્યો આ પ્રમાણે છે :
ગામના દરેક ઘરને નંબર આપવા.
ઘરવપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી.
ગામમાં જાહેર રસ્તાઓ બનાવવા.
ગામના રસ્તાઓની સફાઈ કરાવવી તેમજ ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવી.
જાહેર મિલકતોની જાળવણી કરવી.
ગામમાં આરોગ્યવિષયક સગવડો ઊભી કરવી તેમજ તેની જાળવણી કરવી.
ગામમાં દીવાબત્તી(લાઈટ)ની વ્યવસ્થા કરવી.
ગામમાં પ્રાથમિક શિક્ષણની સુવિધા ઊભી કરવી તેમજ એ શિક્ષણ માટે જનજાગૃતિ અને ફેલાવો કરવો.
ગ્રામવિકાસનું આયોજન કરવું.
ગામનાં ખેતરોના પાકોની સંભાળ રાખવી તેમજ ગૌચરની જાળવણી કરવી.
જમીન-દફતરની જાળવણી કરવી.
જન્મ-મરણનું રજિસ્ટર રાખવું અને તેમાં નોંધ કરવી.
સ્થાનિક સરકાર એટલે શું ? સમજાવો.
સ્થાનિક કક્ષાએ લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. એ પ્રતિનિધિઓ તે સંસ્થાનો વહીવટ કરે છે. તેને “સ્થાનિક સ્વરાજ્ય” કહેવામાં આવે છે. આ પ્રકારની સંસ્થાઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવાય છે. ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે.
તલાટી-કમ-મંત્રી કયાં કયાં કાર્યો કરે છે ?
તલાટી-કમ-મંત્રી નીચે મુજબના કાર્યો કરે છે
તે ગ્રામપંચાયતનો વહીવટ કરે છે.
તે કરવેરાની વસૂલાત કરે છે.
તે ગ્રામપંચાયતના અહેવાલ, પત્રકો અને અંદાજપત્ર તૈયાર કરી તેના હિસાબો રાખવાનું કામ કરે છે.
તે ગ્રામપંચાયતનાં સૂચનોનો અમલ કરે છે.
મહાનગરપાલિકાનાં કાર્યો વિગતે લખો.
મહાનગરપાલિકાનાં મુખ્ય કાર્યો નીચે પ્રમાણે છે :
જાહેર સ્વચ્છતા અને જાહેર આરોગ્યની જાળવણી કરવી.
શહેરના લોકોને પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવું.
ગંદા પાણીના તેમજ વરસાદના પાણીના નિકાલ માટે ગટર યોજનાની વ્યવસ્થા કરવી.
શહેરમાં સાફસફાઈ કરાવવી તેમજ ગંદા કચરાનો નિકાલ કરવો.
પાકા રસ્તાઓ તૈયાર કરાવવા, સમરાવવા અને તેમને સ્વચ્છ રાખવા.
શહેરના રસ્તાઓ પર દીવાબત્તી(સ્ટ્રીટ લાઈટ)ની વ્યવસ્થા કરવી.
પ્રાથમિક શિક્ષણનો પ્રબંધ કરવો.
આગ બુઝાવવા માટેનું તંત્ર (ફાયર બ્રિગેડ) ઊભું કરવું.
જન્મ-મરણ તેમજ લગ્નની નોંધ રાખવી.
ખાદ્યસામગ્રીમાં થતી ભેળસેળ અટકાવવી.
જાહેર દવાખાનાં, પુસ્તકાલય, ક્રીડાંગણો, બાગબગીચા વગેરે બાંધવાં અને તેમનું સંચાલન કરવું.
સામાજિક ન્યાય સમિતિ
સામાજિક ન્યાયસમિતિ સમાજના નબળા વર્ગોને શિક્ષણ, સ્વાથ્ય તેમજ સામાજિક અને આર્થિક સગવડો મળે એવી યોજનાઓ બનાવવા અને તેનો અમલ કરવા સામાજિક ન્યાયસમિતિની રચના કરવામાં આવે છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કક્ષાએ આ સમિતિ પાંચ સભ્યોની બનેલી હોય છે. પંચાયતીરાજના ત્રણેય સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના ફરજિયાત છે. આ સમિતિનું કાર્ય સમાજના નબળા વર્ગના લોકોને ન્યાય આપવાનું છે.
પંચાયતીરાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા
કલેક્ટર સમગ્ર જિલ્લાના વહીવટી વડા છે.
તે જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની પણ કામગીરી બજાવે છે.
તે જિલ્લા સ્તરે બધા વિભાગોનાં કામોનું સંકલન અને સંચાલન કરે છે.
તે સમગ્ર જિલ્લાના વિકાસ માટે બનેલી જિલ્લા આયોજન સમિતિના સચિવ તરીકે કામ કરે છે.
તે ગ્રામપંચાયતના સભ્યોની સંખ્યા નક્કી કરે ખરેખર, પંચાયતીરાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા ખૂબ છે.
તે ગ્રામપંચાયતની અનામત બેઠકોની ફાળવણી કરે છે.
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો તથા મહિલાઓ માટે સરપંચનો હોદો અનામત રાખવાનો નિર્ણય કલેક્ટર કરે છે.
2 thoughts on “સ્થાનિક સરકાર | Sthanik Sarkar”