અરદેશર ખબરદાર | Ardeshar Khabardar

અરદેશર ખબરદાર | Ardeshar Khabardar

સદાકાળ ગુજરાત : અરદેશર ખબરદાર

નામઅરદેશર ખબરદાર
પૂરું નામઅરદેશર ફરામજી ખબરદાર
જન્મ6 નવેમ્બર, 1881
જન્મસ્થળદમણ
ઉપનામઅદલ, ગુજરાતી ભાષાના પ્રથમ રાષ્ટ્રીય શાયર (રા.વી. પાઠક દ્વારા) મોટાલાલ, લખાભગત, આલુ કવિ, હુન્નરસિંહ મહેતા,પારસી બુચા કવિ, શ્રીધર, શેષાદ્રી
અવસાન30 જુલાઈ, 1953
  • કવિ, વિવેચક અને નાટ્યકાર અરદેશર ફરામજી ખબરદારે “સદાકાળ ગુજરાત” રચીને ગુજરાતના કવિઓ તેમજ વી૨ પુરુષોને અંજલિ આપી છે.
  • તેમણે માધ્યમિક શિક્ષણ મુંબઈની “ન્યૂ ભરડા હાઈસ્કુલ” માંથી લીધું હતું.
  • તેમણે મદ્રાસમાં મોટર-સાઈકલના સામાનનો ધંધો શરૂ કર્યો હતો.
  • તેમણે પહેલા કાવ્યસંગ્રહ “કાવ્યરસિકા”માં દલપતશૈલીને અનુસરીને જ્યારે “વિલાસિકા” કાવ્યસંગ્રહમાં નરસિંહરાવ દિવેટિયાને અનુસરીને પ્રકૃતિ કાવ્યો આપ્યા છે.
  • વર્ષ 1909માં “ભારતનો ટંકાર”માં રાષ્ટ્રભક્તિના પ્રેરક કાવ્યો આપી તેઓ પ્રથમ રાષ્ટ્રીય શાયર બન્યા હતા.
  • તેમણે ગુજરાતનું સૌપ્રથમ રાજદ્રોહી કાવ્ય “રત્નહરણ” લખ્યું હતું.
  • વર્ષ 1941માં ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ ચૂંટાયા હતા.

સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ

નાટકમનુરાજ (વિશ્વનાટિકા)
કાવ્યસંગ્રહકાવ્યરસિકા, વિલાસિકા, રાસચંદ્રિકા ભાગ 1 અને 2, પ્રકાશિકા, સંદેશિકા, કીર્તનિકા (છેલ્લી રચના 1953), ભારતનો ટંકાર (ખંડકાવ્ય), ગુણવંતી ગુજરાત, ભારત ભૂમિનું જયગાન, સદાકાળ ગુજરાત

પંક્તિઓ

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત

જન્મીને જીવવું તે નહીં જીવવું,
જીવન સુંદ૨ જીવે તે નવાઈ.

માનવી ! ઊઠીને ઊભો થા પૂર્ણ તું
ગુણવંતી ગુજરાત ! અમા૨ી ગુણવંતી ગુજરાત

જ્યાં જ્યાં ગુજરાતી બોલાતી,
ત્યાં ત્યાં ગુર્જરી મહોલાત

અન્ય સાહિત્યકાર

સાહિત્યકારવાંચવા માટે
ન્હાનાલાલઅહી ક્લિક કરો
બળવંતરાય ઠાકોરઅહી ક્લિક કરો
કવિ કાન્તઅહી ક્લિક કરો
કલાપીઅહી ક્લિક કરો
આનંદશંકર ધ્રુવઅહી ક્લિક કરો

1 thought on “અરદેશર ખબરદાર | Ardeshar Khabardar”

Leave a Comment

error: Content is protected !!