જીવનનિર્વાહ | Jivannirvah

અહી તમને ધોરણ 6 સામજિક વિજ્ઞાન પાઠ : 17. જીવનનિર્વાહ | Jivannirvah ની PDF અને સ્વાધ્યાયના સવાલ-જવાબ આપવામાં આવ્યા છે.

Table of Contents

જીવનનિર્વાહ સ્વાધ્યાય | Jivannirvah swadhyay

1. ખાલી જગ્યા પૂરો :

  1. ગામડાંમાં મોટે ભાગે સૌ ……….. કામ સાથે જોડાયેલ હોય છે.
    • ખેતી
  2. ઔદ્યોગિક રોજગારી ……….. માં વધુ મળી રહે છે.
    • શહેર

2. નીચેના આપેલ પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો :

  • ગામડાંમાં લોકો નીચે પૈકી કયું કામ વધારે કરતા જોવા મળે છે ?
    • સરકારી નોકરી
    • ખેતી
    • ઉદ્યોગ
    • આપેલ બધું જ સાચું
  • શહેરમાં રોજગારી મેળવવા માટે લોકો ક્યાંથી આવે છે ?
    • પાસેના ગામમાંથી
    • અન્ય રાજ્યમાંથી
    • અન્ય શહેરમાંથી
    • આપેલ બધું જ સાચું

3. એક-બે વાક્યોમાં ઉત્તર આપો :

  1. ખેતી કે ખેતમજૂરી કરતા લોકો મોટા ભાગે ક્યાં જોવા મળે છે ?
    • ખેતી કે ખેતમજૂરી કરતા લોકો મોટા ભાગે ગામડાંમાં જોવા મળે છે.
  2. રોડ ઉપર કયા કયા રોજગાર કરતી વ્યક્તિઓ જોવા મળે છે ?
    • શહેરમાં રોડ ઉપર લારી કે દુકાન પર શાકભાજી વેચનાર, સાઈકલનાં પંક્યર અને તેની મરમ્મત કરનાર, બૂટપૉલિશ કરનાર, સોડા-શરબત વેચનાર, કરિયાણું વેચનાર, રમકડાં વેચનાર, હેરકટિંગ કરનાર, ગાડીઓના કાચ સાફ કરનાર, સાઈકલ પર સફાઈનાં સાધનો વેચનાર, પીવાનું પાણી વેચનાર વગેરે રોજગાર કરતી વ્યક્તિઓ જોવા મળે છે.
  3. કેવી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે ?
    • શિક્ષિત અને વિવિધ પ્રકારનું કૌશલ્ય ધરાવતી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે.

4. ટૂંક નોંધ લખો :

  1. ગ્રામીણ જીવનનિર્વાહ
    • ગામડાંની મોટી સંખ્યાના લોકો ખેતી, ખેતમજૂરી અને પશુપાલન કરીને જીવનનિર્વાહ કરે છે.
    • ઘણા લોકો દરજીકામ, સુથારીકામ, લુહારીકામ, સોનીકામ, ધોબીકામ, માટલાં અને ઈંટો બનાવવાનું કામ, રિપેરિંગ કામ, માછલાં પકડવાનું કામ વગેરે વ્યવસાયો કરીને ગુજરાન ચલાવે છે.
    • ગામડાંમાં કેટલાક લોકો કરિયાણાની, શાકભાજીની, કાપડની, કપડાંની, ચા-નાસ્તાની, ખાતર અને બિયારણોના વેચાણની વગેરે દુકાનો ધરાવે છે.
    • ગામડાંમાં કેટલાક ખેતમજૂરો મજૂરી ન મળે ત્યારે નદીમાંથી રેતી અને ખાણમાંથી પથ્થરો ઉપાડવાનું કામ કરીને જીવનનિર્વાહ કરે છે.
    • ગામડાંની કેટલીક વ્યક્તિઓ શહેરમાં જઈ બાંધકામ-મજૂર તરીકે તેમજ ટ્રક-ડ્રાઇવર તરીકે નોકરી કરે છે.
    • ગામડાંના કેટલાક લોકો નિયમિત રીતે ગામડાંમાંથી 3 દૂધ, શાકભાજી કે અન્ય સામગ્રી શહેરોમાં લઈ જઈને તેનું વેચાણ કરીને જીવનનિર્વાહ કરે છે.
  2. શહેરી જીવનનિર્વાહ
    • શહેરમાં મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર કામ કરીને તેમજ ફેરિયાઓ તરીકે કામ કરીને જીવનનિર્વાહ કરે છે.
    • શહેરના બજારમાં દુકાનોની અનેક લાઈનો હોય છે. તેમાં દુકાનદારો, સેલ્સમૅનો અને અન્ય કર્મચારીઓ કામ કરીને ગુજરાન ચલાવે છે.
    • શહેરમાં હજારો વ્યક્તિઓ છૂટક મજૂર તરીકે કામ કરીને ગુજરાન ચલાવે છે.
    • શહેરમાં ઘણા લોકો ફૅક્ટરીઓમાં કામ કરીને ગુજરાન ચલાવે છે.
    • શહેરમાં ઘણા શિક્ષિત લોકો શાળા-કૉલેજોમાં શિક્ષણ આપવાનો વ્યવસાય કરે છે. તેમજ નાની-મોટી ઑફિસોમાં વિવિધ પ્રકારના વ્યવસાયો કરીને જીવનનિર્વાહ કરે છે.
  3. શહેરમાં છૂટક રોજગારી
    • શહેરમાં હજારો લોકો છૂટક મજૂર તરીકે કામ કરે છે. દા. ત., કડિયાનાકા પર મજૂરો પોતાનાં ઓજારો સાથે બેસે છે. કૉન્ટ્રાક્ટરો અહીં આવીને તેમને કામ પર લઈ જાય છે.
    • શહેરમાં ઘણા લોકો છૂટક મજૂરો તરીકે ફૅક્ટરીઓમાં કામ કરીને રોજગારી મેળવે છે.
    • શહેરમાં અનેક લોકો ખાનપાનની અનેક પ્રકારની વસ્તુઓ બનાવવાનું મજૂરીકામ કરીને રોજગારી મેળવે છે. દા. ત., ચોકલેટ, આઈસક્રીમ, સ્વીટ્સ, ફરસાણ વગેરે બનાવવાં.
    • શહેરમાં ઘણી વ્યક્તિઓ પોતાના વ્યવસાયો કરીને સ્વરોજગારી મેળવે છે. દા. ત., ભાડું લઈને રિક્ષા અને મોટરકાર ચલાવવી, દરજીકામ કરવું, બૂટપૉલિશ કરવી, સાઈકલનાં પંક્યર અને તેની મરમ્મત કરવાં વગેરે.
  4. પશુપાલન અને ખેતમજૂરી
    • ગામડાંમાં ઓછી જમીન ધરાવતા નાના ખેડૂતો ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય કરીને જીવનનિર્વાહ કરે છે. નાના ખેડૂતો ગાય અને ભેંસ જેવાં દુધાળા પશુઓ પાળે છે. તેઓ એ પશુઓનું દૂધ ગામની દૂધ સહકારી મંડળીમાં આપે છે. દૂધના વેચાણમાંથી મળતી આવકમાંથી તેઓ બિનખેતીના ચારેક મહિના સુધી જીવનનિર્વાહ કરી શકે છે. આપણા દેશનાં ગ્રામીણ કુટુંબોમાં લગભગ 40% કુટુંબો ખેતમજૂરો છે. તેઓ જમીનવિહોણા છે. તેથી તેઓ ખેતમજૂરો તરીકે મોટા ખેડૂતોનાં ખેતરોમાં વાવણી, નિંદામણ, લણણી, કાપણી જેવાં મજૂરીનાં કામો કરે છે. કેટલાક ખેતમજૂરો કપાસમાંથી રૂ કાઢવાનું કામ પણ કરે છે. ખેતમજૂરોને વર્ષના અમુક મહિનાઓ દરમિયાન જ ખેતરોમાં કામ મળે છે. બાકીના સમયમાં તેઓને બેકાર બેસી રહેવું પડે છે. આ કારણથી તેમને તેમનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડે છે. કેટલાક ખેતમજૂરો કામની શોધમાં સ્થળાંતર કરે છે.

5. જોડકાં જોડો :

(1) ખેતમજૂરી(a) કાયમી કામ મળી રહે છે.
(2) કૌશલ્ય આધા૨ે કામ(b) એક કરતાં વધુ રીતે કમાઈ શકાય છે.
(3) ઔદ્યોગિક રોજગારી(c) બારેમાસ કામ ન પણ મળે.

જવાબ : (1-c), (2-b), (3-a)

(1) ખેતમજૂરી(c) બારેમાસ કામ ન પણ મળે.
(2) કૌશલ્ય આધા૨ે કામ(b) એક કરતાં વધુ રીતે કમાઈ શકાય છે.
(3) ઔદ્યોગિક રોજગારી(a) કાયમી કામ મળી રહે છે.
જીવનનિર્વાહ
(PDF ડાઉનલોડ કરવા માટે પાઠના નામ પર ક્લિક કરો.)

Other Chapter PDF Download

ક્રમજે પાઠની PDF ડાઉનલોડ કરવી હોય એ પાઠના નામ પર ક્લિક કરો
16સ્થાનિક સરકાર
15સરકાર
14વિવિધતામાં એકતા
13ભારત : ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન
12નકશો સમજીએ
11ભૂમિસ્વરૂપો
10પૃથ્વીનાં આવરણો
09આપણું ઘર : પૃથ્વી
08ભારતવર્ષની ભવ્યતા
07ગુપ્તયુગ અને અન્ય શાસકો
06મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક
05શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર
04ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા
03પ્રાચીન નગરો અને ગ્રંથો
02આદિમાનવથી સ્થાયી જીવનની સફર
01ચાલો, ઈતિહાસ જાણીએ

FAQ’s About જીવનનિર્વાહ | Jivannirvah

ગામડાંમાં મોટે ભાગે સૌ ……….. કામ સાથે જોડાયેલ હોય છે.

ખેતી

ઔદ્યોગિક રોજગારી ……….. માં વધુ મળી રહે છે.

શહેર

ગામડાંમાં લોકો નીચે પૈકી કયું કામ વધારે કરતા જોવા મળે છે ?

ખેતી

શહેરમાં રોજગારી મેળવવા માટે લોકો ક્યાંથી આવે છે ?

પાસેના ગામમાંથી, અન્ય શહેરમાંથી અને અન્ય રાજ્યમાંથી

ખેતી કે ખેતમજૂરી કરતા લોકો મોટા ભાગે ક્યાં જોવા મળે છે ?

ખેતી કે ખેતમજૂરી કરતા લોકો મોટા ભાગે ગામડાંમાં જોવા મળે છે.

રોડ ઉપર કયા કયા રોજગાર કરતી વ્યક્તિઓ જોવા મળે છે ?

શહેરમાં રોડ ઉપર લારી કે દુકાન પર શાકભાજી વેચનાર, સાઈકલનાં પંક્યર અને તેની મરમ્મત કરનાર, બૂટપૉલિશ કરનાર, સોડા-શરબત વેચનાર, કરિયાણું વેચનાર, રમકડાં વેચનાર, હેરકટિંગ કરનાર, ગાડીઓના કાચ સાફ કરનાર, સાઈકલ પર સફાઈનાં સાધનો વેચનાર, પીવાનું પાણી વેચનાર વગેરે રોજગાર કરતી વ્યક્તિઓ જોવા મળે છે.

કેવી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે ?

શિક્ષિત અને વિવિધ પ્રકારનું કૌશલ્ય ધરાવતી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે.

ગ્રામીણ જીવનનિર્વાહ

ગામડાંની મોટી સંખ્યાના લોકો ખેતી, ખેતમજૂરી અને પશુપાલન કરીને જીવનનિર્વાહ કરે છે.
ઘણા લોકો દરજીકામ, સુથારીકામ, લુહારીકામ, સોનીકામ, ધોબીકામ, માટલાં અને ઈંટો બનાવવાનું કામ, રિપેરિંગ કામ, માછલાં પકડવાનું કામ વગેરે વ્યવસાયો કરીને ગુજરાન ચલાવે છે.
ગામડાંમાં કેટલાક લોકો કરિયાણાની, શાકભાજીની, કાપડની, કપડાંની, ચા-નાસ્તાની, ખાતર અને બિયારણોના વેચાણની વગેરે દુકાનો ધરાવે છે.
ગામડાંમાં કેટલાક ખેતમજૂરો મજૂરી ન મળે ત્યારે નદીમાંથી રેતી અને ખાણમાંથી પથ્થરો ઉપાડવાનું કામ કરીને જીવનનિર્વાહ કરે છે.
ગામડાંની કેટલીક વ્યક્તિઓ શહેરમાં જઈ બાંધકામ-મજૂર તરીકે તેમજ ટ્રક-ડ્રાઇવર તરીકે નોકરી કરે છે.
ગામડાંના કેટલાક લોકો નિયમિત રીતે ગામડાંમાંથી 3 દૂધ, શાકભાજી કે અન્ય સામગ્રી શહેરોમાં લઈ જઈને તેનું વેચાણ કરીને જીવનનિર્વાહ કરે છે.

શહેરી જીવનનિર્વાહ

શહેરમાં મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર કામ કરીને તેમજ ફેરિયાઓ તરીકે કામ કરીને જીવનનિર્વાહ કરે છે.
શહેરના બજારમાં દુકાનોની અનેક લાઈનો હોય છે. તેમાં દુકાનદારો, સેલ્સમૅનો અને અન્ય કર્મચારીઓ કામ કરીને ગુજરાન ચલાવે છે.
શહેરમાં હજારો વ્યક્તિઓ છૂટક મજૂર તરીકે કામ કરીને ગુજરાન ચલાવે છે.
શહેરમાં ઘણા લોકો ફૅક્ટરીઓમાં કામ કરીને ગુજરાન ચલાવે છે.
શહેરમાં ઘણા શિક્ષિત લોકો શાળા-કૉલેજોમાં શિક્ષણ આપવાનો વ્યવસાય કરે છે. તેમજ નાની-મોટી ઑફિસોમાં વિવિધ પ્રકારના વ્યવસાયો કરીને જીવનનિર્વાહ કરે છે.

શહેરમાં છૂટક રોજગારી

શહેરમાં હજારો લોકો છૂટક મજૂર તરીકે કામ કરે છે. દા. ત., કડિયાનાકા પર મજૂરો પોતાનાં ઓજારો સાથે બેસે છે. કૉન્ટ્રાક્ટરો અહીં આવીને તેમને કામ પર લઈ જાય છે.
શહેરમાં ઘણા લોકો છૂટક મજૂરો તરીકે ફૅક્ટરીઓમાં કામ કરીને રોજગારી મેળવે છે.
શહેરમાં અનેક લોકો ખાનપાનની અનેક પ્રકારની વસ્તુઓ બનાવવાનું મજૂરીકામ કરીને રોજગારી મેળવે છે. દા. ત., ચોકલેટ, આઈસક્રીમ, સ્વીટ્સ, ફરસાણ વગેરે બનાવવાં.
શહેરમાં ઘણી વ્યક્તિઓ પોતાના વ્યવસાયો કરીને સ્વરોજગારી મેળવે છે. દા. ત., ભાડું લઈને રિક્ષા અને મોટરકાર ચલાવવી, દરજીકામ કરવું, બૂટપૉલિશ કરવી, સાઈકલનાં પંક્યર અને તેની મરમ્મત કરવાં વગેરે.

પશુપાલન અને ખેતમજૂરી

ગામડાંમાં ઓછી જમીન ધરાવતા નાના ખેડૂતો ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય કરીને જીવનનિર્વાહ કરે છે. નાના ખેડૂતો ગાય અને ભેંસ જેવાં દુધાળા પશુઓ પાળે છે. તેઓ એ પશુઓનું દૂધ ગામની દૂધ સહકારી મંડળીમાં આપે છે. દૂધના વેચાણમાંથી મળતી આવકમાંથી તેઓ બિનખેતીના ચારેક મહિના સુધી જીવનનિર્વાહ કરી શકે છે. આપણા દેશનાં ગ્રામીણ કુટુંબોમાં લગભગ 40% કુટુંબો ખેતમજૂરો છે. તેઓ જમીનવિહોણા છે. તેથી તેઓ ખેતમજૂરો તરીકે મોટા ખેડૂતોનાં ખેતરોમાં વાવણી, નિંદામણ, લણણી, કાપણી જેવાં મજૂરીનાં કામો કરે છે. કેટલાક ખેતમજૂરો કપાસમાંથી રૂ કાઢવાનું કામ પણ કરે છે. ખેતમજૂરોને વર્ષના અમુક મહિનાઓ દરમિયાન જ ખેતરોમાં કામ મળે છે. બાકીના સમયમાં તેઓને બેકાર બેસી રહેવું પડે છે. આ કારણથી તેમને તેમનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડે છે. કેટલાક ખેતમજૂરો કામની શોધમાં સ્થળાંતર કરે છે.

2 thoughts on “જીવનનિર્વાહ | Jivannirvah”

Leave a Comment

error: Content is protected !!