બળવંતરાય ઠાકોર | Balwantray Thakore
ગુજરાતી સોનેટ કાવ્યના પિતા : બ. ક. ઠાકોર
નામ | બ. ક. ઠાકોર |
પૂરું નામ | બળવંતરાય કલ્યાણરાય ઠાકોર |
જન્મ | 23 ઓક્ટોબર, 1869 |
જન્મસ્થળ | ભરૂચ |
ઉપનામ | સેહની, વલ્કલ |
બિરુદ | આધુનિક કવિતાના જ્યોતિર્ધર, સોનેટ ના પિતા, અગેય પ્રવાહીના સર્જક |
અવસાન | 2 જાન્યુઆરી, 1952 |
- અર્વાચીન ગુજરાતી કવિતાને નવો વળાંક આપનાર કવિ બ.ક. ઠાકોરે વિવેચન માટે “કલાસખી” અને “શાસ્ત્રશખી” શબ્દનો પ્રયોગ કર્યો હતો.
- પ્રસિદ્ધ કાવ્ય આરોહણ, રાજ્યાભિષેકની રાત તથા ચોપાટીને બાંકેડમાં એમણે ભૂત,વર્તમાન અને ભાવિના સંદર્ભમાં સમગ્રપણે ભારતીય સંસ્કૃતિનું ચિંતન-દર્શન કર્યું છે.
- તેમણે ગુજરાતી સાહિત્યમાં આપેલ “સોનેટ” થી નવા સાહિત્યપ્રકારનો પ્રારંભ કર્યો.
- ગુજરાતી સોનેટ કવિતા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરેલું છે. આ સાહિત્યપ્રકાર ઈટાલીમાં મહાકવિ દાન્તે ખેડયો છે જે હંમેશા “14” પંકિતમાં જ લખાય છે.
- ઈ.સ.1887માં ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ સોનેટ “ભણકાર” હતું.
- તેમણે ગુજરાતીમાં મિલ્ટોનિક સોનેટને લોકપ્રિય કર્યું હતું.
- ભણકારની કવિતા ત્રણ પાસાઓને સાથે લઈને ચાલે છે. પ્રકૃતિ, પ્રણય અને ચિંતન.
- બળવંતરાય પોચટ કવિતાના પ્રખર વિરોધી હતા. તેમનો પ્રિય છંદ પૃથ્વી હતો.
- તેઓ ગદ્ય અને પદ્ય એમ બંને પ્રકારોમાં સાહિત્યસર્જન કરતા.
- તેમનું પ્રથમ સંબોધન કાવ્ય “રાજહંસને સંબોધન” છે.
- તેમને ગુજરાતી ભાષાના પ્રથમ ભવિષ્યવાદી કવિ (Futurist Poet) ગણવામાં આવે છે.
- વર્ષ 2018માં તેમના જન્મની સાર્ધશતાબ્દી (150મી જન્મજયંતી)ની ઊજવણી કરવામાં આવી હતી.
સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ
સોનેટ | ભણકાર ધારા ભાગ 1 અને 2 (વર્ષાની એક સુંદર સાંજ, વધામણી, જૂનું પિયરઘર, મોગરો, પ્રેમની ઉષા, મ્હારા સોનેટ, અદ્રષ્ટિદર્શન) |
કાવ્ય સંગ્રહ | યુગ મુબારક, માજીનું સ્ત્રોત, ગાંડી ગુજરાત, ખેતી |
નાટક | ઊગતી જુવાની, લગ્નમાં બ્રહ્મચર્ય અથવા સંયોગે વિયોગ |
વાર્તાસંગ્રહ | દર્શનિયું |
ભાષાંતર | માલવિકાગ્નિમિત્રમ્, અભિજ્ઞાન શાકુંતલમ્ (મૂળ આ બંને કૃતિ મહાકવિ કાલિદાસના સંસ્કૃત નાટકો છે.) |
પંક્તિઓ
નિશાન ચૂક માફ,
નહીં માફ નીચું નિશાન
જીતવું દિલ જીતવાનું કામ છે,
જિંદગી ઝિંદાદિલીનું નામ છે.
પ્રિયે, તુજ લટે ધરુ ધવલ સ્વચ્છ આ મોગરો
બેસી ખાટે પિય૨ઘ૨માં જિંદગી જોઈ સા૨ી,
ત્યારે જાણી અનહદ ગતિ, નાથ મ્હારા ત્હમારી
વ્હાલા મારા, નિશદિન હવે થાય ઝંખા હમારી
આવો આપો પરિચિત પ્રતીતિ બધી ચિત્તહારી
નોંધ : 1887નું વર્ષ ગુજરાતી સાહિત્યનું સુવર્ણ વર્ષ ગણાય છે કારણ કે તે વર્ષમાં ત્રણ સાહિત્યપ્રકાર : કાવ્યસંગ્રહ મહાનવલકથા અને સોનેટ મળ્યા હતા.
અન્ય સાહિત્યકાર
સાહિત્યકાર | વાંચવા માટે |
---|---|
કવિ કાન્ત | અહી ક્લિક કરો |
કલાપી | અહી ક્લિક કરો |
આનંદશંકર ધ્રુવ | અહી ક્લિક કરો |
કેશવ હર્ષદ ધ્રુવ | અહી ક્લિક કરો |
રમણભાઈ નીલકંઠ | અહી ક્લિક કરો |