દામોદર બોટાદકર | Damodar Botadkar

વાત્સલ્ય પ્રેમના કવિ : બોટાદકર

નામબોટાદકર
પૂરું નામદામોદર ખુશાલદાસ બોટાદકર
જન્મ27 નવેમ્બર, 1870
જન્મસ્થળબોટાદ
ઉપનામસૌંદર્યદર્શી, કુટુંબ કવિ, ગૃહ જીવનના કવિ
અવસાન7 સપ્ટેમ્બર, 1924
  • તેમની મુખ્ય અટક “શાહ” હતી, પરંતુ તેઓ બોટાદના વતની હોવાથી “બોટાદકર” તરીકે ઓળખવામાં આવે છે.
  • વિશ્વનાથ ભટ્ટે તેમને સૌંદર્યદર્શી કવિ તરીકે ઓળખાવ્યા હતા.
  • તેઓ સંસ્કૃત ભાષા પર ખૂબ સારું પ્રભુત્વ ધરાવનાર સાહિત્યકાર હતા.
  • ગરબી જેવા લોકગીતોના ઢાળોમાં સ૨ળ-સ્વાભાવિક અને લોકભોગ્ય અભિવ્યક્તિ સાધી છે.
  • તેમની કવિતાઓમાં ભવ્યતાની સાથે સુંદરતા દર્શાવતો કવિનો ઉન્મેષ, કુટુંબજીવનમાં અને ખાસ કરીને સ્ત્રીહૃદયના સૂક્ષ્મ ભાવનાઓમાં દ્રષ્ટિગોચર થયા વિના રહેતો નથી.
  • તેમને કવિતા લખવાની પ્રેરણા દેવશંકર વૈકુંઠજી ભટ્ટ પાસેથી મળેલી હતી.
  • તેમની પ્રારંભિક કૃતિઓમાં “ગોકુળગીતા”, “રાસવર્ણન” અને “સુબોધ કાવ્યસંગ્રહ”નો સમાવેશ થાય છે. તેમણે “રાસ” પ્રકારની રચનાઓ પણ કરી છે.
  • “જનનીની જોડ સખી નહિ જડે રે લોલ” જે પંકિત “જનની” નામનું કાવ્ય તેમના રાસતરંગિણી કાવ્યસંગ્રહમાં સંગ્રહિત છે.
  • તેમનું પ્રથમ પ્રકાશન “શાહ પ્રણીત લાલસિંહ-સાવિત્રી” અથવા “સ્વયંવર વિધિથી સુખી દંપતિનું ચરિત્ર” નામનું નાટક છે.
  • તેમણે “પુષ્ટિમાર્ગ પ્રકાશ”નું તંત્રીપદ પણ સંભાળ્યું હતું.
  • તેમણે 23 વર્ષની ઉમરે મુંબઈના ગોસ્વામી નૃસિંહલાલજીના કારભારીનું કાર્ય સંભાળ્યું હતું.

સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ

કાવ્યસંગ્રહકિલ્લોલિની, રાસતરંગિણી, સ્ત્રોતસ્વિની, શૈવલિની (મરણોત્તર કાવ્યસંગ્રહ) બુદ્ધનું બૃહાગમન, નિર્ઝરિણી
૨ાસભાઈબીજ, માતૃગુંજન
ખંડકાવ્યએભલવાળો, અવસર, ચંદન

પંક્તિઓ

વ૨સે ધડીક વ્યોમ વાદળી રે લોલ,
માડીનો મેઘ બારેમાસ રે

જનનીની જોડ સખી ! નહિ જડે રે લોલ !

આછાં નીચે ઊછળી રહી રે પેલી વાહિની વાધે

નહીં જગ મહીં તા૨ી મૂર્તિ કો સ્થાન માંડી

એ દ્રષ્ટિ આ જગ સકલમાં પૂર્ણ સૌંદર્ય જોતી

ધોરણ

ધોરણ : 7 (સેમેસ્ટર : 2)જનની (ઉર્મિગીત)
ધોરણ : 12ઊર્મિલા (ખંડકાવ્ય)

અન્ય સાહિત્યકાર

સાહિત્યકારવાંચવા માટે
અરદેશર ખબરદારઅહી ક્લિક કરો
ન્હાનાલાલઅહી ક્લિક કરો
બળવંતરાય ઠાકોરઅહી ક્લિક કરો
કવિ કાન્તઅહી ક્લિક કરો
કલાપીઅહી ક્લિક કરો

2 thoughts on “દામોદર બોટાદકર | Damodar Botadkar”

Leave a Comment

error: Content is protected !!