બળવંતરાય ઠાકોર | Balwantray Thakore

બળવંતરાય ઠાકોર | Balwantray Thakore

ગુજરાતી સોનેટ કાવ્યના પિતા : બ. ક. ઠાકોર

નામબ. ક. ઠાકોર
પૂરું નામબળવંતરાય કલ્યાણરાય ઠાકોર
જન્મ23 ઓક્ટોબર, 1869
જન્મસ્થળભરૂચ
ઉપનામસેહની, વલ્કલ
બિરુદઆધુનિક કવિતાના જ્યોતિર્ધર, સોનેટ ના પિતા, અગેય પ્રવાહીના સર્જક
અવસાન2 જાન્યુઆરી, 1952
  • અર્વાચીન ગુજરાતી કવિતાને નવો વળાંક આપનાર કવિ બ.ક. ઠાકોરે વિવેચન માટે “કલાસખી” અને “શાસ્ત્રશખી” શબ્દનો પ્રયોગ કર્યો હતો.
  • પ્રસિદ્ધ કાવ્ય આરોહણ, રાજ્યાભિષેકની રાત તથા ચોપાટીને બાંકેડમાં એમણે ભૂત,વર્તમાન અને ભાવિના સંદર્ભમાં સમગ્રપણે ભારતીય સંસ્કૃતિનું ચિંતન-દર્શન કર્યું છે.
  • તેમણે ગુજરાતી સાહિત્યમાં આપેલ “સોનેટ” થી નવા સાહિત્યપ્રકારનો પ્રારંભ કર્યો.
  • ગુજરાતી સોનેટ કવિતા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરેલું છે. આ સાહિત્યપ્રકાર ઈટાલીમાં મહાકવિ દાન્તે ખેડયો છે જે હંમેશા “14” પંકિતમાં જ લખાય છે.
  • ઈ.સ.1887માં ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ સોનેટ “ભણકાર” હતું.
  • તેમણે ગુજરાતીમાં મિલ્ટોનિક સોનેટને લોકપ્રિય કર્યું હતું.
  • ભણકારની કવિતા ત્રણ પાસાઓને સાથે લઈને ચાલે છે. પ્રકૃતિ, પ્રણય અને ચિંતન.
  • બળવંતરાય પોચટ કવિતાના પ્રખર વિરોધી હતા. તેમનો પ્રિય છંદ પૃથ્વી હતો.
  • તેઓ ગદ્ય અને પદ્ય એમ બંને પ્રકારોમાં સાહિત્યસર્જન કરતા.
  • તેમનું પ્રથમ સંબોધન કાવ્ય “રાજહંસને સંબોધન” છે.
  • તેમને ગુજરાતી ભાષાના પ્રથમ ભવિષ્યવાદી કવિ (Futurist Poet) ગણવામાં આવે છે.
  • વર્ષ 2018માં તેમના જન્મની સાર્ધશતાબ્દી (150મી જન્મજયંતી)ની ઊજવણી કરવામાં આવી હતી.

સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ

સોનેટભણકાર ધારા ભાગ 1 અને 2 (વર્ષાની એક સુંદર સાંજ, વધામણી, જૂનું પિયરઘર, મોગરો, પ્રેમની ઉષા, મ્હારા સોનેટ, અદ્રષ્ટિદર્શન)
કાવ્ય સંગ્રહયુગ મુબારક, માજીનું સ્ત્રોત, ગાંડી ગુજરાત, ખેતી
નાટકઊગતી જુવાની, લગ્નમાં બ્રહ્મચર્ય અથવા સંયોગે વિયોગ
વાર્તાસંગ્રહદર્શનિયું
ભાષાંતરમાલવિકાગ્નિમિત્રમ્, અભિજ્ઞાન શાકુંતલમ્ (મૂળ આ બંને કૃતિ મહાકવિ કાલિદાસના સંસ્કૃત નાટકો છે.)

પંક્તિઓ

નિશાન ચૂક માફ,
નહીં માફ નીચું નિશાન

જીતવું દિલ જીતવાનું કામ છે,
જિંદગી ઝિંદાદિલીનું નામ છે.

પ્રિયે, તુજ લટે ધરુ ધવલ સ્વચ્છ આ મોગરો

બેસી ખાટે પિય૨ઘ૨માં જિંદગી જોઈ સા૨ી,
ત્યારે જાણી અનહદ ગતિ, નાથ મ્હારા ત્હમારી

વ્હાલા મારા, નિશદિન હવે થાય ઝંખા હમારી
આવો આપો પરિચિત પ્રતીતિ બધી ચિત્તહારી

નોંધ : 1887નું વર્ષ ગુજરાતી સાહિત્યનું સુવર્ણ વર્ષ ગણાય છે કારણ કે તે વર્ષમાં ત્રણ સાહિત્યપ્રકાર : કાવ્યસંગ્રહ મહાનવલકથા અને સોનેટ મળ્યા હતા.

અન્ય સાહિત્યકાર

સાહિત્યકારવાંચવા માટે
કવિ કાન્તઅહી ક્લિક કરો
કલાપીઅહી ક્લિક કરો
આનંદશંકર ધ્રુવઅહી ક્લિક કરો
કેશવ હર્ષદ ધ્રુવઅહી ક્લિક કરો
રમણભાઈ નીલકંઠઅહી ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!