
Kathputalikala – Bharatno sanskrutik varso – કઠપૂતળીકળા – ભારતનો સાંસ્કૃતિક વારસો
ભારતની કઠપૂતળીકળા
- કઠપૂતળી એટલે “કાષ્ઠ (લાકડું)માંથી બનેલ ઢીંગલી-ઢીંગલા”
- કઠપૂતળીકળા એ ભારતમાં લોકમનોરંજનનાં પ્રાચીનતમ સ્વરૂપોમાંનું એક છે.
- આ કળાની શોધ એ માનવજાતિની ઉલ્લેખનીય અને મહત્ત્વપૂર્ણ શોધોમાંની એક છે.
- તે એક નાટકીય ખેલ છે. જેમાં લાકડી, કાગળ અને પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી કઠપૂતળી(ઢીંગલા-ઢીંગલી) બનાવીને તેના વિવિધ કરતબો લોકોને બતવવામાં આવે છે.
- આ ખેલ થકી લોકજીવનના સામાજિક પ્રસંગો, ધાર્મિક-પૌરાણિક આખ્યાનોનું પ્રદર્શન કરવામાં આવે છે.
- આ કઠપૂતળીઓનું પ્રદર્શન વિશેષ તાલીમ ધરાવતા કલાકારો દ્વારા કરવામાં આવે છે.
ભારતમાં કઠપૂતળીનો ઈતિહાસ
- ભારતમાં સદીઓથી પારંપરિક મનોરંજન તરીકે કઠપૂતળી કળાનું મહત્ત્વપૂર્ણ સ્થાન રહ્યું છે.
- સિંધુખીણ સભ્યતાના “મોંહે-જો-દડો” અને “હડપ્પા” જેવાં સ્થળોએથી ઉત્ખનન દરમિયાન સોકેટયુક્ત કઠપૂતળીઓના અવશેષ મળી આવ્યા છે. જે તત્કાલીન લોકોના મનોરંજનનું માધ્યમ દર્શાવે છે.
- ઈ.સ. પૂર્વેની ચૌથી સદીમાં મહાકવિ પાણિની રચિત સંસ્કૃત ગ્રંથ “અષ્ટાધ્યાયી” ના “નટસૂત્ર”માં “પૂતલા” નાટકનો ઉલ્લેખ મળી આવે છે.
- પરંતુ કઠપૂતળીનો સૌપ્રથમ લિખિત ઉલ્લેખ ઈ.સ. પૂર્વેની પહેલી સદી આસપાસ રચિત તમિલ ગ્રંથ “શિલપ્પાદિકારમ”માં મળે છે.
- ભારતમાં કઠપૂતળીકળાના વિષયવસ્તુ તરીકે પૌરાણિક કથાઓ, લોકકથાઓ, સામાજિક વિષયો સાથે હાસ્ય-વ્યંગ, જ્ઞાન અને મનોરંજનનો ઉદ્દેશ છે.
- ભારતમાં ક્ષેત્રીય સ્તરે કઠપૂતળીની અનેક પરંપરાઓ વિકસી છે. વિભિન્ન ક્ષેત્રોની કઠપૂતળીઓની પોતાની એક ખાસ ઓળખ છે. જેમાં ચિત્રકળા, મૂર્તિકળા, સંગીત, નૃત્ય, પહેરવેશ વગેરેની ક્ષેત્રીયશૈલીનો પ્રભાવ જોવા મળે છે.
- વર્તમાનમાં કઠપૂતળીકળા પ્રોત્સાહનના અભાવ અને લોકોની રસરુચિમાં બદલાવને કારણે ક્રમશઃ લુપ્ત થઈ રહી છે.
- ઘણી જગ્યાએ પર્યાવરણના સંરક્ષણ અને સાંસ્કૃતિક વિરાસત વિશે લોકોમાં જાગૃતિ લાવતા કાર્યક્રમમાં કઠપૂતળી કળાની મદદ લેવાય છે.
કઠપૂતળીકળાના પ્રકારો
- સૂત્ર કઠપૂતળી
- કઠપૂતળી
- ગોમ્બાયેટ્ટા
- બોમ્બાટ્ટમ
- કુંધેઈ (કુંઢેઈ)
- કલાસૂત્રી
- બહુલીયા
- છાયા કઠપૂતળી
- થોલૂ બોમ્માલટા
- રાવણછાયા
- તોગાલુ ગોમ્બાયેટ્ટા
- દસ્તાના કઠપૂતળી
- પાવાકૂથુ
- છડી કઠપૂતળી
- યમપુરી
- પુત્તુલ નાચ
સૂત્ર (દોરા કે ધાગા) કઠપૂતળી
- ભારતમાં સૂત્ર કઠપૂતળીની પરંપરા અતિ પ્રાચીન હોવાની સાથે સમૃદ્ધતા પણ ધરાવે છે.
- તેમાં કઠપૂતળીઓ સુતરાઉ કાપડ, લાકડી કે તારની બનેલી હોય છે, જેને સુંદર વસ્ત્રોથી સજાવવામાં આવે છે.
- કઠપૂતળીઓના આંખ, નાક, કાન, હોઠ વગેરેને વિશેષ રીતે દર્શાવવા માટે તૈલીય રંગોનો ઉપયોગ થાય છે.
- તેમાં ઘણા દોરા (સૂત્ર)નો ઉપયોગ થતો હોવાને કારણે કઠપૂતળીઓનું સંચાલન ખૂબ સરળ થઈ જાય છે.
- રાજસ્થાન, ઓડિશા, કર્ણાટક અને તામિલનાડુમાં આ કઠપૂતળી કળા પ્રચલિત છે.

કઠપૂતળી (રાજસ્થાન)
- તે રાજસ્થાન ક્ષેત્રનો પ્રચલિત કઠપૂતળીનો પ્રકાર છે.
- તેમાં કઠપૂતળીઓ પરંપરાગત રાજસ્થાની વસ્ત્રોથી સજ્જ હોય છે.
- તેની એક વિશેષતામાં કઠપૂતળીઓને પગ હોતા નથી તથા કઠપૂતળી સંચાલક પોતાની આંગળીઓમાં બાંધેલા બે કે પાંચ દોરાથી તેનું સંચાલન કરે છે.
- રાજસ્થાની લોકકથાઓ અને લોકસંગીત સાથે તેનું પ્રદર્શન કરવામાં આવે છે.
ગોમ્બાયેટ્ટા
- કર્ણાટકની સૂત્ર કઠપૂતળીઓને “ગોમ્બાયેટ્ટા” કહે છે.
- તેમાં લોકનાટ્ય યક્ષગાનના વિવિધ પ્રસંગો-પાત્રો અનુસાર કઠપૂતળીઓને તૈયાર કરવામાં આવે છે. આ કઠપૂતળીઓને નચાવવા માટે એકથી વધારે કલાકારોની જરૂર પડે છે.
બોમ્માલટ્ટમ
- તે તામિલનાડુ ક્ષેત્રનો કઠપૂતળી પ્રકાર છે. તેમાં છડી અને સૂત્ર કઠપૂતળીની વિશેષતાઓનું સંયોજન જોવા મળે છે.
- ભારતમાં જોવા મળતી અન્ય કઠપૂતળીઓની સરખામણીમાં બોમ્માલટ્ટમ કઠપૂતળીઓ આકારમાં સૌથી મોટી અને ભારે હોય છે.
- તેમાં ધાગા (દોરા) અને લોખંડના તારનો પણ ઉપયોગ થાય છે.
- બોમ્માલટ્ટમમાં વિષય તરીકે મહાકાવ્યો અને પૌરાણિક પ્રસંગો હોય છે.
કુનઢેઈ (કુંઢેઈ)
- ઓડિશાની સૂત્ર કઠપૂતળીઓ “કુંઢેઈ” તરીકે ઓળખાય છે.
- આ કઠપૂતળીઓ હળવા લાકડામાંથી બનાવવામાં આવે છે. તેને પગ નથી હોતા. આથી તેને લાંબો ઘાઘરો પહેરાવવામાં આવે છે.
- સામાન્ય રીતે તેમાં દોરા વધારે હોય છે. આથી ક્લાકારને કઠપૂતળીનું સંચાલન કરવામાં સરળતા રહે છે.
- આ કઠપૂતળી પરંપરા પર ઓડિશી નૃત્યનો પ્રભાવ રહેલો છે.
કલાસૂત્રી બહુલીયા
- તે મુખ્યત્વે મહારાષ્ટ્રની પરંપરાગત દોરીથી સંચાલિત કઠપૂતળીની કળા છે.
- તેને દોરીથી કૌશલયુક્ત ઢીંગલી (Thread Skill Doll) તરીકે ઓળખવામાં આવે છે.
- આ ઢીંગલીઓને કલાત્મક રીતે કાપવામાં આવે છે અને રંગવામાં આવે છે.
- હાલમાં આ કળા લગભગ લુપ્તપ્રાય અવસ્થામાં છે.
છાયા કઠપૂતળી
- ભારતનાં વિભિન્ન ક્ષેત્રોમાં છાયા કઠપૂતળીની સમૃદ્ધ પરંપરા વિકસી છે.
- આ કઠપૂતળીઓ ચપટી આકારની હોય છે તથા ચામડામાંથી બનાવાય છે.
- કઠપૂતળીઓ સફેદ કપડાની પાછળ રાખવામાં આવે છે અને તેના પર પાછળથી પ્રકાશ ફેંકવામાં આવે છે. આથી પડદાના આગળના ભાગ પર છાયા ચિત્ર બને છે.

થોલૂ બોમ્માલટા
- તે આંધ્રપ્રદેશની છાયા કઠપૂતળી છે.
- આ કઠપૂતળીઓનો આકાર મોટો હોય છે અને બંને બાજુ રંગેલી હોવાથી પડદા પર રંગીન છાયા પડે છે.
- તેમાં શાસ્ત્રીય સંગીત સાથે મહાકાવ્યો, પુરાણોની કથાઓ આધારિત પ્રદર્શન હોય છે.
રાવણછાયા
- તે ઓડિશા ક્ષેત્રમાં મનોરંજનનું લોકપ્રિય સ્વરૂપ છે.
- આ કઠપૂતળીઓ હરણના ચામડામાંથી બનાવેલી હોય છે.
- આ કઠપૂતળીઓ એકાંગી હોય છે અને તેમાં કોઈ જોડ (સાંધો) ન હોવાથી તેનું સંચાલન મુશ્કેલ થઈ જાય છે. ઉપરાંત આ કઠપૂતળીઓ રંગીન પણ ન હોવાથી પડદા પર તેમની છાયા શ્વેત-શ્યામ જ પડે છે.
- રાવણછાયામાં માનવ ઉપરાંત વૃક્ષો, પર્વતો, પ્રાણીઓની કઠપૂતળીઓનો પણ પ્રયોગ થાય છે.
- તેમાં વિષયવસ્તુ તરીકે રામાયણની કથાઓ હોય છે.
તોગાલુ ગોમ્બાયેટ્ટા
- તે કર્ણાટકની લોકપ્રિય “છાયા” કઠપૂતળી છે.
- તેમાં કઠપૂતળીઓનો આકાર તેમની સામાજિક સ્થિતિ અનુસાર ભિન્ન-ભિન્ન હોય છે. જેમ કે રાજાઓ, ધાર્મિક પાત્રોની કઠપૂતળીઓ આકારમાં મોટી અને સામાન્ય લોકોની કઠપૂતળીઓ આકારમાં નાની હોય છે.
દસ્તાના કઠપૂતળી
- કલાકાર આ કઠપૂતળીને હાથમાં પહેરી શકતો હોવાથી તેને “હથેળીની કઠપૂતળી” તરીકે પણ ઓળખવામાં આવે છે.
- કલાકારની આંગળીઓ જ કઠપૂતળીના હાથ અને માથું બનીને કાર્ય કરે છે.
- આ કઠપૂતળીઓ કાપડ, લાકડી કે કાગળની બનેલી હોય છે.
- સામાન્ય રીતે ડ્રમ કે ઢોલના લયબદ્ધ તાલ સાથે તેનું પ્રદર્શન કરવામાં આવે છે.

પાવાકૂથુ
- તે કેરળની પરંપરાગત કઠપૂતળી છે.
- તે 18મી સદીમાં કેરળના શાસ્ત્રીય નૃત્ય કથકલીનાં પ્રભાવને કારણે અસ્તિત્વમાં આવી હતી.
- પાવાકૂથુમાં કઠપૂતળીની લંબાઈ એકથી બે ફૂટ જેટલી હોય છે.
- પૂતળીના ચહેરાને સજાવવા રંગ, મોરપીંછ, ચમકતા ટીનના ટુકડાનો ઉપયોગ થાય છે.
- આ કઠપૂતળીકળા રામાયણ અને મહાભારતની કથાઓ પર આધારિત છે.
છડી કઠપૂતળી
- તે દસ્તાના કઠપૂતળીનું જ આગળનું ચરણ છે.
- આ કઠપૂતળી દસ્તાના કઠપૂતળીથી આકારમાં મોટી હોય છે.
- કલાકાર પડદા પાછળથી છડીની મદદથી કઠપૂતળીઓને નિયંત્રિત કરે છે.
- તે મુખ્યત્વે પૂર્વી ભારત (ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને ઓડિશા) માં લોકપ્રિય છે.

યમપુરી
- તે બિહારની પરંપરાગત કઠપૂતળીકળા છે.
- તે લાકડીના એક જ ટુકડામાંથી બને છે એટલે તેમાં સાંધો કે જોડ નથી હોતા. આથી અન્ય કઠપૂતળીઓ કરતાં તેના સંચાલન માટે વિશેષ નિપુણતાની જરૂર પડે છે.
પુત્તુલ નાચ
- તે બંગાળ–ઓડિશા–અસમ ક્ષેત્રની પારંપરિક છડી કઠપૂતળીકળા છે.
- આ કઠપૂતળીઓ કાષ્ઠ (લાકડું) નિર્મિત હોય છે તથા તે 3-4 ફૂટ ઊંચી હોય છે.
- પુત્તુલ નાચ કઠપૂતળીના પોશાકો લોકનાટ્ય જાત્રાના કલાકારોના પોશાકોને સમાન હોય છે.
- કલાકાર વાસના ઊંચા પડદા પાછળ ઊભો રહે છે અને કમરમાં બાંધેલી છડીના માધ્યમથી કઠપૂતળીઓને નિયંત્રિત કરે છે.
આદિવાસી કઠપૂતળી કળા

ચદર બદર
- આ કઠપૂતળી ઝારખંડના સંથાલ જાતિ દ્વારા બનાવવામાં આવે છે. તે સંથાલ લોકોના રીત-રિવાજોને દર્શાવે છે.
- રવિ દ્વિવેદી, સુકન માર્ટી અને દમન મૂર્મુ દ્વારા આ કળાને પુન:જીવિત કરવામાં આવી.
કરમ પુટુલ
- કરમ પુટુલ એ મુંડા આદિવાસીની કઠપૂતળીની કળા છે.
- તે કરમ અને જેક ફ્રુટ ઝાડમાંથી બનેલી કઠપૂતળી છે.
આ પોસ્ટમાં કોઈપણ જગ્યાએ ટાઈપિંગ ની ભૂલ જણાય તો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો જેથી આપણે એ ભૂલને સુધારી શકીએ.
Education Vala