Gramsabha – Panchayati Raj – ગ્રામસભા – પંચાયતી રાજ
ગ્રામસભાની વ્યાખ્યા
- ભારતના બંધારણના અનુચ્છેદ 243(A)માં ગ્રામસભાનો ઉલ્લેખ કરેલ છે.
- ગ્રામસભા એટલે ગ્રામ પંચાયતની મતદારયાદીમાં નોંધાયેલ સભ્યો દ્વારા યોજાતી સભા.
- ગામની મતદારયાદીમાં નામ હોય તે દરેક વ્યક્તિ ગ્રામસભાની સભ્ય ગણાય છે. તેથી દરેક ગ્રામસભામાં તેને હાજર રહેવાનો, મત આપવાનો તથા કોઈ પણ પ્રકારની દરખાસ્ત કરવાનો અધિકાર છે.
- ઓરિસામાં નાના-મોટા ગામ માટે એક-એક પલ્લીસભાનું આયોજન કરવામાં આવે છે.
- કેરાલાના પંચાયત ધારાએ પંચાયત વિસ્તારના દરેક વોર્ડને ગામ તરીકે નોટીફાય કર્યું છે. એટલે કે કેરાલામાં જેટલા વોર્ડ હશે તેટલી ગ્રામસભા યોજવામાં આવશે.
- પશ્ચિમ બંગાળમાં દરેક ગ્રામ પંચાયતમાં સરેરાશ 10 થી 11 ગામો હોય છે તેથી ત્યાં દ્વિ-સ્તરીય ગ્રામસભા યોજવામાં આવે છે.
- ઓરિસામાં પણ દ્વિ-સ્તરીય ગ્રામસભા યોજાય છે. ત્યાં ગ્રામસભાને ગ્રામશાસન તરીકે ઓળખવામાં આવે છે.
- બિહાર, ગોવા, ત્રિપુરા, રાજસ્થાન અને મણિપુર રાજ્યમાં દરેક ગ્રામસભા માટે દેખરેખ સમિતિ સ્થાપવામાં આવે છે.
ગ્રામસભાની બેઠક
- ગુજરાત પંચાયત અધિનિયમ, 1991ની ક્લમ 3માં ગ્રામસભાની બેઠકની જોગવાઈ કરવામાં આવી છે.
- ગ્રામસભાની બેઠકનું આયોજન વર્ષમાં ઓછામાં ઓછું બે વાર કરવું ફરજિયાત છે.
- બે ગ્રામસભા વચ્ચેનો સમયગાળો ત્રણ મહિના કરતાં ઓછો હોવો જોઈએ.
- પ્રથમ ગ્રામસભાની બેઠક 1 એપ્રિલથી 60 દિવસની અંદર ભરવી ફરજિયાત છે.
- ગ્રામસભાની બેઠકની સૂચના 7 દિવસ અગાઉ આપવામાં આવે છે. અને જો ખાસ ગ્રામસભાની બેઠક હોય તો 3 દિવસ અગાઉ જાણ કરવામાં આવે છે.
- જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતને ગ્રામ પંચાયતની ગ્રામસભામાં અધિકારીની નિમણૂક કરવાનો અધિકાર છે.
- ગ્રામસભાની કાર્યવાહીમાં તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓ ભાગ લઈ શકે છે, પરંતુ મત આપવાનો અધિકાર નથી.
- ગ્રામસભાના અધ્યક્ષ સરપંચ હોય છે અને જો તે કોઈ કારણોસર હાજર ન હોય તો ઉપસરપંચ અધ્યક્ષ રહેશે અને જો સરપંચ કે ઉપસરપંચ બંનેમાંથી કોઈ પણ હાજર ન હોય તો ગ્રામસભા નક્કી કરે તે સભ્ય અધ્યક્ષસ્થાન ગ્રહણ કરશે.
- સરપંચ અથવા ઉપસરપંચ નક્કી કરે તે તારીખે, તે સમયે અને તે જગ્યાએ ગ્રામસભાનું આયોજન કરવામાં આવે છે.
- પશ્ચિમ બંગાળમાં ગ્રામસભા વર્ષમાં એક વાર ભરાય છે. જ્યારે ગ્રામસંસદની બેઠક વર્ષમાં બે વાર યોજાય છે.
- ઓરિસામાં ગ્રામશાસન સામાન્યતઃ વર્ષમાં બે વાર મળે છે. પરંતુ પલ્લીસભાનું આયોજન વર્ષમાં એક વાર કરવામાં આવે છે.
- ગ્રામસભામાં થયેલ ઠરાવ અનુસાર ગ્રામ પંચાયત કાર્ય કરે તે જરૂરી નથી.
- કોઈ પણ પ્રશ્નોનો નિર્ણય ગ્રામસભામાં હાજર રહેલા સભ્યોની બહુમતીથી લેવામાં આવે છે.
ગ્રામસભાની ગણપૂર્તિ
- આ ગ્રામસભાની ગણપૂર્તિ માટે 50 સભ્યો અથવા 1/10 સભ્યોની હાજરી, બેમાંથી જે ઓછું હોય તે ગણાશે.
- તલાટી – કમ – મંત્રીએ દરેક ગ્રામસભામાં હાજર રહેવું અનિવાર્ય છે.
ગ્રામસભાનાં કાર્યો
- ગ્રામ પંચાયત અધિનિયમની કલમ-4માં ગ્રામસભાનાં કાર્યો અને ફરજોની જોગવાઈ કરેલ છે, જે નીચે મુજબ છે :
- ગ્રામસભાનું મુખ્ય કાર્ય પંચાયત પર અંકુશ રાખવાનું છે.
- ગરીબી રેખા નીચે જીવતાં કુટુંબોની યાદી તૈયાર કરાવવી અને તેને તાલુકા વિકાસ અધિકારીને મોકલવી.
- વાર્ષિક હિસાબનું પત્રક તૈયાર કરવું.
- પાછલા નાણાકીય વર્ષનો અહેવાલ તૈયાર કરવો.
- ચાલુ નાણાકીય વર્ષ માટેના કાર્યક્રમો તૈયાર કરવા.
- છેલ્લી ઓડિટની નોંધ લેવી અને તેને લગતા જવાબો મોકલવા.
- ગ્રામવિકાસની વિવિધ યોજનાઓની ચર્ચા કરવી.
- ગામની વિકાસલક્ષી જરૂરિયાતોનો અગ્રમતાક્રમ નક્કી કરવો અને તેની જરૂરિયાત મુજબ નાણાની ફાળવણી વિશે ચર્ચા કરવી અને નિર્ણય લેવો.
- તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત સોંપેલ કાર્યો કરવાં.
- ગ્રામ રક્ષકદળની રચના કરવી.
- ગ્રામ પંચાયતની બેઠકો, કાર્યવાહી અને ઠરાવોના અમલીકરણની ચર્ચા કરવી.
- પંચાયત કે મહેસૂલ બાબતના નવા કર નાખવાની ચર્ચા કરવી.
- વિકાસ માટે મહત્ત્વના એવા 7 માપદંડો વિશે ચર્ચા કરવી.
- પાણી
- પુરવઠો
- કાયદો અને વ્યવસ્થા
- પંચાયત
- આરોગ્ય
- શિક્ષા
- કૃષિ
- ગ્રામસામાની કાર્યસૂચિ તલાટી-કમ-મંત્રી સરપંચ સાથે ચર્ચા કરીને તૈયાર કરશે.
- આ ગ્રામસભામાં નીચેના કર્મચારીઓની હાજરી અનિવાર્ય હોય છે.
- તલાટી કમ મંત્રી
- ગ્રામસેવક
- ગ્રામમિત્ર
- પ્રાથમિક શિક્ષકો
- આરોગ્ય કર્મચારી
- આશાવર્કરો
- વિદ્યાસહાયક
- પશુપાલન કર્મચારી
- આંગણવાડી કાર્યકરો
- પોલીસ સ્ટાફ વગેરે
- વિશ્વની સૌથી વધુ બજેટ ધરાવતી યોજના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાહેંધરી યોજના (મનરંગા)નું ઓડિટ કરવાનું કાર્ય ગ્રામસભા દ્વારા થાય છે.
ગ્રામસભાની નિષ્ફળતાનાં કારણો
- ગ્રામસભાની બેઠક માટે યોગ્ય સ્થળની પસંદગી
- બેઠક માટે સમયસર જાણ કરવામાં નથી આવતી.
- બેઠક માટે પ્રતિકૂળ સમયની પસંદગી
- ગ્રામસભા માટે પ્રવર્તતી ગેરસમજ
- ગ્રામસભાની સામાજિક-આર્થિક પરિસ્થિતિ
- ગ્રામસભા પ્રત્યે લોકોની ઉદાસીનતા
- ગ્રામસભાના પ્રમુખની શક્તિની ઉણપ વગેરે.
શ્રી બાબા ગૌડા પાટીલની ભલામણો
- કેન્દ્ર સરકારના ગ્રામીણ ક્ષેત્ર અને રોજગાર વિભાગના રાજ્યમંત્રી શ્રી બાબા ગૌડા પાટિલે સપ્ટેમ્બર, 1999માં ગ્રામસભાને પ્રબળ અને સક્ષમ બનાવવા માટે અમુક ભલામણો કરી હતી, જે નીચે મુજબ છે :
- ગામમાં એકથી વધુ ગ્રામસભાઓ યોજવાની છૂટ આપવી જોઈએ.
- ગ્રામસભાને ગામની સૌથી વડી સભા ગણવી જોઈએ અને ગ્રામ પંચાયતે ગ્રામસભાના આદેશ મુજબ કાર્ય કરવું જોઈએ.
- ગ્રામ વિકાસનું કોઈ પણ કાર્ય શરૂ કરતાં પહેલાં ગ્રામસભાની બેઠક બોલાવવી જોઈએ અને તેની મંજૂરી લેવી જોઈએ.
- ગ્રામ વિકાસને લગતી યોજનાઓ અને તેનાં કાર્યોના બજેટ, ખર્ચ વગેરેની મંજૂરી ગ્રામસભા દ્વારા લેવી જોઈએ અને ગ્રામસભા દ્વારા તેની તપાસ થવી જોઈએ.
- ગામમાં પાણી, જંગલ અને જમીન અંગેનો નિર્ણય ગ્રામસભા દ્વારા લેવાવો જોઈએ.
- ગ્રામ્ય વિસ્તારની અંદર નશીલી વસ્તુઓનું ઉત્પાદન, વેચાણ, આયાત નિકાસ વગેરેનો નિર્ણય ગ્રામસભા પાસે હોવો જોઈએ.
- ગ્રામસભાની બેઠકમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓની ભાગીદારી ફરજિયાત હોવી જોઈએ.
- કુદરતી ન્યાય પ્રમાણેના પોતાના નિર્ણય કરવાની અને કામ કરવાની રીતો નક્કી કરવાનો અધિકાર ગ્રામસભાને આપવો જોઈએ.
મુખ્ય બાબતો
- ભારતના પ્રાચીન સમયના વૈશાલી ગણતંત્રમાં ગ્રામસભા અસ્તિત્વ ધરાવતી હતી.
- ગ્રામસભાને સામાન્ય ભાષામાં કહીએ તો ગામના લોકોને ભેગા કરવા.
- ગ્રામસભા એ ગામની ધારાસભા જેવી છે.
- ગ્રામસભાને પંચાયતી રાજના વિશિષ્ટ અંગ તરીકે ઓળખવામાં આવે છે.
- ગ્રામસભા એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાંનું સૌથી નાનું એકમ છે.
- સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી એવા ઉચ્છરંગરાય ઢેબર ગ્રામસભાને “પંચાયતી રાજની ગંગોત્રી” તરીકે ઓળખાવે છે.
- જયપ્રકાશ નારાયણના મત મુજબ ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચે મંત્રીમંડળ અને ધારાસભા જેવો સંબંધ હોવો જોઈએ.
- ગામમાં રહેતા પુખ્ત વયના બધા જ સભ્યો ગ્રામસભાના સભ્યો ગણાય છે.
- સ્થાનિક સ્વરાજની સંસ્થાનું પાયાનું એકમ ગ્રામ પંચાયતને બદલે ગ્રામસભાને ઓળખવામાં આવે છે.
- 1962માં સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિટી ડેવલપમેન્ટ અને 1963માં કેન્દ્ર સરકારની દિવાકર સમિતિએ ગ્રામસભાને કાયદેસરનું અસ્તિત્વ આપવાની ભલામણ કરી હતી.
- ઘણાં રાજ્યોએ ગ્રામસભાને ગ્રામ પંચાયત કરતાં પણ વધુ મહત્ત્વ આપ્યું છે.
- જમ્મુ-કાશ્મીર અને કર્ણાટકે ગ્રામસભાનો અસ્વીકાર કર્યો છે.
- ભારત સરકારના તત્કાલીન નાણામંત્રી યશવંતસિંહાએ 1999-2000ના વર્ષને ગ્રામસભા વર્ષ તરીકે જાહેર કર્યું હતું.
જાણવા જેવું
- ગ્રામવિકાસ મંત્રીના અધ્યક્ષસ્થાને 11 જુલાઈ, 2007ના રોજ દિલ્હીમાં મળેલ સંમેલનમાં ગ્રામસભા માટેના પરિપત્ર મુજબ ગ્રામસભાનું 4 વાર આયોજન કરાશે.
- પ્રજાસત્તાક દિવસ (26મી જાન્યુઆરી)
- ગુજરાત સ્થાપના દિવસ (1 મે)
- સ્વતંત્રતા દિવસ (15મી ઓગસ્ટ)
- ગાંધીજયંતી દિવસ (2 ઓક્ટોબર)
