યવનગઢ : પ્રોફેસર લાસેને જૂનાગઢ માટે “યવનગઢ” શબ્દ વાપર્યો છે. તેમણે લખ્યું છે કે યવનગઢનું ભ્રંશ નામ જૂનાગઢ અરબી અને ફારસી શિલાલેખમાંથી તેનો ઉલ્લેખ મળે છે.
મુસ્તુફાબાદ : ગુજરાતના સુલતાન મહમદ બેગડાએ જૂનાગઢ જીતી લીધું ત્યારે તેમને જૂનાગઢનું નામ બદલીને નવું નામ “મુસ્તુફાબાદ” રાખ્યું. શેખ જી.એ.ના ઉર્દુગ્રંથ “મિરાતે મુસ્તુફાબાદ”માં અને મહંમદ બેગડાની ટંકશાળામાંથી મળેલા સિક્કાઓ પર આનો ઉલ્લેખ છે.
ખેંગારગઢ : ચુડાસમા યુગમાં પ્રચલિત નામો.
જીર્ણ-દુંગ : જીનભદ્રસૂરિ રચિત તીર્થકલ્પમાં રૈવતક ગિરિકલ્પનો ઉલ્લેખ મળે છે. જીર્ણદુર્ગનો ઉલ્લેખ મેહર રાજા કંપકના હાથસણીના લેખમાં ઈ.સ. 1330માં જોવા મળે છે.
જૂનાગઢ : જૂનાગઢ શબ્દની વ્યુત્પતિ એ રીતે કરી શકાય કે જૂનાનો અર્થ પુરાણો અને ગઢનો અર્થ કિલ્લો. જૂનાગઢ એટલે પુરાણો કિલ્લો. મુસ્લિમ ઈતિહાસોમાં આનો ઉલ્લેખ પુરાણા કિલ્લા તરીકે થયો છે. જૂની ગુજરાતીમાં “જૂનાઘઢ” તરીકે પણ લખાયેલું જોવા મળે છે.
ઈતિહાસ
જૂનાગઢમાં વિવિધ યુગની રાજસત્તાઓ
પૌરાણિક યુગ
પુરાણો મુજબ આજના માનવકુળના પ્રથમ માનવપુરૂષ વૈવસ્વત મનુ હતા. મનુ વૈવસ્વતનો સમય ઈ.સ. પૂર્વે 5906નો ગણવામાં આવે છે. વૈવસ્વત મનુ પુત્ર શર્યાતિના પુત્ર આનર્ત અને તેના પુત્ર રૈવતની રાજધાની કુશસ્થળી દ્વારકા હતી. શર્યાતિ અને તેનાં વંશજો સૌરાષ્ટ્રમાં સંપૂર્ણ દ્વીપકલ્પ ઉપર શાસન કરતાં હોવાનું કહેવાય છે
યાદવો કૃષ્ણની સાથે મથુરાથી કુશસ્થળી આવ્યાં હતાં. ત્યારે કૃષ્ણના મોટાભાઈ બલરામના સસરા રૈવતએ કુશસ્થળીનાં સ્થાને નવી રાજધાની સ્થાપી. તેઓ ત્યાંથી ગિરનાર રહેવા આવી ગયાં હતાં અને કૃષ્ણએ ઉજ્જડ બનેલી કુશસ્થળીના સ્થાને નવી રાજધાની સ્થાપી. ત્યારથી ગિરનાર પર્વત રૈવતક તરીકે ઓળખાયો.
આમ, ગુજરાતનું પ્રથમ પ્રાચીન પાટનગર જે કુથસ્થળી તરીકે ઓંળખાતું હતું.
ઐતિહાસિક યુગ
મૌર્યકાળથી ભારતનો ઐતિહાસિક યુગ શરૂ થાય છે. તે રીતે જ જૂનાગઢનો ઐતિહાસિક યુગ પણ મૌર્યકાળથી જ શરૂ થાય છે.
મૌર્યકાળનો સૌથી મોટો પુરાવો આપતો અશોક શિલાલેખ જૂનાગઢમાં છે. આથી કહી શકાય કે આ કાળે મૌર્ય સત્તાનું શાસન જૂનાગઢમાં હતું.
ચંદ્રગુપ્ત મૌર્યએ પોતાના ગુરૂ વિષ્ણુગુપ્તની મદદથી નંદવંશનો અંત લાવીને મૌર્ય વંશની સ્થાપના કરી હતી તે મૌર્ય સામ્રાજ્યનો એક પ્રાંત એટલે “ગિરિનગર”.
ચંદ્રગુપ્તે પોતાના સૂબા તરીકે વૈશ્ય પુષ્પગુપ્તને નીમ્યો હતો. અહીં જૂનાગઢમાં સુવર્ણસિક્તા (સોનરેખ) નદીના પ્રવાહને રોકીને સુદર્શન તળાવ બંધાવ્યું હતું.
અશોકના યવનરાજ સૂબા તુષાફે આ તળાવમાંથી નહેરો કાઢી સિંચાઈની સુવિધા વધારી હતી.
સૌપ્રથમ અશોકના શિલાલેખની શોધ “કર્નલ ટોડે” કરી હતી. તેને ઉકેલવાનું કામ “જેમ્સ પ્રિન્સેપે” કર્યું હતું.
ત્યારબાદ “ભગવાનલાલ ઈન્દ્રજી” એ સુધારા વધારા સાથેની શુદ્ધ પ્રત તૈયાર કરી હતી.
ઈન્ડો ગ્રીક અને શક ક્ષત્રપોનું શાસન
સૌરાષ્ટ્ર ઉપર ઈન્ડો ગ્રીક સત્તાનું શાસન હોવાનો પુરાવો આપતો ઈ.સ. પૂર્વે બીજી સદીના કેટલાંક સિક્કાઓ સોરઠ વિસ્તારમાંથી મળી આવ્યાં છે. તેના ઉપરથી વિદ્વાનો અનુમાન કરે છે કે સૌરાષ્ટ્રમાં તેમનું શાસન હતું.
ઈસુની પ્રથમ સદીમાં ક્ષત્રપોએ સૌરાષ્ટ્રમાં શાસન સ્થાપ્યું હતું જે ક્ષત્રપોએ લગભગ ઈ.સ. 23 થી 398 સુધી શાસન ચલાવ્યું હતું. વચ્ચે ગૌતમીપુત્ર શાતકર્ણીએ ક્ષત્રપોની સત્તાનો સૌરાષ્ટ્રમાંથી અંત લાવી પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું. ત્યારબાદ કર્દમક કુળના ક્ષત્રપ રાજવી ચાષ્ટાને ગૌતમીપુત્ર શાતકને હરાવીને સૌરાષ્ટ્ર ક્ષત્રપોની સત્તા ફરીવાર સ્થાપી હતી.
ચાષ્ટાન પછી તેનો પૌત્ર રુદ્રદામા પ્રથમ મહાક્ષત્રપ તરીકે ગાદીએ બેઠો જેણે દક્ષિણાપથના સ્વામી શાતકર્ણીને બેવાર હરાવ્યો અને સૌરાષ્ટ્રના સુબા તરીકે પહલવ જાતિના સુવિશાખને નીમ્યો હતો, આ સુબાની રાજધાની “ગિરિનગર” હતી.
આ સમયે શક સંવત 72માં અતિવૃષ્ટિને કારણે જૂનાગઢની સુવર્ણસિક્તા અને પલાસિની નદીમાં ભયંકર પૂર આવ્યું અને સુદર્શન તળાવ તૂટ્યું હતું.
ત્યારે તળાવમાં 24 હાથ પહોંળુ અને 75 હાથ ઊંડું ગાબડું પડ્યું હતું, તે તૂટેલા તળાવને મહાક્ષત્રપ રૂદ્રદામાના સૂબાએ પ્રજા પાસેથી કોઈપણ પ્રકારનો ખર્ચ ન લેતા પોતાના અંગત ધનકોષમાંથી ખર્ચ કરીને ગાબડાનું સમારકામ કરાવ્યું હતું. જેનો ઉલ્લેખ ત્રિલેખમાં ઈ.સ. 150ના રૂદ્રદામાના શિલ્પલેખમાંથી મળે છે.
ક્ષત્રપકાળ દરમિયાન જૂનાગઢમાં ટંકશાળ પણ હોવાની શક્યતા છે. તેથી આ કાળના કેટલાક સિક્કાઓ જુદા જુદા સ્થળેથી મળી આવ્યા છે.
ઈ.સ. 1890માં ઉપર કોટમાંથી 1200 ક્ષત્રપ સિક્કાઓ મળી આવ્યા હતા. આ સિવાય જૂનાગઢ જિલ્લાના ઉના પાસેથી (હાલના ગીર સોમનાથ જિલ્લાના) વાંસોજ ગામમાંથી 951 સિક્કાઓ મળ્યાં હતાં.
ગુપ્તયુગ
ભારતમાં ગુપ્તવંશે ઈ.સ. 320 થી 460 સુધી સત્તા ભોગવી હતી. આ સમયગાળામાં ઈ.સ. 409ની આસપાસ છેલ્લા શક રાજવી રૂદ્રસેન ત્રીજાને પરાજય આપી ચંદ્રગુપ્ત બીજાએ સૌરાષ્ટ્ર જીત્યું હતું. તેની યાદગીરીમાં “સિંહ પરાક્રમ” નામે સિક્કાઓ પાડવામાં આવ્યાં હતાં, જેના ઉપર શૈવ ધર્મનું પ્રતીક ત્રિશૂળ હતું.
કુમારગુપ્ત પહેલાંનાં ગરૂડના ચિહ્નવાળા ચાંદીના સિક્કાઓ જુનાગઢ અને સૌરાષ્ટ્રમાંથી મળે છે. કુમારગુપ્તના પુત્ર સ્કંદગુપ્તે પણ કેટલાંક સિક્કાઓ પડાવ્યા હતા.
સૌરાષ્ટ્ર પ્રાંતના સુબા તરીકે પર્ણદત્તને નીમ્યો હતો અને તેને જૂનાગઢનો વહીવટ સોંપ્યો હતો,
ઈ.સ. 456 એટલે ગુપ્ત સંવત 136 ભાદરવા વદ છઠ્ઠના રોજ સુદર્શન તળાવ બીજીવાર તૂટ્યું, ત્યારે જૂનાગઢના સુબા પર્ણદત્તના પુત્ર ચક્રપાલિતે સમારકામ કરાવ્યું તથા ચક્રપાલિતે તળાવના કાંઠે એક વિષ્ણુમંદિર પણ બંધાવ્યું હતું.
મૈત્રકયુગ
ગુપ્તોના શાસન પછી સૌરાષ્ટ્રમાં મૈત્રવંશનું શાસન સ્થપાયું હતું.
ઈ.સ. 467માં સ્કંદગુપ્તના અવસાન બાદ ગુપ્ત સમ્રાટોની નિર્બળતાનો લાભ લઈ મૈત્રકવંશના સ્થાપક એવા ભટ્ટાર્કે ગુપ્તોની સત્તાથી અલગ થઈ પોતાની સત્તા સ્થાપી હતી.
વલભીને પોતાની રાજધાની બનાવી.
મૈત્રાંશના અંતિમ રાજવી શિલાદિત્ય સાતમાં હતાં.
મૈત્રકવંશના શાસનમાં વિખ્યાત વિદેશી ચીની મુસાફર હ્યુ-એન-ત્સાંગે ગિરિનગર અને વલભીની મુલાકાતે આવ્યા હતા.
ચુડાસમાયુગ
યદુવંશી રાજા દેવેન્દ્રને ચાર પુત્રો હતા. (1) અજપત કે અસપત (2) ગજપત (3) નરપત (4) ભૂપત, જેમાં ગજપત પોતાના 15 કુંવરો સાથે સૌરાષ્ટ્રમાં આવ્યા અને તેના વંશજો ચુડાસમા કહેવાયા. તેમાં સમાના પુત્ર ચુડાચંદ્રથી ચુડાસમા શાખાની શરૂઆત થઈ. તે ચુડાચંદ્રથી રા’માંડલિક ત્રીજા સુધીમાં કુલ 30 ચુડાસમા રાજાઓ જૂનાગઢમાં થઈ ગયાં.
ચુડાચંદ્ર અથવા ચંદ્રચુડ
(ઈ.સ. 875 થી 907)
આ ચુડાચંદ્રએ ચુડાસમા વંશની સ્થાપના કરી.
ચુડાચંદ્ર એ વંથલીની દક્ષિણે આવેલ સૌરાષ્ટ્રના પ્રદેશોને જીતી લઈ તેને “નવુ સોરઠ” નામ આપ્યું અને જંગલો કપાવીને ખેતીનો વિસ્તાર વધારાવ્યો. તે ઈ.સ. 907માં અવસાન પામ્યો.
મૂળરાજ
(ઈ.સ. 907 થી 915)
મૂળરાજ એ હમીરનો પુત્ર હતો અને તેના દાદા એવા ચંદ્રાચુડના અવસાન પછી ગાદીએ આવ્યો હતો.
રાજ્ય વિસ્તારવાની પ્રવૃત્તિ ચાલુ રાખી તેણે સિંધ ઉપર ચડાઈ કરી સોમરાજાને હરાવ્યો હતો.
આ સિવાય તેમણે પ્રભાસપાટણ સહિત દરિયાકાંઠાના ચાવડા રાજાઓને આધીન કર્યાં હતાં.
વિશ્વવરાહ
(ઈ.સ. 915 થી 940)
વિશ્વવરાહ ગાદીએ બેસીને રા’ એવી પદવી ધારણ કરી. આથી તેના પછીના દરેક ચુડાસમા રાજાઓએ રા’નું પદ નામ આગળ લગાડવાની પ્રથા શરૂ કરી હતી.
તે શૂરવીર, દાનેશ્વરી અને વિદ્વાનોના આશ્રયદાતા હતાં.
તેમણે ગુર્જર પ્રતિહાર રાજાઓને હરાવ્યા હતા.
રા’ ગ્રહરિપુ
(ઈ.સ. 940 થી 982)
રા’ ગ્રહરિપુને ધારિયો, ગ્રાહ, ગ્રહારસિંહ વગેરે નામે પણ ઓળખવામાં આવતા હતા. તેનાથી સમગ્ર ભારતના રાજવીઓ ડરતા હતા.
“દ્વયાશ્રય”ના કથન મુજબ ગ્રહરિપુએ જૂનાગઢના ઉપરકોટનો કિલ્લો બનાવ્યો હતો.
રા’ક્વાટ પહેલો
(ઈ.સ. 982 થી 1003)
રા’ ક્વાટ પહેલાએ તેના તળાજાવાળા મામા ઉગાવાળાની મદદથી આબુના અર્ણોરાજને દશ વખત હરાવીને માફી મંગાવી હતી અને પછી છોડી મૂક્યો હતો.
રા’ ક્વાટને શિયાળબેટના રાજા અનંતસેન ચાવડા એ કે કરી પકડ્યો હતો અને તેને બચાવવા તેના મામા ઉગાવાળા આવ્યા અને ક્વાટને પિંજરામાંથી છોડવવા પાંજરાને લાત મારતા તે પગનું પાટુ રા ને વાગતા નાની વાતે મોટું સ્વરૂપ પકડતા રા’ ક્વાટે ચિત્રાસર પાસે યુદ્ધ કરી પોતાને છોડાવનાર મામ ઉગાવાળાને જ મારી નાખ્યા.
રા’ દયાસ ઉર્ફે મહિપાલ પહેલો
(ઈ.સ. 1003 થી 1010)
રા’દયાસ (ડિયાસ) ઉર્ફે મહિપાલ પહેલો નામ ધારણ કરી ગાદીએ આવ્યો.
આ સમયે ગુજરાતના સોલંકી રાજવીઓ નબળા પડી રહ્યા હતા. આથી રા’દયાસને સોરઠમાં સર્વેસર્વો થઈ માથું ઉંચકવાની ઈચ્છા થઈ આવી ત્યારે જ વળી સોલંકી રાજવી દુર્લભસેન સાથે લડાઈ થઈ.
આ રા’ કાળમાં બીજલ નામના ચારણે રા’ પાસે માથું માંગ્યું હતું.
અને માથું કાપી આપ્યું એવી દંતકથા છે. તે બાબતના કેટલાંક દુહાઓ પણ મળે છે.
દુર્લભસેન સોલંકીની બહેનના સ્વયંવરમાં રા’દયાસ ઉર્ફે મહિપાલ પ્રથમ ગયા. ત્યારે રાજકુમારીએ વરમાળા મારવાડના રાજા મહેન્દ્રને પહેરાવી. આથી રા’નું મન દુભાયું તે પછી જ્યારે દુર્લભસેનની રાણી જૂનાગઢ દામોદરકુંડે સ્નાન કરવા યાત્રાએ આવ્યા ત્યારે તેઓ કર આપે તો જ સ્નાન કરવા કહ્યું. તેથી રાણીએ તેનું અપમાન સમજ્યું અને એ પાછા ચાલ્યા ગયાં. આથી દુર્લભસેને જૂનાગઢ ઉપર ચડાઈ કરી અને જૂનાગઢ જીતી લીધું.
સોરઠ ગુજરાતનું ખાલસા રાજ્ય બન્યું અને સોલંકી રાજવીએ વંથલીમાં પોતાનો સૂબો નીમ્યો.
ચુડાસમા વંશનો અમલ આ સમયમાં અટકી ગયો. જો કે પછીથી રા’નવઘણ પહેલાએ ગુજરાતની સત્તાને હટાવી ફરી ચુડાસમાની સત્તા સ્થાપી હતી.
રા’નવઘણ પહેલો
(ઈ.સ. 1025 થી 1044)
રા’નવઘણ પહેલાએ તેના પિતાના અવસાન સમયે બોડીદરમાં દેવાયત બોદર આહીરને ત્યાં આશ્રય લીધો હતો.
તેઓ મોટા થઈ આહિરોની મદદથી જૂનાગઢની ગાદી પાછી મેળવી લીધી.
આમના સમયમાં જ મહમદ ગઝનવીએ સોમનાથ ઉપર ચડાઈ કરી ત્યારે તેના મંત્રી શ્રીધર અને સેનાપતિ મહિધર રા’નું સૈન્ય લઈ ભગવાન સામૈયાનું રક્ષણ કરતાં હતાં. સેનાપતિ મહિધરે તેમાં પોતાના પ્રાણની આહુતિ આપી હતી.
આ રા’ની પુત્રી ઉદયમતી ના લગન પાટણના રાજા ભીમદેવ સાથે કરવામાં આવ્યા હતા.
રા’ખેંગાર પહેલો
(ઈ.સ. 1044 થી 1067)
રા’ખેંગાર પહેલાએ 23 વર્ષ રાજ કર્યું હતું.
જૂનાગઢથી સાતેક કિલોમીટર દૂર વંથલીનાના રસ્તે ખેંગારવાવ બંધાવી હતી.
રા’નવઘણ બીજો
(ઈ.સ. 1067 થી 1098)
રા’નવઘણ બીજો ખૂબ જ પ્રસિદ્ધ રાજવી હતો. તેણે અનેક યુદ્ધો કર્યા હતા.
તેણે નીચે મુજબની પ્રતિજ્ઞા લીધી હતી.
ઉમેટાના રાજા હમરાજને મારવો.
ભોંયરાનો કિલ્લો તોડી પાડવો.
પાટણનો દરવાજો તોડવો.
મેસલ ભાટના ગાલ ચીરવા.
પરંતુ અંતકાળ સુધી તે પૂરી ન કરી શકવાથી પોતાના પુત્રોને પાસે બોલાવી જે આ પ્રતિજ્ઞાઓ પૂરી કરે તેને ગાદી આપવાનું કહી પ્રાણનો ત્યાગ કર્યો હતો.
રા’ખેંગાર બીજો
(ઈ.સ. 1098 થી 1013)
રા’ખેંગાર બીજાએ પિતાની પ્રતિજ્ઞા પૂરી કરવાનું બીડું ઝડપ્યું, તેને જૂનાગઢની ગાદી મળી પછી રાજધાની વંથલીથી જૂનાગઢ ફેરવી અને ઉપરકોટના કિલ્લાને મજબુત બનાવ્યો. તેમાં અડીકડી વાવ અને નવઘણ કુવો બંધાવ્યો.
આ સમયે સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢ ઉપર ઈ.સ. 1013માં ચડાઈ કરી અને દેશળ અને વિશળ નામના ખેંગારના ભાણેજોએ દગો કરી ઉપરકોટના કિલ્લાનો દરવાજો ખોલી નાખ્યો. લશ્કર અંદર આવી ગયું અને રા’ખેંગારને મારી નાખ્યો.
સિદ્ધરાજ જયસિંહ રાણકદેવીને પોતાની પટરાણી બનાવવા સાથે લઈ જતા હતાં ત્યાં રાણકદેવી વઢવાણના ભોગાવામાં વચ્ચે સતી થઈ ગયા.
જૂનાગઢમાં સિદ્ધરાજ જયસિંહે જીત મેળવી પોતાના સૂબા તરીકેસજ્જન (સાજણ) મહેતાની નિમણૂક કરી હતી.
આ સમયગાળા દરમિયાન અણહિલવાડ પાટણના સોલંકી રાજવીઓની સોરઠ પ્રદેશ ઉપર સત્તા રહી પણ ત્યારના કોઈ મહત્ત્વના બનાવો જૂનાગઢમાં નોંધાયા નથી.
રા’નવઘણ ત્રીજો
(ઈ.સ. 1125 થી 1140)
રા’ખેંગાર બીજાના અવસાન સમયે રા’ નવઘણ ત્રીજો તેના મોસાળમાં હતો તો કોઈ એમ લખે છે કે રા’ખેંગારના નજીકના વારસને રા’ નવઘણ ત્રીજા તરીકે ગાદીએ બેસાડ્યો.
તેમણે તેના મંત્રી સોમરાજની મદદથી ઈ.સ. 1025માં સિદ્ધરાજ જયસિંહની સત્તા જૂનાગઢમાંથી ફગાવી દીધી અને સિદ્ધરાજ જયસિંહનો આશ્વિત ખંડિયો રાજા બનીને રહ્યો.
રા’કવાટ બીજો
(ઈ.સ. 1140 થી 1152)
રા’ ક્વાટ બીજાએ અણહિલપુર પાટણને ખંડણી ભરવાનું બંધ કરતાં કુમારપાળ સૈન્ય લઈ તેના ઉપર ચડાઈ કરી, તે યુદ્ધમાં રા’ ક્વાંટનું મૃત્યુ થયું ફરીવાર સોરઠ સોલંકીઓના હાથમાં આવ્યું પણ કુમારપાળની વૃદ્ધાવસ્થાને હિસાબે રા’ક્વાંટના પુત્ર રાયસિંહને ગાદી પાછી મળી અને તેણે કુમારપાળનું સાર્વભૌમત્ત્વ સ્વીકારી લીધું.
રા’જયસિંહ પહેલો
(ઈ.સ. 1152 થી 1180)
રાજા જયસિંહ પહેલા એ તેનું નામ ધારણ કર્યું હતું. તેનું મૂળનામ દ્રયાસ કે ગ્રહાર હતું.
તેણે ગુજરાત બહારના રાજાઓ સાથે સંબંધો કેળવવાની દરકાર રાખી સંબંધો બાંધ્યા હતા.
રા’રાયસિંહ
(ઈ.સ. 1180 થી 1184)
રા’ જયસિંહ પછી તેનો પુત્ર રા’રાયસિંહ ગાદીએ આવ્યો. પરંતુ તે માત્ર ચાર વર્ષ સુધી ગાદી ભોગવી મૃત્યુ પામ્યો.
રા’મહિપાલ બીજો
(ઈ.સ. 1184 થી 1201)
તે ઈ.સ. 1184માં ગાદીએ બેઠો હતો અને તેને લોકો “ગજરાજ” પણ કહેતાં હતાં.
તેના સમયમાં વાયવ્ય પ્રાંતમાં આવેલા સીરસાના રાજા વત્સરાજે સોરઠ ઉપર હુમલો કરી જૂનાગઢ ઉપર કૂચ કરેલ પણ મહિપાલે તેને હરાવીને કેદ કરી દીધો હતો.
રાજયમલ
(ઈ.સ. 1201 થી 1230)
રા’જયમલે અનેક રાજવીઓ પાસેથી ખંડણી ઉઘરાવી હતી તે બહાદુર, ખૂબસૂરત અને વિદ્વાનોનો કદરદાન રાજવી હતો.
તેના એક કવિએ જયમલ જસમલ નામનું કાવ્ય રચ્યું હતું.
રા’મહિપાલ ત્રીજો
(ઈ.સ. 1230 થી 1253)
રા’મહિપાલનું નામ રા’ મહેપો હતું. તેના સમયમાં કાઠી દરબારોએ કોટડામાં હુલ્લડ મચાવ્યું અને રા’ના પ્રધાન મોતીચંદને હરાવ્યો આ પ્રધાન મોતીચંદ કે મોતીશા એ પ્રજાપીડક પ્રધાન હતો. આથી કાઠી દરબારોએ તેને પાઠ ભણાવ્યો હતો.
રા’ના પ્રધાનને કાઠી દરબારોએ હરાવતા ઢાંકના વાળા અર્જુનસિંહ રા’નો પક્ષ લીધો અને કાઠી દરબારો ઉપર હુમલો કર્યો અને તેને ભગાડી મૂક્યો હતો.
તેમણે ફરીથી ચડાઈ કરી અને ઢાંકના કેટલાંક ગામ જીતી લીધા. આ રા’ના સમયમાં મારવાડના સેકજી ગોહિલ સૌરાષ્ટ્રમાં આવ્યા અને રા’નો આશ્રય લીધો હતો.
રા’મહિપાલ ત્રીજાની હત્યા કાઠીઓએ કરી હતી.
રા’ખેંગાર ત્રીજો
(ઈ.સ. 1253 થી 1260)
રા’ખેંગાર ત્રીજાના પિતાને કાઠી દરબારોએ મારી નાખેલ હોવાથી તેમના સાથે કટ્ટર દુશ્મનાવટ ઊભી થઈ હતી.
રા’ અને ઢાંકના અર્જુનસિંહ વાળા બંને મિત્રો હતા.
મેર સમાજ સાથે તેમના એક અણબનાવના કારણે મેર સમાજનાં લોકોએ રા’ખેંગાર ત્રીજાની હત્યા કરી હતી.
રા’માંડલિક પહેલો
(ઈ.સ. 1260 થી 1306)
રા’માંડલિક પહેલાના સમયમાં તેના ઉપર રાઠોડો, વાઘેલા અને અલ્લાઉદ્દીન ખીલજીના લશ્કરે જુદી જુદી વખતે હુમલાઓ કરી જૂનાગઢ રાજ્યને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું. તેના સમયમાં અલ્લાઉદ્દીન ખીલજીના સુબા અલફખાને સોમનાથ મંદિર તોડ્યું.
આ રા’એ ગિરનાર ઉપર નેમિનાથના મંદિરને સોનાના પતરાથી મઢાવ્યું હતું.
રેવતીકુંડના લેખમાં તેને “મુઘલોનાં જીતનાર” કહ્યો છે.
રા’નવઘણ ચોથો
(ઈ.સ. 1306 થી 1308)
રા’નવઘણ ચોથાએ ગાદીએ આવી સૌપ્રથમ ઉલુઘખાને ભાંગેલા સોમનાથ મહાદેવની લિંગ પ્રતિષ્ઠા કરવાનું કામ શરૂ કરાવ્યું. તે ત્રણ વર્ષ સુધી જ રાજ ભોગવી શક્યો.
મુસ્લિમો સામે રાણપુરની લડાઇમાં ઝફરખાન સામે લડતાં લડતા ઈ.સ. 1308માં મૃત્યુ પામ્યો હતો.
રા’મહિપાલ ચોથો
(ઈ.સ. 1308 થી 1325)
તેણે પિતાનું અધૂરું રહેલ કાર્ય પૂર્ણ કરવા સોમનાથનું મંદિર સમરાવી, સોમનાથ મહાદેવની ભવ્ય આરતી ઉતારી પ્રભાસના વાજા રાજાઓને પણ સોમનાથના રક્ષણ માટે પ્રેરિત કર્યા હતા.
રા’ખેંગાર ચોથો
(ઈ.સ. 1325 થી 1351) હતો.
આ રા’એ સોમનાથમાંથી મુસ્લિમ હાકેમને કાઢી મૂક્યો હતો.
તેના સમયે જ મહમદ તુઘલકે જૂનાગઢ ઉપર ચડાઈ કરી ત્યારે રા’ખેંગારને તેણે પકડી લીધો પણ તરત જ હાર કબૂલ કરાવી છોડી મૂક્યો હતો.
રા’જયસિંહ બીજા
(ઈ.સ. 1352 થી 1369)
રા’જયસિંહ ફિરોજ તુઘલકની ગેરહાજરીનો લાભ લીધો અને સુલતાનના થાણાઓ હટાવી દીધા. ઈસ્લામનો પ્રચાર કરતા મુલ્લા મૌલવીઓ અને કાઝીઓને ત્યાંથી કાઢી મૂક્યા.
તેના કાળમાં પાટણના સૂબા ઝફરખાને જૂનાગઢ ઉપર ચડાઈ કરી હતી.
રા’મહિપાલ પાંચમા
(ઈ.સ. 1369 થી 1373)
રાજા જયસિંહના અવસાન પછી તેના પુત્ર રા’મહિપાલ પાંચમા ગાદીએ આવ્યા. જેમણે અમરસિંહ રાઠોડ તથા તેજસિંહ રાઠોડ પાસેથી વંથલી પાછું મેળવી લીધું.
પાટણના સૂબા ઝફરખાને રા’મહિપાલને સોરઠની સત્તા ન સોંપતા પોતાનો સ્વતંત્ર અધિકારી નિમ્યો, તેને રા’એ કાઢી મૂક્યો અને સુલતાનને નજરાણું ધરી સુલતાનનું સાર્વભૌત્ત્વ સ્વીકારી લીધું હતું.
રા’મોલસિંહ
(ઈ.સ. 1373 થી 1390)
તે મહિપાલ પાંચમાનો નાનો ભાઈ હતો. તેનું બીજું નામ “મુકતાસિંહ” પણ કહેવાતું હતું.
ઝફરખાનનાં હુકમથી રા’એ પોતાની રાજધાની જૂનાગઢથી વંથલી ફેરવી હતી.
આ રા’ની રાજકુમારી હાનીએ ધંધુસરમાં ઇ.સ. 1389માં પોતાના નામે હાની વાવ બંધાવી હતી.
રા’માંડલિક બીજો
(ઈ.સ. 1389 થી 1400)
રા’માંડલિક શુરવીર, ઉદાર અને પવિત્ર રાજવી હતા.
મોટી ઉમરે ગાદી સંભાળી તેથી ઉત્સાહ અને શક્તિનો અભાવ હતો.
તેમણે ચાર વર્ષ સત્તા ભોગવી હતી.
રા’મેળંગ (રા’મેલિંગ દેવ)
(ઈ.સ. 1400 થી 1415)
રા’માંડલિક બીજો અપુત્ર અવસાન પામતા તેનો ભાઈ રા’મેળંગ ઉર્ફે રા’મેલિંગ દેવ સોરઠની ગાદીએ આવ્યાં. તે મેળંગ દાસીપુત્ર હતો.
ઈ.સ. 1413માં ગુજરાતના સુલતાન અહમદશાહે તેને હરાવ્યો.
તે વખતે તે ગિરનારના કિલ્લામાં ભરાઈ ગયો અને તેનું આધિપત્ય સ્વીકારી લીધું હતું.
ચારણોના ઉલ્લેખ મુજબ રા’ મેળંગ યુદ્ધમાં હાર્યા અને તેના પછી તેના પુત્ર નજરાણું ભરી ગાદીએ આવ્યો હતો.
રાજા જયસિંહ ત્રીજા
(ઈ.સ. 1415 થી 1440)
રાજા જયસિંહ ત્રીજાના હાથમાં સ્વતંત્રતા વિનાની ગાદી આવી અને અમદાવાદના સુલતાનની આજ્ઞા હેઠળ જ રહેવું પડ્યું હતું. તેમણે ઝાંઝમેરના કોટને મુસલમાનોના લશ્કરે ઘેરો ઘાલ્યો તે વખતે લડીને ઘેરો વિખેરી નાંખ્યો હતો.
આમનાં સમયમાં સુલતાન અહમદ શાહ પ્રભાસપાટણ ઉપર ચડી આવવા નીકળ્યો અને સોમનાથ મંદિર ઉપર પણ હુમલો કરવાની તૈયારી કરી પણ તેને ઝાંઝમેર અને ગોપનાથથી પાછો ધકેલ્યો હતો.
રા’મહિપાલ છઠ્ઠા
(ઈ.સ. 1440 થી 1451)
આ રા’ધર્મનિષ્ઠ અને પવિત્ર હતા.
તે સોમનાથ અને દ્વારકા જતાં બધા યાત્રાળુઓને જમાડતાં હતાં. તેમને ત્યાં બહુ મોટી ઉંમરે જૂનાગઢના દામોદર રાયની માનતાથી રા’માંડલિક ત્રીજાનો જન્મ થયો હતો.
તેઓએ વિ.સ. 1500નાં મહાસુદ પૂનમના રોજ રા’માંડલિક ત્રીજાનો રાજ્યાભિષેક કરી પોતે વાનપ્રસ્થાશ્રમ સ્વીકારી લીધો હતો.
રા’માંડલિક ત્રીજા
(ઈ.સ. 1451 થી 1472)
ચુડાસમા વંશના અંતિમ ગાદીપતિ.
તે ઉત્તમ વ્યક્તિત્વ ધરાવતા ધર્મનિષ્ઠ અને રા’ગંગાજળિયા તરીકે પ્રસિદ્ધ હતા.
એક ઉલ્લેખ મુજબ ભક્ત નરસિંહ મહેતાને ઢોંગી કહીને જેલમાં પૂર્યા હતાં.
તેના સમયમાં સુલતાન મહંમદ બેગડાએ ઈ.સ. 1472માં જૂનાગઢ ઉપર ચડાઈ કરી અને જૂનાગઢ જીતી લીધું અને જૂનાગઢનું નામ બદલીને મુસ્તુફાબાદ નામ પાડ્યું તથા જૂનાગઢની કિલ્લેબંધી કરાવી ઉપરકોટમાં એક મસ્જિદ બનાવી હતી.
રા’માંડલિકના મૃત્યુ સાથે બે મંતવ્યો સંકળાયેલાં છે.
એક મત મુજબ તેમણે મોણિયાના ચારણભાઈ નાગબાઈના રથના પેઠે બગસરા (ભાયાણી)માં સાતાલ્લી નદીમાં માથું પછાડી પ્રાણ આપી દીધા. આજે પણ આ રા’ના પાળિયા બગસરાની નદીમાં તે ઘટનાની યાદ તાજી કરાવતાં ઉભા છે.
બીજો મત રા’માંડલિકને મહમદ બેગડો અમદાવાદ લઈ ગયો અને તેને ઈસ્લામ ધર્મ સ્વીકારાવ્યો અને તેનું નામ “ખાનજહાં” પાડવામાં આવ્યું અને તેનું મૃત્યુ પણ અમદાવાદમાં થયું હતું. આજે પણ અમદાવાદમાં માણેક ચોકમાં તેમની કબર આવેલી છે.
ગુજરાતના સુલતાનો
સુલતાન મહમદ બેગડાએ જૂનાગઢ જીતી લીધા બાદ અમદાવાદથી જૂનાગઢમાં સુલતાનના ફોજદારો આવીને સોરઠની સત્તા સંભાળી રહ્યાં હતાં, સુલતાનોનો પ્રથમ ફોજદાર તાતારખાન હતો.
સુલતાન મુઝફ્ફરશાહ અમદાવાદની ગાદીએ બેઠો ત્યારે રાજધાની જૂનાગઢમાંથી ખસેડી દીવમાં રાખવામાં આવેલ પરંતુ તાતારખાન ઘોરી જૂનાગઢમાં રહેતો હતો.
ત્યારબાદ મિર્ઝા ખલીલ, મલેક આયાઝ અને તાતારખાન, અમીનખાન અને દોલતખાન નામના પાંચ ફોજદારોએ
જૂનાગઢની સત્તા ચલાવી હતી.
ઈ.સ. 1592માં બાદશાહ અકબરે ગુજરાત જીતી લેતા સોરઠની સત્તા મુઘલોના હાથમાં જતી રહી હતી.
દિલ્હીના મુઘલો
સુલતાન મુઝફ્ફરશાહ ત્રીજાના પતન પછી ગુજરાતની સત્તા દિલ્હીના હાથમાં આવી તે પછી સોરઠ પ્રાંતનો વહીવટ દિલ્હીથી આવેલા ફોજદારો ચલાવતા હતાં.
જેમાં સોરઠના ફોજદારો ઓળખવામાં આવતાં પ્રથમ ફોજદાર તરીકે નવરંગખાન અને બીજો ફોજદાર કાસમખાન પછી શેરખાન બાબી સુધી 30 જેટલાં ફોજદારોએ જૂનાગઢની સત્તા સંભાળી હતી. છેલ્લા મુઘલ ફોજદાર શેરખાન બાબીએ દિલ્હીનું આધિપત્ય ફગાવી દઈને પોતાને જૂનાગઢના નવાબ જાહેર કરીને જૂનાગઢમાં સ્વતંત્ર નવાબી રાજ્યની સ્થાપના કરી હતી.
નવાબી યુગ
નવાબ બહાદુર ખાન ઉર્ફે શેરખાન
(ઈ.સ. 1747 થી 1758)
તેઓ મહમદ સલાબત ખાનના પુત્ર હતાં.
ઈ.સ. 1932માં ગુજરાતના સૂબા મહારાજા અભેસિંહ હતા. તેમણે મરાઠાઓના સરદાર પીલાજી ગાયકવાડનું ખૂન કરી શેરખાનની મદદ કરી વડોદરાનો કબજો મેળવ્યો હતો.
જૂનાગઢના બાબી રાજ્યની સ્થાપના શેરખાનજી ઉર્ફે બહાદુરખાનજી પહેલાએ ઈ.સ. 1048માં કરી હતી.
આઝાદી પ્રાપ્ત થઈ ત્યાં સુધી કુલ નવ નવાબોએ 200 વર્ષ સુધી શાસન કર્યું હતું.
સ્વતંત્ર રાજ્ય જૂનાગઢમાં સ્થાપી, તેમણે પ્રથમ દીવાન તરીકે અનંતજી વડનગરા ગૃહસ્થ દલપતરામને નીમ્યાં હતાં.
શેરખાને નવાબ બહાદુરખાન નામ ધારણ કરી જૂનાગઢમાં મહમૂદી સિક્કાને બદલે ચાંદીના સિક્કાઓ બહાર પાડ્યાં જે “દીવાન શાહી કોરીના” નામથી ઓળખાતા હતા.
નવાબ મહાબતખાન પહેલો
તેમણે “જોરતલબી” નામનો વેરો સૌરાષ્ટ્રના બધા રાજ્યો પાસેથી ઉઘરાવ્યો હતો.
નવાબ હામદખાન પહેલા
આ નવાબના સમયે ઈ.સ. 1782માં સૌરાષ્ટ્રની પ્રખ્યાત એવી જેતપુરના પાંચપીપળાની લડાઈ થઈ હતી.
કર્નલ વોકરે આને “સદગુણવિનાનો નવાબ” કહ્યો હતો.
નવાબે સ્વામિનારાયણ સંપ્રદાયના સહજાનંદ સ્વામીને પોતાના રાજમહેલમાં આમંત્રિત કર્યા હતા. સહજાનંદ સ્વામીએ રાજમહેલને રંગમહેલ કહ્યો. નવાબે આ નામ સ્વીકારી લીધું અને ત્યારથી રાજમહેલ રંગમહેલ નામે ઓળખાતા હતા.
ઈ.સ. 1807માં કલેક્ટર એવા કર્નલ એલેકઝાંડર વોકર દ્વારા જૂનાગઢ રાજ્ય માટે વોકર કરાર થયો તેમાં એમણે સહી કરી હતી.
નવાબ બહાદુરખાન બીજા
(ઈ.સ. 1811 થી 1840)
આ નવાબના સમયમાં ઈ.સ. 1828-29માં ગવર્નર લોર્ડ વિલિયમ બેન્ટિકે સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો.
ઈ.સ. 1837માં દેલવાડા પાસે ગુપ્ત પ્રયાગમાં કોઈ ભાટિયાબાઈ સતી થયાનું જાહેર થતા નવાબ બહાદુરખાને બ્રિટિશ એજન્સીની માફી માંગી હતી.
નવાબ હામદખાન બીજો
નવાબે જૂનાગઢ રાજ્યમાં મૌખિક હુકમો આપવાની પ્રથા હતી તેને બદલે અલગ લેખિત હુકમો આપવાની પ્રથા ચાલુ કરી હતી.
આવક જાવકના હિસાબો રાખવાની પ્રથા શરૂ કરી હતી.
નવાબ મહાબતખાન બીજો
1977માં દિલ્હી દરબાર ભરાયો. તેમાં ભાગ લેવા તે ગયેલા ત્યારે તેમને બ્રિટિશ સત્તા તરફથી સુવર્ણ પદક આપવામાં આવ્યો હતો.
નવાબ બહાદુરખાન ત્રીજા
એમના સમયમાં જૂનાગઢ રાજ્યને કલંકિત કરનારી મૈયાઓના હત્યાકાંડની ઘટના તા. 28/01/1883 ના રોજ કનડા ડુંગર ઉપર બની અને નિર્દોષ એવા 82 સત્યાગ્રહીઓ મરાયા અને અંગ્રેજ સરકારે જૂનાગઢ રાજ્યને ગંભીર ઠપકો આપ્યો હતો.
આ નવાબના સમયમાં ઈ.સ. 1885 થી 1887 સુધી ઈણાજના મકરાણીઓના બહારવટા ચાલ્યા અને ડાકુ મકરાણી અંતે કરાંચી માંથી પકડાયો હતો.
નવાબ બહાદુરખાનના કાળમાં જુનાગઢ રાજ્યની આધુનિકીકરણની પ્રક્રિયા આગળ વધી તેથી જૂનાગઢમાં રેલવેની શરૂઆત ઈ. સ. 1888થી થઈ હતી.
નવાબ રસૂલખાન
નવાબ રસૂલખાનનાં સમયમાં ઈ.સ. 1890માં જૂનાગઢ રાજ્યમાં બજેટ બનાવવાની શરૂઆત થઈ હતી.
તેઓના શાસનકાળ દરમિયાન ગિરના સિંહોની પ્રથમ જ વાર વસ્તી ગણતરી કરવામાં આવી હતી.
નવાબ મહાબતખાન ત્રીજો
કૂતરાઓનો શોખીન હતો.
શાહ નવાબ ભુટ્ટોએ તેમનાં મગજમાં જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાનો ખ્યાલ ફસાવી દીધો હતો.
જૂનાગઢના આ નવાબના શાસનથી મુક્ત કરવા આરઝી હકૂમત સંગઠનની રચના થઈ હતી.
આરઝી હકુમત
25 સપ્ટેમ્બર 1947ના રોજ કેટલાંક લોકો મુંબઈના માધવ બાગમાં ભેગા થયાં ત્યાં તેમનું નેતૃત્વ શામળદાસ ગાંધી અને અમૃતલાલ શેઠે સંભાળ્યું ત્યાં આરઝી હકુમતના પ્રધાન મંડળની રચના કરવામાં આવી હતી.
તેમાં સાત પ્રકારનાં સૈનિકો હતાં.
શામળદાસ ગાંધી – વડાપ્રધાન અને વિદેશમંત્રી
દુર્લભજી ખેતાણી – નાયબ વડાપ્રધાન અને વ્યાપારમંત્રી
ભવાનીશંકર ઓઝા – નિરાશ્રિતોનું ખાતું
નરેન્દ્ર નથવાણી – કાયદો અને વ્યવસ્થા
મણીલાલ દોશી – ગૃહ પ્રધાન
સુરગભાઈ વરૂ – સંરક્ષણ પ્રધાન
રતુભાઈ અદાણી – સરસેનાપતિ
24 ઓક્ટોબર 1947ને દશેરાના દિવસથી શરૂ કરીને લોકસેનાએ દિવાળી સુધીના જૂનાગઢ રાજ્યનાં 106 ગામો કબજે કરી લીધા હતાં.
9 નવેમ્બર, 1947નાં જૂનાગઢ ભારત સરકારમાં જોડી દેવામાં આવ્યું હતું.
9 નવેમ્બરને “જૂનાગઢ આઝાદ દિન” તરીકે મનાવાય છે.
સરકાર વતી તે જ દિવસે પ્રાદેશિક કમિશનર નિલમ બુચે સેના સાથે જઈ કબજો લીધો હતો.
જૂનાગઢ મુક્ત કરવાનું કાર્ય પૂર્ણ થયું છતાં તેને બંધારણીય સ્વરૂપ આપવાં 20 ફેબ્રુઆરી, 1948નાં લોકમત લેવાયો હતો, જ્યાં 1,90,779 લોકોએ ભારતમાં જોડાવવાનો મત આપ્યો અને માત્ર 91 લોકોએ પાકિસ્તાનમાં જોડાવવા ઈચ્છા વ્યક્ત કરી હતી.
જૂનાગઢની આરઝી હકૂમતનું સૂત્ર હતું : “ચલો જૂનાગઢ”, મુદ્રામાં સિંહનું ચિન્હ હતું.
આરઝી હકૂમતના કાયદાપ્રધાન શ્રી નરેન્દ્ર નથવાણી તેને “પ્રજાનો જુવાળ” કહ્યો છે.
શ્રી ક. મા. મુનશીએ તેને “જૂનાગઢની પ્રજાની મુક્તિ ગાથા” કહી હતી.
તત્કાલીન કૉંગ્રેસ પ્રમુખ આચાર્ય કૃપલાણીએ તેને “ક્રાંતિકારી હકૂમત” કહી છે.
ઈ.સ. 1956માં નવેમ્બરમાં જૂનાગઢ જિલ્લો દ્વિભાષી મુંબઈ રાજ્યમાં આવ્યો તે પછી 1 મે, 1960ના દિવસે મુંબઈ અને ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવતાં તે ગુજરાતનો જિલ્લો બન્યો હતો.
ચોરવાડથી ઉના સુધીના સમુદ્રી વિસ્તારને લીલી નાઘેરનો પ્રદેશ કહેવામાં આવે છે.
નાગરવેલના પાન સૌથી વધુ આ વિસ્તારમાં થતાં હોવાથી તેને નાગરવેલ પાનનો વિસ્તાર પણ કહે છે.
ઘેડ
માણાવદર(જૂનાગઢ) થી લઈને પોરબંદરમાં આવેલ નવીબંદર સુધીના નીચાણવાળા વિસ્તારને ઘેડ કહે છે.
સોરઠ
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાનો વિસ્તાર સોરઠ તરીકે જાણીતો છે. આ વિસ્તારમાં 12 જ્યોતિર્લીંગ પૈકી એક સોમનાથ મંદિર આવેલું છે.
બંદર
માંગરોળ અને ચોરવાડ
ખનીજ
અહીંથી મળતા કેલ્સાઈટને “પનાલા ડિપોઝિટ” કહે છે
પ્રાદેશિક પ્રદેશ
જિલ્લાનો ગીરની ટેકરીઓથી દક્ષિણે આવેલો દરિયાકિનારાનો પ્રદેશ “સોરઠ” કહેવાય છે.
પાક
મગફળીનાં ઉત્પાદનમાં પ્રથમ ક્રમે
કેરી, કપાસ, જુવાર, તલ, બાજરી, નારિયેળ, ચીકુ
આબોહવા
સમશીતોષ્ણ
ઉદ્યોગ
ગુજરાતમાં સૌથી વધુ મગફળી તેલની મિલો અહીં છે.
મત્સ્યોઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ
ડેરી
સાવજ (સોરઠ) ડેરી, જૂનાગઢ
સંશોધન કેન્દ્ર
નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ગ્રાઉન્ડ નટ
જૂનાગઢ ફળ સંશોધન કેન્દ્ર : માંગરોળ
રાષ્ટ્રીય ધોરીમાર્ગ
51 અને 52 નંબરના નેશનલ હાઈવે જિલ્લામાંથી પસાર થાય છે.
સાંસ્કૃતિક વારસો
મેળા
શિવરાત્રિનો ભવનાથનો મેળો
સ્થળ : જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં સ્વર્ણરેખા નદી નજીક ભવનાથ મંદિરમાં.
તિથિ મહાવદ તેરસ (મહાશિવરાત્રિ)
વિશેષતા : આ મેળો અંદાજિત 10 દિવસ સુધી ચાલે છે. આ મેળામાં “નાગાબાવા” આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહે છે.
આ મેળાને “ભક્તિના મેળા” તરીકે પણ ઓળખવામાં આવે છે.
જૂનાગઢને “સાધુઓના પિયર” તરીકે પણ ઓળખવામાં આવે છે.
પરંપરાગત ધાર્મિક ઉત્સવોમાં સૌથી વધારે ઉત્સવો ભગવાન શિવજીના ઉજવવામાં આવે છે. ભગવાન શિવના “લિંગ”ના પ્રતીકરૂપે પૂજન થાય છે.
જૂનાગઢ જ્યાં 9 દેવતાઓ 84 સિદ્ધિઓની પવિત્ર ભૂમિ છે.
મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ ભગવાન શિવની આરતી થાય છે. અહીં ભર્તુહરિ, મુચકુંદ, ગુરૂદત્તની ગુફાઓ આવેલી છે.
મહા મહિનામાં રાતભર ભગવાન શ્રી શિવજીની મહાપૂજા કરવામાં આવે છે જે મહાશિવરાત્રિ સુધી ચાલે છે.
સ્કંદ પુરાણમાં ઉલ્લેખાયું છે કે શિવ-પાર્વતી રથ લઈ આકાશમાં જતાં હતાં ત્યારે પાર્વતીનું દિવ્ય ઘરેણું મંદિર પાસે પડ્યું. જેથી આ સ્થળનું નામ “વસ્ત્રાપુત ક્ષેત્ર” કહેવાય છે.
આ મેળામાં જે સંસ્થાઓ સેવા કરવા આવે છે તેની પહેલેથી કોઈ ચોક્કસ જગ્યા નક્કી હોય છે. તે લોકો દર વર્ષે ત્યાં જ પોતાનો મુકામ રાખે છે જેને બધા રાવટી અથવા ઉતારો કહે છે.
શિવરાત્રિના દિવસે નીકળતી દિગમ્બર સાધુઓની રવેડી સૌના આકર્ષણનું કેન્દ્ર રહે છે.
આ રવેડી ગિરનાર તળેટીના જૂના અખાડાથી નીકળીને ભવનાથ મંદિરે પહોંચે છે.
ભવનાથ મંદિરે પહોંચ્યા બાદ સાધુ – સંતો મંદિરના પૌરાણિક મૃગીકુંડમાં સ્નાન કરે છે.
આ મેળાને વર્ષ 2019થી ગુજરાત સરકાર દ્વારા “મિનીકુંભ”નો દરજ્જો આપવામાં આવ્યો છે.
સંતો શિવરાત્રિના મેળાને “મંડળ-કમંડળનો મેળો” પણ કહે છે.
ગિરનારની લીલી પરિક્રમા
શરૂઆત : કારતક સુદ – અગિયારસ થી કારતક સુદ – પૂનમ સુધી (દેવદિવાળીના દિવસે પૂર્ણ)
કુલ કિલોમીટર : 36 કિલોમીટર
કારતક સુદ અગિયારસે સવારથી જ ભવનાથ તળેટીમાં યાત્રિકો ભેગા થઈ જાય છે. તે દિવસે મધરાતે રૂપાયવનથી દૂધેશ્વર મહાદેવ મંદિરથી સંતો – મહંતો અસંખ્ય ભક્તોની હાજરીમાં દિપ પ્રગટાવીને પરિક્રમાનો પ્રારંભ કરાવે છે.
બીજા દિવસે રાત્રિરોકાણ જીણાબાવાની મઢીએ થાય છે. અહીં શરૂઆતમાં વડલીવાલા માતાજીની જગ્યા આવેલી છે તે પછી જીણાબાવાની મઢી આવે છે. નવાબી કાળમાં જીણાબાવા નામના સંત ધૂણી ધખાવીને રહેતાં હતાં. ત્રીજો વિસામો માળવેલા નામનાં સ્થળે છે.
ચોથો વિસામો : બોરદેવી મંદિર
પુરાણોને આધારિત ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા બહેન સુભદ્રાના લગ્ન માટે સૌપ્રથમ વખત આ પરિક્રમા કરવામાં આવી હતી અને બોરદેવીની જગ્યા પર બોરડીના વૃક્ષ નીચે આવેલા માતાજીના મંદિર પાસે જ બહેન સુભદ્રા અને અર્જુનના લગ્ન પણ કરાવ્યાં હતાં.
લીલી પરિક્રમાની ઘોડીઓ
ઈંટવા ઘોડી
જે અન્યની સાપેક્ષમાં સરળ અને ભવનાથ તળેટી તથા ઝીણા બાવાની મઢી વચ્ચે સ્થિત છે.
માળવેલા ઘોડી
જે પ્રથમ ઘોડી કરતા સહેજ આકરી અને પથરાળ છે.
નાળ-પાણીની ઘોડી
અન્ય બે ઘોડીઓના તોલે આ ઘોડી આકરી અને ઘણી ઊંચાઈએ આવેલ છે. આ ઘોડી માળવેલા તથા બોરદેવી મંદિરની વચ્ચે સ્થિત છે.
પરિક્રમાની વાત 80 વર્ષ પહેલાના પુસ્તકમાં મળી આવે છે. પુસ્તક “પ્રભુની ફુલવાડી”માંથી મળે છે.
ગરવા ગિરનારની પ્રથમ પરિક્રમા શરૂ કરનાર પ્રણેતા મેંદરડાના બગડુ ગામના લેઉવા પટેલ સંતશ્રી અજા ભગત હતાં. (અજા દેવા ડોબરીયા)
બીજા મત પ્રમાણે ઈ.સ 1864 માં ગરવા ગિરનારની પરિક્રમા જૂનાગઢના દીવાન અનંતજી અમરચંદ વસાવડાએ જેઠ માસમાં સંઘ કાઢી શરૂ કરાવી હતી.
અન્ય મેળાઓ
અષાઢી બીજ : પરબધામ (તા. ભેંસાણ)
ઝૂંડનો મેળો : ચોરવાડ
મહેલો
જૂનાગઢ નવાબનો મહેલ : ચોરવાડ
નવાબ મહોબતખાને બંધાવ્યો
હાલમાં તેને “સમરપેલેસ” તરીકે ઓળખવામાં આવે છે.
રાણકદેવીનો મહેલ – જૂનાગઢ
રા’ખેંગારનો મહેલ : જૂનાગઢ
કુંડ
દામોદર કુંડ – જૂનાગઢ
ગિરનારની તળેટીમાં સોનરખ નદી પાસે આવેલો કુંડ.
“ગિરિ તળેટી ને કુંડ દામોદર, ત્યાં મહેતાજી ન્હાવા જાય” એ પંક્તિઓ જાણીતી છે. માત્ર નરસિંહ મહેતાના સમયથી જ નહિ, એના પહેલાં પણ આ કુંડનું મહવ હતું.
કથા કહે છે કે બ્રહ્માએ તથા ઈન્દ્રે આ તીર્થમાં ઘણા યજ્ઞો કર્યાં હતાં. એમાં બધા દેવી દેવતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
એ દરેકને પોત-પોતાના સ્થાનમાં તીર્થ સ્થાન કરવાની ઈચ્છા થઈ, આથી બ્રહ્માજીએ પોતાના કમંડલમાંથી ગંગાજીને પ્રગટ કરી પધરાવ્યા હતા. આ કુંડમાં ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી, ક્ષિપ્રા, ચર્મણ્યવતી, ગોદાવરી વગેરે તીર્થ સ્વરૂપ ગણાતી નદીઓએ ત્યાં વાસ કર્યો. બ્રહ્માના નામ ઉપરથી એ કુંડનું નામ “બ્રહ્મકુંડ” પડ્યું હતું. ત્યારબાદ બ્રહ્માના વચનથી સૌ દેવતાઓ અહીં દામોદર સ્વરૂપે બિરાજ્યાં હતા. આથી આ તીર્થ દામોદર કુંડ તરીકે પ્રખ્યાત થયું હતું.
અહીં મનુષ્યનાં અસ્થિ પધરાવવાથી તદ્દન ગળી જાય છે. ગોમતીમાં પધરાયેલાં અસ્થિ ચક્રરૂપ, ગંગામાં શેવાળ રૂપ અને દામોદરમાં જળરૂપ બને છે.
ભીમકુંડ અને સૂરજ કુંડ : જૂનાગઢ
ગિરનારમાં જૈન મંદિરો છોડી આગળ વધતાં નેમિનાથ ભગવાનનું મંદિર આવે છે. ત્યાંથી જરા આગળ ઘટી ઘટુકો નામના સ્થળની પાસે જ પ્રાચીન “ભીમકુંડ” આવેલો છે. ઉપરકોટ બાંધવામાં આવ્યો ત્યારે એનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત કોટમાં “સુરજકુંડ” પણ આવેલો છે. કોટમાંથી ઉપર જતાં રાજુલગુફા આવે છે. ત્યાં પણ એક કુંડ આવેલો છે.
આ ઉપરાંત સાચા કાકાની જગ્યા પાસે મહાકાલીની ભવ્ય મૂર્તિ અને “કપિલધારા” નામે કુંડ છે. ત્યાંથી ગુરૂ દત્તાત્રેય તરફ જતાં માર્ગમાં “કમંડલ કુંડ” આવે છે.
હનુમાનધારા પાસે જ્યાં સીતામઢી અને રામચંદ્રજીનું મંદિર છે. ત્યાં “સીતાકુંડ” અને “રામકુંડ” આવેલા છે.
ગજપદ કુંડ
ગિરિનગરમાં રચાયેલ તમામ જૈન સાહિત્યમાં તેનો ઉલ્લેખ છે.
આ ગજપદ કુંડને ગજેન્દ્રપદ કુંડ તથા હાથી પગલાનો કુંડ નામે પણ ઓળખાય છે.
રેવતી કુંડ
પૌરાણિક કથા અનુસાર શાપ પામવાથી રેવતી નક્ષત્ર પૃથ્વી પર પડ્યું ત્યાં મોટો ખાડો થઈ ગયો. તેમાંથી કન્યા ઉત્પન્ન થઈ તેનું નામ રેવતી રાખ્યું.
પ્રમુખ ઋષિએ તેને પાળી પોષી મોટી કરીને એમણે ફરી રેવતી નક્ષત્રને આકાશમાં સ્થાપ્યું.
બીજા જન્મમાં એ રેવતીનાં લગ્ન બલરામ સાથે થયાં હતાં. રેવતી-બલરામ ગિરનારની યાત્રાએ આવ્યાં ત્યારે ગર્ગ ઋષિના કહેવાથી આ કુંડનો જીર્ણોદ્ધાર કર્યો હતો. ત્યારથી તેને “રેવતી કુંડ” કહે છે.
મૃગી કુંડ
સૌરાષ્ટ્રના જે મુખ્ય શિવાલયો છે તેમાં ભવનાથ પણ એક છે. ગીર તળેટીમાં વનરાજી સભર વાતાવરણમાં ભવનાથ અને તેની બાજુમાં મૃગીકુંડ આવેલો છે.
સાત પૈકીના એક અમરાત્મા અશ્વત્થામાં શિવરાત્રિની મધ્યરાત્રિએ મૃગીકુંડમાં સ્નાન કરે છે. તેવી લોકવાયકા છે.
બીજી એક લોકવાયકા કાન્ય કુમ્બજના ભોજ રાજા સાથે સંકળાયેલ છે. ભોજ રાજાએ બનાવેલ કુંડ એટલે મૃગીકુંડ.
શિવરાત્રિ સમયે સાધુઓ મૃગીકુંડમાં સ્નાન કરી ભવનાથની મહાપૂજા કરે છે.
અડી-કડીની વાવ 15મી સદીમા બંધાયેલી અડી કડીની સમગ્ર વાવ સખત ખડકમાંથી કોતરી કાઢી છે.
120 પગથિયાની સાંકડી સીડી પથ્થરમાં ઊંડે વાવના મધ્ય ભાગ સુધી કોતરી કાઢવામાં આવી છે.
વાવના સંદર્ભમાં કથાઓ પ્રચલિત છે. એક કથા પ્રમાણે રાજાએ વાવ બાંધવાનો આદેશ કર્યો અને મજૂરો સખત પથ્થરને ખોદવા નીચે ઉતરી પડ્યા પરંતુ પાણી મળ્યું નહિ.
રાજગુરૂએ કહ્યું કે બે કુંવારી કન્યાઓનું બલિદાન આપવામાં આવશે તો જ પાણી આવશે..
અડી અને કડી ગામની બે કમનસીબ છોકરીઓને પસંદ કરવામાં આવી.
તેમના બલિદાનથી પાણી મળ્યું હતું.
બીજી કથા અનુસાર તે બંને બહેનો રાજાની દાસી હતી ત્યાં લોકો આજેય તેમની યાદમાં નજીકના વૃક્ષ પર કપડાં અને બંગડીઓ મૂકે છે.
નવઘણ કૂવો
ઉપરકોટના બીજા છેડે સુપ્રસિદ્ધ “નવઘણ કૂવો” આવેલો છે. ત્યાં દર્શાવેલી માહિતી અનુસાર કહી શકાય કે કૂવાનું નામ “રા’નવઘણ” (ઈ.સ. 1025-44) પરથી પડ્યું છે. રા’નવઘણના શાસન દરમિયાન બંધાયેલા મોટા થાળામાંથી 170 ફૂટ ઊંડા કૂવાને જોઈ શકાય છે.
ચડાની વાવ
સોલંકી રાજવી સિદ્ધરાજે ઈ.સ. 1094થી 1143ની વચ્ચે બંધાવી હતી
ગુફાઓ
ખાપરા કોડિયાની ગુફાઓ
આ ગુફાઓ ખંડેર હાલતમાં છે.
અહીંથી મળેલા અવશેષો ઉપરથી જણાય છે કે તે ત્રણ મજલાવાળી હશે.
કુલ 20 સ્તંભ આવેલાં છે.
આ ગુફાઓ ઈ.સ. ત્રીજી સદીમાં કંડારેલી હોવાની શક્યતા છે.
પહેલાં આ ગુફાને ખેંગાર મહેલ તરીકે ઓળખવામાં આવતી હતી.
સમ્રાટ અશોકના શાસન દરમિયાન આ વિસ્તારમાં સૌપ્રથમ બનાવવામાં આવેલ બૌદ્ધ ઈમારત તરીકે ગણવામાં આવે છે.
બાવા પ્યારેની ગુફાઓ
આ ગુફાઓ બાબા પ્યારેના મઠ પાસે આવેલી છે.
તે ત્રણ હરોળમાં પથરાયેલી છે તેમજ એકબીજાને સાથે કાટખૂણે જોડાયેલી છે.
હ્યુ-એન-ત્સાંગની હિંદુસ્તાની યાત્રાના લખાણ અનુસાર તે 1લી સદીમાં બંધાયેલી મનાય છે.
ચોરવાડ અને વેરાવળ (ગીર સોમનાથ)ની ખારવા બહેનોનું નૃત્ય.
ટિપ્પણી એ સૌરાષ્ટ્રની રળિયામણી ધરતી પર આવેલા ચોરવાડ પંથકમાં રહી કાળી મજૂરી કરનાર ખારવા બહેનોનું શ્રમહારી નૃત્ય છે.
સંગીત અને નૃત્ય સાથે કઠિન પરિશ્રમને હળવો ફૂલ જેવો બનાવી દેવાની લોકનારીની આ કોઠાસૂઝમાંથી જન્મેલી કલામય ટિપ્પણી નૃત્ય છે.
પહેલાના સમયમાં ચૂના બંધ ઘરના ઓરડામાં, અગાશીમાં કે મકાનના પાયામાં ચૂનાનો ધાબો ભરવામાં આવતો. આ ધાબો પાકો કરવા ટિપ્પણીનો ઉપયોગ થતો હતો. ટિપ્પણી એટલે એવી લાંબી લાકડી જેના નીચેના છેડા પર વજનવાળો ચોરસ કે ગોળાકાર લાકડાનો કે લોખંડનો ટૂકડો લગાવેલો હોય છે.
ટિપ્પણીઓ હાથમાં લઈને સામસામે કે ગોળાકાર ઊભી રહી બહેનો હલકા ભર્યા કંઠે ગીત ઉપાડે છે.
શ્રમિક બહેનો ટિપ્પણી આઠ થી વીસ એવી જુદી જુદી ચાલમાં ચાલે છે.
જૂનાગઢ ગામની બહેનોની ટિપ્પણી જોઈને જૂનાગઢનાં નવાબ પણ તેમને પ્રોત્સાહન આપતાં હતાં.
હાલમાં આ વારસામાં મળેલ નૃત્યો ખાલી ઉત્સવો કે પ્રોગ્રામમાં જોવા મળે છે.
મહત્વના સ્થળો અને તેમની વિશેષતાઓ
જૂનાગઢ
ગિરનાર પર્વતની તળેટીમાં વસેલું જૂનાગઢ શહેર જિલ્લાનું મુખ્ય મથક છે.
ઉપરકોટમાં રાણકદેવીનો મહેલ આવેલો છે. આ ઉપરાંત અડીકડીની વાવ અને નવઘણ કૂવો, સક્કરબાગ (પ્રાણી સંગ્રહાલય), દરબાર હોલ મ્યુઝિયમ, નરસિંહ મહેતાનો ચોરો, નવાબનો મહેલ, સમુદ્રગુપ્તનો શિલાલેખ, હસ્તકલા ઉદ્યોગની સંસ્થા રૂપાયતન વગેરે અહીંનાં જોવાલાયક સ્થળો છે.
હ્યુ-એન-ત્સાંગ ઈ.સ. 635-638ની વચ્ચે જૂનાગઢની મુલાકાતે આવ્યો હતો. તેમણે પોતાની રોજનીશીમાં સૌરાષ્ટ્ર વિશે “સુલચ” શબ્દનો પ્રયોગ કર્યો હતો.
ઈસુની પહેલી બીજી સદીની ખાપરા – કોડિયાની અને બાવા પ્યારાની ગુફાઓ જૂનાગઢમાં આવેલી છે. જૂનાગઢની ગુફાઓની મુલાકાત કર્નલ ટોડે ઈ.સ. 1882માં લીધી હતી.
ધંધુસરમાં ઉબેલા નદીને કાંઠે કહેવાતું ધુંધળીનાથ દેરૂ તળાવને કાંઠે ઊભું હતું. ગામમાં મોરલાનું મંદિર ભીમશી થાપલીયાનું પૂતળું, હાનીવાવ વગેરે સ્થળો આવેલા છે. આ ગામની મુલાકાત ઈ.સ. 1882માં કર્નલ ટોડે લીધી હતી.
ઉપરકોટ – જૂનાગઢ
ઉપરકોટનો કિલ્લો સમ્રાટ ઉગ્રસેને બંધાવ્યો હોવાનું મનાય છે.
જૂનાગઢના દિવંગત ઈતિહાસકાર શ્રી શંભુપ્રસાદ દેસાઈએ નોંધ્યું કે આ કિલ્લાનું મૂળનામ “ગિરિદુર્ગં” હતું.
ઈ.સ. 1450માં રાજા રા’માંડલિક અને ત્યાર પછી ઈ.સ. 1893- 94માં જૂનાગઢના તે સમયના દીવાન હરિદાસ વિહારીદાસે આ કિલ્લાનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આ કિલ્લાની લંબાઈ 3080 મીટર છે. નાના-મોટાં કાંગરાની સંખ્યા 1174 છે.
આ દુર્લભ ગઢમાં મહમદ બેગડાએ ઘેરો નાખ્યો તેની સામે રાજા રા’માંડલિક બહાદૂરી પૂર્વક બાર વર્ષ લડ્યો અને છેલ્લે પરાજય સાંપડ્યો હતો.
આ ઉપરાંત ઉપરકોટની ફરતે લોખંડની તોતિંગ તોપો પડેલી છે. તેમાં મુખ્ય “નીલમ” અને “માણેક” તોપ છે.
નીલમ તોપ ઉપર અરબી લિપિમાં લખાણ છે. બાજુમાં જ સહેજ નાની માણેક તોપ આવેલી છે. નીલમ તોપ 10 ફૂટ લાંબી, 7/12 ફૂટના ઘેરાવની અને મોં (નાળચુ)નો વ્યાસ 9 1/2 ઈંચનું છે.
બોરીયા અને ઈંટવાના સ્તૂપ
જૂનાગઢમાં બોરીયા સ્તૂપ અને ઈંટવા સ્તુપ એમ બે સ્તૂપો આવેલા છે. આ સ્તૂપ અનુક્રમે આચાર્ય વલ્લભજી તથા તેના પુત્ર આચાર્ય ગીરજાશંકરે શોધ્યા હતા.
અશોકનો શિલાલેખ ઉકેલાયા પછી તેની આજુબાજુમાં સ્તુપ હોવાનું આચાર્ય વલ્લભજીએ ધારણા કરી હતી. આ બંને સ્થળોને રાજ્યરક્ષિત સ્થળોની યાદીમાં મૂકવામાં આવ્યો છે.
ગિરનાર
કવિશ્રી મકરંદ દવે ગિરનારને “મુક્તાત્માઓનું વતન” કહ્યું છે.
ગિરનાર પર્વતને પૂર્વકાળમાં રૈવત, રૈવતક, રૈવતાચળ, ઉજયંત ગિરિનારાયણ તરીકે ઓળખાતો હતો.
ગિરનારના મુખ્ય પાંચ શિખરોમાં ગોરખનાથનું શિખર સૌથી ઊંચું 3666 ફૂટ, દત્તાત્રેય શિખર 2395 ફૂટ, અંબાજી શિખર 3330 ફૂટ જ્યારે માળી પરબ 1880 ફૂટ ઊંચું છે.
ગિરનારમાં ઝીણાબાવાની મઢી, જાંબુવંતની ગુફા, બોરદેવી ઈંટવા, ખોડિયાર, માળવેલા, સાતપુડા સહિત અન્ય જાણીતા સ્થળો આવેલા છે.
જ્યારે હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતીક સમા ઓલીયા પીર દાતાર બાપુ પણ ગિરિમાળામાં શોભે છે.
આ ઉપરાંત ગિરનાર પર્વત પર અંબાજીની ટૂંક પર અંબાજીનું મંદિર, ગિરનારની ઊંચામાં ઊંચી ટૂંક પર ગોરખનાથજી મંદિર, ગુરૂ દત્તાત્રેયની ટૂંક પર મા અંબાજીનું મંદિર વગેરે આવેલા છે.
ગિરનારની પહેલી ટૂંકમાં વસ્તુપાળ – તેજપાળના ભવ્ય દેરાસરો આવેલાં છે. બીજી ટૂંક એટલે ભગવાન નેમિનાથની ટૂંક.
વસ્તુપાળે અને તેજપાળે બંધાવેલ મલ્લિનાથનું મંદિર પણ અહીં આવેલું છે.
સમ્રાટ અશોકના ત્રીજા પુત્ર કૃણાલના પુત્ર સંપ્રતિનું દેરાસર ગુજરાતના સમર્થ રાજા કુમારપાળના ભવ્ય દેરાસર તથા અન્ય જૈન દેરાસરો આવેલાં છે,
આ ઉપરાંત ગૌમુખી ગંગા, કમંડળ કુંડ અને પાંડવ ગુફા તથા ભૈરવ જપ જેવા મહત્ત્વના પુરાતન સ્થળો પણ ગિરનારમાં આવેલાં છે.
દાતારની ટૂંક પર જમિયલશા દાતારની દરગાહ આવેલી છે. મુચકન્દ રાજાના વતી કાલીયવન (ક્લ્યવાન) રાજાનો વધ કરવા શ્રીકૃષ્ણ આવ્યા હતા.
ભગવાન નેમિનાથ સંસારનો ત્યાગ કરીને અહીં જ આવ્યા હતા.
દાતાર
દક્ષિણે દાતાર પર્વત આવેલો છે. ત્યાં “જમીયલશા પીરની દરગાહ” આવેલી છે.
જમીયલશા તુરબત સિંધના નગરઠઠાના વતની હતાં. પરંતુ અહીં વસેલા તેથી અહીં તેનો ચિલ્લો છે એમ કહેવાય છે.
લોકોક્તિ પ્રમાણે નાગબાઈને સંતાપનારા રા’માંડલીકને ક્ષમા માંગવા કહેલું અને તે ન માનતા અંતે જમીયલશાએ મહંમદ બેગડાને જૂનાગઢ જીતી લેવા આમંત્રિત કર્યાં.
દાતાર પર્વત પર ઈ.સ. 1894માં પગથિયાં બંધાવવામાં આવ્યા હતા.
નરસિંહનો ચોરો
ગુજરાતના આદ્યકવિ શ્રી નરસિંહ મહેતાના ચોરાની શોધ ઈ.સ. 1879માં દીવાન ભવાનીદાસના પુત્ર ત્રિકમદાસ મજમુદારે કરી હતી.
આ રહેઠાણની ખુલ્લી જગ્યામાં મધ્યમાં રાસચોરો નામનો એક વર્તુળાકાર ઓટલો આવેલ છે.
રાસચોરા પરનું ગોપનાથનું નાનું મંદિર, નરસિંહ મહેતાની મૂર્તિ તથા ત્રિકમદાસજીનું સ્વરૂપ છે.
મજેવડી દરવાજો
જૂનાગઢનો કિલ્લો ઈ.સ. 1633માં સુબેદાર ઈસરતખાન દ્વારા બાંધવામાં આવ્યો હતો. મજેવડી દરવાજો આ કિલ્લામાં આવેલો છે.
આ દરવાજાને જૂનાગઢનું ઉત્તર દિશાનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે.
સરદાર દરવાજો
ઈ.સ. 1866નાં ડિસેમ્બરની 11મી તારીખે જેતલસર જૂનાગઢ રેલવે લાઈનનું ખાતમુહૂર્ત મુંબઈના ગર્વનર લોર્ડ રે ના હસ્તે થયું હતું.
લોર્ડ રે ગેટના નામે ઓળખાતો આ દરવાજો હવે સ્ટેશન દરવાજો અથવા સરદાર દરવાજાના નામે ઓળખાય છે.
બાજુમાં આવેલ ચાંદની ચોક નામે ઓળખાતું સર્કલ ચોક નવાબ મહાબતખાન બીજાએ બનાવડાવ્યું હતું.
મહાબત મકબરો
જૂનાગઢની શાન મકબરાનું બાંધકામ ઈ.સ. 1878માં નવાબ મહાબતખાન દ્વિતીય દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને 14 વર્ષ પછી ઈ.સ. 1892માં નવાબ રસુલખાનજીના સમયમાં કુલ 3,97,647.11 કોરીના ખર્ચે પૂર્ણ થયું હતું.
બાંધકામ દરમિયાન ઈ.સ. 1882માં નવાબ મહોબતખાનજીનું અને ઈ.સ. 1892માં નવાબ બહાદુરખાન તૃત્તીયનું અવસાન થયું હતું. બંને નવાબને તેમાં દફનાવવામાં આવેલ હતા.
ઈ.સ. 1911માં નવાબ રસુલખાનનું અવસાન થયું ત્યારે તેમને આ મકબરામાં દફન કરવામાં આવ્યાં હતા.
ઉનાળામાં જૂનાગઢના નવાબ અહીં રહેતાં હતા. અત્યારે નવાબનો મહેલ હોલિડે હોમમાં ફેરવાઈ ગયો છે.
નારિયેળ અને નાગરવેલના પાન સૌથી વધુ અહીં છે.
ધીરુભાઈ અંબાણીનું વતન પણ અહીં જ છે.
દીવાસળી બનાવવાનો ઉદ્યોગ ચોરવાડ ખાતે વિકસ્યો છે.
માળીયા-હાટીના તાલુકાના ચોરવાડથી ગીર સોમનાથના વેરાવળ સુધીના સમુદ્રમાં પ્રતિવર્ષ વીર સાવરકરની સ્મૃતિમાં “અખિલ ભારત તરણ સ્પર્ધા” યોજાય છે. જેમાં બહેનો અને ભાઈઓ માટે અનુક્રમે 16 અને 21 દરિયાઇ નોટિકલ માઈલની સ્પર્ધા યોજાય છે.
બિલખા
શ્રી નથુરામ શર્માનો આનંદ આશ્રમ આવેલો છે.
અહીં રામનાથ મહાદેવ મંદિર અને રાવતસાગર નામનો ડેમ આવેલો છે.
શેઠ સગાળશાનું નામ આવતાં ચેલૈયાનુ બલિદાન યાદ આવે છે. ભગવાન સાધુ સ્વરૂપે શેઠ સગાળશાના ઘરે પધારી જમણમાં તેના પુત્રનું બલિદાન માંગ્યું હોવાની માન્યતા છે.
ધર્મવીર શેઠ સગાળશાએ પુત્રનું બલિદાન આપી સાધુ સ્વરૂપે પધારેલા ભગવાનને તૃપ્ત કર્યા. આથી ભગવાન પ્રસન્ન થઈ ચૈલેયાને સજીવન કર્યો હતો.
સતાધાર
સૌરાષ્ટ્રના સુવિખ્યાત સંત આપાગીગાની સમાધિ અહીં આવેલી છે.
પરબ વાવડી
ભેંસાણ તાલુકામાં આવેલ છે.
સંત દેવીદાસ – અમર દેવીદાસનું સમાધિ સ્થાન છે.
રક્તપિત્ત કુષ્ઠ રોગના દર્દીઓને સમાજ જ્યારે અસ્પૃશ્ય અને અછૂત ગણતો હતો ત્યારે જીવા રબારીને ત્યાં જન્મેલા દેવા રબારીએ કુષ્ઠ રોગીઓની સેવા ચાકરી કરવાની કઠિન-જવાબદારી અંતઃસ્ફુર્ણાથી ઉપાડી લીધી હતી.
ગિરનારના જંગલોમાંથી એકઠી કરેલ ઔષધિય વનસ્પતિ અને ઘરેઘરેથી માંગેલ અન્નથી દેવા રબારીએ સાધુ – સંતો દર્દીઓની સેવા – ચાકરી કરી હતી.
દેવા રબારી બાદમાં સંત દેવીદાસ નામે ઓળખાવા લાગ્યા. તેમણે ભેંસાણ પાસે વાવડી ગામની બાજુમાં સેવાની જ્યોત સળગતી રાખી હતી.
કન્યા અમરબાઈનો પણ સાથ સાંપડ્યો હતો.
દર વર્ષે અષાઢી બીજ નિમિત્તે અહીં લોકમેળો ભરાય છે,
નિલકંઠવર્ણી ભૂમિ – લોજપુર તથા પ્રસાદી વાવ
ભગવાન સ્વામિનારાયણે વર્ણીવેશે છપૈયાથી રાષ્ટ્ર પરિભ્રમણ કરીને લોજપુર ગામે પધાર્યા હતા.
લોજપુરમાં વાવને કિનારે સૌપ્રથમ પધારી વાવને પાવન કરી, લોજપુરમાં (લોએજ) સાત વર્ષ ઉપરાંત ઉગ્ર તપશ્ચર્યા કરી હતી અને તેઓ સંપ્રદાયમાં નીલકંઠવર્ણી તરીકે પૂજાયા હતા.
માંગરોળ નજીકનું લોજપુર ધામ (લોએજ) નીલકંઠ ભૂમિ તરીકે પ્રસિદ્ધ છે.
પૌરાણિક કથા અનુસાર લોજપુરમાં “લોમેશ ૠષિનો આશ્રમ” હતો.
ખોરાસા (આહિરના) તિરૂપતિ મંદિર
વંથલી તાલુકામાં આવેલ છે.
દેશમાં બીજું અને ગુજરાતનું પ્રથમ તિરૂપતિ મંદિર
ખોરાસા ગામમાં શ્રી વેંકટેશ ભગવાનનું ભવ્ય મંદિર છે.
જૂનાગઢના આદ્ય કવિ નરસિંહ મહેતા માટે શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થયા તે જ પવિત્ર સ્થાને ખોરાસા ગામ છે.
આહિર જ્ઞાતિની વસ્તી ધરાવતું ખોરાસા ગામ ખોરાસા આહીરથી અને ભગવાન વેંકટેશના મંદિરથી પ્રખ્યાત છે.
કનકાઈ
વિસાવદર તાલુકામાં આવેલું કનકાઈ મંદિર જુદી જુદી જ્ઞાતિના કુળદેવી તરીકે પૂજાતા માતા કનકેશ્વરીનું મંદિર છે.
કનકસેન ચાવડાએ વસાવેલ નગરીમાં કુળદેવી તરીકે કનકેશ્વરીની સ્થાપના કરી હતી.
ગ્રંથ ભંડાર અને સંગ્રહાલય
દરબાર હોલ મ્યુઝિયમ
જૂનાગઢના નવાબ રસુલખાનજીના શાસનકાળમાં તત્કાલિન મુંબઈના ગવર્નર લોર્ડ સેંડર્સ્ટનાં હસ્તે તા. 02/02/1897ના દિવસે મ્યુઝિયમના મકાનનો શિલાન્યાસ કર્યો હતો.
દીવાન ચોક પાસે આવેલ દરબાર હોલ મ્યુઝિયમની સ્થાપના નવેમ્બર 1948માં થઈ હતી.
હોલની સ્થાપના મહોબતખાન ત્રીજાએ કરી હતી.
સક્કરબાગ
સ્થાપના ઈ.સ. 1863
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ ખાતે આવેલું છે. સક્કરબાગ ઝૂઓલોજિકલ ગાર્ડનને સક્કરબાગ ઝૂ અથવા જૂનાગઢ ઝૂ તરીકે પણ ઓળખવામાં આવે છે.
એક લોકપ્રિય માન્યતા પ્રમાણે સક્કરબાગ નામ મીઠા પાણીના કૂજનતાના પૈસા વગર સમારકામ કરાવ્યુંવા પરથી પાડવામાં આવ્યું છે. (સક્કર-સાંકર, બાગ-ઉદ્યાન)
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ભારતના સૌથી પુરાતન પ્રાણી સંગ્રહાલયોમાંનું એક છે.
આ સંગ્રહાલયમાં વિશ્વનું સૌથી મોટું એશિયાટિક સિંહનું બ્રિડિંગ સેન્ટર આવેલું છે.
સુદર્શન તળાવ
વંશ / યુગ
રાજા
સુબો
સુદર્શન તળાવ
મૌર્ય
ચંદ્રગુપ્ત
પુષ્યગુપ્ત
તળાવ બંધનું નિર્માણ
મૌર્ય
અશોક
યવનરાજ / તુષાસ્ફ
નેહરો બંધાવી
ગુપ્ત
સ્કંદગુપ્ત
ચક્રપાલિત
વરસાદથી બંધ તૂટતા તેનું પુનઃ નિર્માણ કરાવ્યું
ક્ષત્રપ
રુદ્રદામા
સુવિશાખ
જનતાના પૈસા વગર સમારકામ કરાવ્યું
ગુપ્ત રાજા સ્કંદગુપ્ત ના સુબા પર્ણદત્તના પુત્ર ચક્રપાલિતએ ફરી નિર્માણ કરાવ્યું અને તેની નજીક વિષ્ણુમંદિર બંધાવ્યું હતું.
શિલાલેખ
અશોકનો શિલાલેખ
લિપિ : બ્રાહ્મી
ભાષા : પ્રાકૃત
શોધક : જેમ્સ ટોડ
ઉકેલનાર : જેમ્સ પ્રિન્સેપ
સુધારો : ડો. ભગવાનલાલ ઈન્દ્રજી
રુદ્રદામાનો શિલાલેખ
લિપિ : બ્રાહ્મી
ભાષા : સંસ્કૃત
સ્કંદગુપ્ત નો શિલાલેખ
લિપિ : બ્રાહ્મી
ભાષા : સંસ્કૃત
અન્ય
જૂનાગઢમાં આવેલ નરસિંહ મહેતા તળાવનું જૂનું નામ “સરદાર તળાવ” હતું.
કૂવાઓની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાતમાં પ્રથમ સ્થાન
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી – સ્થાપના 2004
ભારત સરસ્વતી મંદિર ગ્રામ વિદ્યાપીઠ શારદા ગ્રામમાં આવેલી છે.
રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર – જુનાગઢ
ફળફળાદી સંશોધન કેન્દ્ર માંગરોળમાં આવેલ છે.
જાણીતા સંગીતકાર દિલીપ ધોળકિયાનો જન્મ ઈ.સ. 1921માં જૂનાગઢમાં થયો હતો.
રૂપાયતન હસ્તકલા ઉદ્યોગ સાથે સંબંધિત સંસ્થા જુનાગઢમાં આવેલી છે.
કે. કા. શાસ્ત્રી તરીકે જાણીતા સાહિત્યકાર કેશવરામ કાશીરામ શાસ્ત્રીનો જન્મ ઈ.સ. 1905માં માંગરોળમાં થયો હતો.
ગિરનાર ખાતેના અશોકના શિલાલેખને કવિ ન્હાનાલાલે “શૈલકર્ણ” તરીકે બિરદાવ્યો છે.
ગિરનારનું મંદિર સજ્જનમંત્રીએ બંધાવ્યું હતું.
એશિયાટિક સિંહોની સૌથી વધુ વસ્તી જૂનાગઢમાં આવેલું છે.
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભયારણ્ય જૂનાગઢમાં છે.
પ્રાચીન કવિ ધ્યારામના કાવ્ય રસિકવલ્લભમાં તેમણે જીર્ણગઢ નામનો ઉલ્લેખ કર્યો છે.
કમાલશા પીરની દરગાહ ગિરનારમાં દાતારની ગુફાની બાજુમાં આવેલી છે.
પ્રાકૃતિક ચિકિત્સા માટે વિવિધ ઔષધિ વનસ્પતિઓનું સંગ્રહાલય અહીં આવેલું છે.
વર્ષ 2017માં શિલાન્યાસ કરવામાં આવેલા ગિરનાર રોપ-વે પ્રોજેક્ટનું ઓક્ટોબર, 2020માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ એશિયાનો સૌથી લાંબો રોપ-વે છે, જે રૂપિયા 130 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો છે. આ પ્રોજેક્ટ ઉષા બ્રેકો દ્વારા BOOT (Build- Own- Operate – Transfer) મોડલ અંતર્ગત બનાવવામાં આવ્યો છે. આ સાથે ગુજરાતમાં કુલ ત્રણ જગ્યાઓ પર રોપ-વે સુવિધા અસ્તિત્વમાં છે. (જૂનાગઢ, પાવાગઢ અને અંબાજી)
બજેટ 2022-23માં સૌની યોજના હેઠળ નર્મદાના પાણી સૌરાષ્ટ્ર ની નદીઓ અને ડેમો સુધી પહોંચાડવા માટે લિન્ક-4માં સુરેન્દ્રનગરના લીંબડી ભોગાવો-2 ડેમથી જૂનાગઢ જિલ્લાની હિરણ-2 સિંચાઈ યોજનાની જાહેરાત કરાઈ છે.
1 thought on “Junagadh | જુનાગઢ”