અરદેશર ખબરદાર | Ardeshar Khabardar
સદાકાળ ગુજરાત : અરદેશર ખબરદાર
નામ | અરદેશર ખબરદાર |
પૂરું નામ | અરદેશર ફરામજી ખબરદાર |
જન્મ | 6 નવેમ્બર, 1881 |
જન્મસ્થળ | દમણ |
ઉપનામ | અદલ, ગુજરાતી ભાષાના પ્રથમ રાષ્ટ્રીય શાયર (રા.વી. પાઠક દ્વારા) મોટાલાલ, લખાભગત, આલુ કવિ, હુન્નરસિંહ મહેતા,પારસી બુચા કવિ, શ્રીધર, શેષાદ્રી |
અવસાન | 30 જુલાઈ, 1953 |
- કવિ, વિવેચક અને નાટ્યકાર અરદેશર ફરામજી ખબરદારે “સદાકાળ ગુજરાત” રચીને ગુજરાતના કવિઓ તેમજ વી૨ પુરુષોને અંજલિ આપી છે.
- તેમણે માધ્યમિક શિક્ષણ મુંબઈની “ન્યૂ ભરડા હાઈસ્કુલ” માંથી લીધું હતું.
- તેમણે મદ્રાસમાં મોટર-સાઈકલના સામાનનો ધંધો શરૂ કર્યો હતો.
- તેમણે પહેલા કાવ્યસંગ્રહ “કાવ્યરસિકા”માં દલપતશૈલીને અનુસરીને જ્યારે “વિલાસિકા” કાવ્યસંગ્રહમાં નરસિંહરાવ દિવેટિયાને અનુસરીને પ્રકૃતિ કાવ્યો આપ્યા છે.
- વર્ષ 1909માં “ભારતનો ટંકાર”માં રાષ્ટ્રભક્તિના પ્રેરક કાવ્યો આપી તેઓ પ્રથમ રાષ્ટ્રીય શાયર બન્યા હતા.
- તેમણે ગુજરાતનું સૌપ્રથમ રાજદ્રોહી કાવ્ય “રત્નહરણ” લખ્યું હતું.
- વર્ષ 1941માં ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ ચૂંટાયા હતા.
સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ
નાટક | મનુરાજ (વિશ્વનાટિકા) |
કાવ્યસંગ્રહ | કાવ્યરસિકા, વિલાસિકા, રાસચંદ્રિકા ભાગ 1 અને 2, પ્રકાશિકા, સંદેશિકા, કીર્તનિકા (છેલ્લી રચના 1953), ભારતનો ટંકાર (ખંડકાવ્ય), ગુણવંતી ગુજરાત, ભારત ભૂમિનું જયગાન, સદાકાળ ગુજરાત |
પંક્તિઓ
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
જન્મીને જીવવું તે નહીં જીવવું,
જીવન સુંદ૨ જીવે તે નવાઈ.
માનવી ! ઊઠીને ઊભો થા પૂર્ણ તું
ગુણવંતી ગુજરાત ! અમા૨ી ગુણવંતી ગુજરાત
જ્યાં જ્યાં ગુજરાતી બોલાતી,
ત્યાં ત્યાં ગુર્જરી મહોલાત
અન્ય સાહિત્યકાર
સાહિત્યકાર | વાંચવા માટે |
---|---|
ન્હાનાલાલ | અહી ક્લિક કરો |
બળવંતરાય ઠાકોર | અહી ક્લિક કરો |
કવિ કાન્ત | અહી ક્લિક કરો |
કલાપી | અહી ક્લિક કરો |
આનંદશંકર ધ્રુવ | અહી ક્લિક કરો |
1 thought on “અરદેશર ખબરદાર | Ardeshar Khabardar”