વાત્સલ્ય પ્રેમના કવિ : બોટાદકર
નામ | બોટાદકર |
પૂરું નામ | દામોદર ખુશાલદાસ બોટાદકર |
જન્મ | 27 નવેમ્બર, 1870 |
જન્મસ્થળ | બોટાદ |
ઉપનામ | સૌંદર્યદર્શી, કુટુંબ કવિ, ગૃહ જીવનના કવિ |
અવસાન | 7 સપ્ટેમ્બર, 1924 |
- તેમની મુખ્ય અટક “શાહ” હતી, પરંતુ તેઓ બોટાદના વતની હોવાથી “બોટાદકર” તરીકે ઓળખવામાં આવે છે.
- વિશ્વનાથ ભટ્ટે તેમને સૌંદર્યદર્શી કવિ તરીકે ઓળખાવ્યા હતા.
- તેઓ સંસ્કૃત ભાષા પર ખૂબ સારું પ્રભુત્વ ધરાવનાર સાહિત્યકાર હતા.
- ગરબી જેવા લોકગીતોના ઢાળોમાં સ૨ળ-સ્વાભાવિક અને લોકભોગ્ય અભિવ્યક્તિ સાધી છે.
- તેમની કવિતાઓમાં ભવ્યતાની સાથે સુંદરતા દર્શાવતો કવિનો ઉન્મેષ, કુટુંબજીવનમાં અને ખાસ કરીને સ્ત્રીહૃદયના સૂક્ષ્મ ભાવનાઓમાં દ્રષ્ટિગોચર થયા વિના રહેતો નથી.
- તેમને કવિતા લખવાની પ્રેરણા દેવશંકર વૈકુંઠજી ભટ્ટ પાસેથી મળેલી હતી.
- તેમની પ્રારંભિક કૃતિઓમાં “ગોકુળગીતા”, “રાસવર્ણન” અને “સુબોધ કાવ્યસંગ્રહ”નો સમાવેશ થાય છે. તેમણે “રાસ” પ્રકારની રચનાઓ પણ કરી છે.
- “જનનીની જોડ સખી નહિ જડે રે લોલ” જે પંકિત “જનની” નામનું કાવ્ય તેમના રાસતરંગિણી કાવ્યસંગ્રહમાં સંગ્રહિત છે.
- તેમનું પ્રથમ પ્રકાશન “શાહ પ્રણીત લાલસિંહ-સાવિત્રી” અથવા “સ્વયંવર વિધિથી સુખી દંપતિનું ચરિત્ર” નામનું નાટક છે.
- તેમણે “પુષ્ટિમાર્ગ પ્રકાશ”નું તંત્રીપદ પણ સંભાળ્યું હતું.
- તેમણે 23 વર્ષની ઉમરે મુંબઈના ગોસ્વામી નૃસિંહલાલજીના કારભારીનું કાર્ય સંભાળ્યું હતું.
સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ
કાવ્યસંગ્રહ | કિલ્લોલિની, રાસતરંગિણી, સ્ત્રોતસ્વિની, શૈવલિની (મરણોત્તર કાવ્યસંગ્રહ) બુદ્ધનું બૃહાગમન, નિર્ઝરિણી |
૨ાસ | ભાઈબીજ, માતૃગુંજન |
ખંડકાવ્ય | એભલવાળો, અવસર, ચંદન |
પંક્તિઓ
વ૨સે ધડીક વ્યોમ વાદળી રે લોલ,
માડીનો મેઘ બારેમાસ રે
જનનીની જોડ સખી ! નહિ જડે રે લોલ !
આછાં નીચે ઊછળી રહી રે પેલી વાહિની વાધે
નહીં જગ મહીં તા૨ી મૂર્તિ કો સ્થાન માંડી
એ દ્રષ્ટિ આ જગ સકલમાં પૂર્ણ સૌંદર્ય જોતી
ધોરણ
ધોરણ : 7 (સેમેસ્ટર : 2) | જનની (ઉર્મિગીત) |
ધોરણ : 12 | ઊર્મિલા (ખંડકાવ્ય) |
અન્ય સાહિત્યકાર
સાહિત્યકાર | વાંચવા માટે |
---|---|
અરદેશર ખબરદાર | અહી ક્લિક કરો |
ન્હાનાલાલ | અહી ક્લિક કરો |
બળવંતરાય ઠાકોર | અહી ક્લિક કરો |
કવિ કાન્ત | અહી ક્લિક કરો |
કલાપી | અહી ક્લિક કરો |
2 thoughts on “દામોદર બોટાદકર | Damodar Botadkar”