કલાપી | Kalapi

કલાપી | Kalapi

યુવા રાજવી કવિ : કલાપી

નામકલાપી
પૂરું નામસુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
જન્મ26 જાન્યુઆરી, 1874
જન્મસ્થળલાઠી (અમરેલી)
ગુરુમણિલાલ નભુભાઈ દ્વિવેદી
માર્ગદર્શકગોવર્ધનરામ ત્રિપાઠી
બિરુદ“કલાપી”, “સુરતાની વાડીનો મીઠો મોરલો”(કાન્ત દ્વારા), “મધુકર”, “ગુજરાતના વર્ડઝવર્થ”, “રાજવી કવિ”, “મંથનમગ્ન કવિ”, “ગુજરાતના ઓમારખય્યમ”, “યુવાનોનો કવિ” (સુંદરમ દ્વારા), “પ્રણય અને અશ્રુના કવિ” (ક.મા. મુનશી દ્વારા)
અવસાન9 જૂન, 1900
  • ઊર્મિકાવ્યો – ચિંતનાત્મક કાવ્યોને ગુજરાતના જનહૃદયમાં ગુંજતા કરનાર કવિ કલાપી ગુજરાતી સાહિત્યમાં તેમના પ્રણય કાવ્યો માટે જાણીતા છે.
  • “મધુકર” ઉપનામથી સાહિત્ય લખવાની શરૂઆત કરી. સૌપ્રથમ લેખનની શરૂઆત “કાશ્મીરના પ્રવાસ વર્ણન” દ્વારા થઈ.
  • કલાપીની “ફ્કીરી હાલ” નામની કવિતાએ તેમને ખૂબ જ પ્રસિદ્ધિ અપાવી હતી.
  • કલાપીની જાણીતી કાવ્યકૃતિ “હૃદયત્રિપુટી” નું 1923માં “મનોરમા” નામે ફિલ્મમાં રૂપાંતર થયું હતું.
  • વર્ષ 1966માં “કલાપી” ચલચિત્ર બનાવાયું, જેમાં સંજીવ કુમારે કલાપીની ભૂમિકા ભજવી હતી.
  • કલાપીએ હરિગીત અને મંદાક્રાન્તા છંદમાં વિશેષ કાવ્યો લખ્યા છે.
  • તેના જીવનના સંઘર્ષમાંથી નિપજતા કાવ્યો “એક ઘા”, “આપની યાદી”, “ગ્રામમાતા” છે.
  • કલાપીએ પ્રવાસવર્ણન, સંવાદો, અનુવાદો, ડાયરી, આત્મકથન તેમજ પત્રરૂપે ગદ્યલેખન પણ કર્યું છે.
  • સુરસિંહજીને પ્રતાપસિંહ અને જોરાવરસિંહ નામના બે પુત્રો હતા. તે બંને સાહિત્ય તરફ રુચિ ધરાવતા હતા. પિતાનું સાહિત્ય પ્રસિદ્ધ કરવાનો શ્રેય બંનેને જાય છે. કલાપીના પત્ની રાજબા પણ કવિતાઓ રચતા હતા.
  • પ્રતાપસિંહજીના પુત્ર અને સુરસિંહજી ગોહિલ “કલાપી” ના પૌત્ર તથા લાઠીના અંતિમ શાસક “પ્રહલાદસિંહજી”“રાજહંસ” ઉપનામથી લેખો-કાવ્યો લખ્યા હતા અને લેખનની પરંપરા યથાવત રાખી હતી.
  • વર્ષ 1997થી આદિત્ય બિરલા સેન્ટર ફોર ૫૨ફોર્મિંગ આર્ટ્સ એન્ડ રિસર્ચ દ્વારા ગુજરાતી ગઝલમાં યોગદાન બદલ ગુજરાતી ગઝલકારોને દર વર્ષે “કલાપી પુરસ્કાર” આપવામાં આવે છે.
  • વર્ષ 1892 થી 1900 સુધીની તેમની સર્વકાવ્ય રચનાઓને સમાવતો સંગ્રહ – “કલાપીનો કેકારાવ” છે. કલાપીના પરમ શિષ્ય એવા જગન્નાથ ત્રિપાઠીએ (સાગર મહારાજ) એનું સંપાદન કર્યું છે. જેનું કવિ કાન્ત દ્વારા વર્ષ 1903 માં મરણોત્તર પ્રકાશન કરવામાં આવ્યું હતું. તે સમયે “સરસ્વતીચંદ્ર”ને બાદ કરતા કલાપીનો કેકારાવ કાવ્યસંગ્રહ સૌથી લોકપ્રિય હતું.
  • રૂપશંકર ઓઝા અને કલાપીની ભાઈબંધી એવી હતી કે, કલાપીના અવસાન પછી તેમણે આજીવન પાઘડી પહેરી ન હતી.

કવિ કલાપી : પ્રણયકવિ

  • પ્રણયકવિ તરીકે જાણીતા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 16 વર્ષની વયે રાજબા (કચ્છ) અને આનંદીબા (કોટડા સાંગાણી) એમ બે રાજકન્યાઓ સાથે લગ્ન કરે છે. કલાપી રાજબાને “રમા” કહેતા તેઓ સાહિત્ય રસિક હતા અને પતિના પગલે તેઓ પણ કવિતા રચતા. તે વખતના રિવાજ મુજબ રમાબા સાથે મોંઘી નામની એક દાસી આવેલી. આ આઠેક વર્ષની બાળાને ક્લાપીએ ભણાવી. આમ તો, તેજસ્વિતા અને દાસીપણાને અભ્યાસ સાથે સંબંધ ન હોય પરંતુ મોંઘીએ અભ્યાસમાં એટલી પ્રગતિ કરી કે ખુદ કલાપીને આશ્ચર્ય થયું.
  • મોંઘી યુવાન થઈ ત્યારે શોભના તરીકે ઓળખાઈ અને કલાપીનું શોભના પ્રત્યેનું આકર્ષણ વધ્યું. કલાપીના શોભના સાથેના સંબંધ ગાઢ બન્યા પણ કલાપી શોભના સાથે ૫૨ણે તો કેમ પરણે ? પોતે રાજા અને શોભના દાસી, સામાજિક બંધનોને પોતે તોડે તો પ્રજાની નજરમાં નીચો ઠરે. જેથી કલાપીએ શોભનાને બીજે પરણાવી દીધી.
  • પરંતુ થોડાં જ વખતમાં એ નવયુગલ વચ્ચે તકરાર થયો ત્યારે ક્લાપીને થયું કે, પોતે પાપ કરી નાખ્યું, અંતે કલાપી પશ્ચાતાપ વ્યકત કરીને બંનેને મુક્ત કરાવે છે અને પોતે શોભના સાથે પરણે છે. આમ, કવિ અને એમની કવિતા બંને પરણી ગયા.

સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ

પ્રવાસ નિબંધકાશ્મીરનો પ્રવાસ
કાવ્ય સંગ્રહકલાપીનો કેકારાવ (વર્ષ 1903માં મરણોત્તર પ્રકાશન), વ્હાલીને નિમંત્રણ, વનમાં એક પ્રભાત, આપની યાદી, નદીને સિંધુનું આમંત્રણ, વિદાય, નવો સૈકો, એક આગિયાને
દીર્ઘ કાવ્યહમીરજી ગોહિલ
ખંડકાવ્યબિલ્વમંગળ, સારસી, હૃદય ત્રિપુટી
નવલકથામાલા અને મુદ્રિકા, નારીહૃદય
અન્ય કૃતિઓકલાપીની પત્રધારા, સ્વિડન બોર્ગના વિચારો

પંક્તિઓ

હા પસ્તાવો ! વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.

રે પંખીડા ! સુખથી ચણજો,ગીતવા કાંઈ ગાજો;
શાને આવા મુજથી ડરીને,ખેલ છોડી ઊડો છો ?

જ્યાં જ્યાં નજ૨ મારી ઠરે યાદી ભરી ત્યાં આપની
આંસુ મહીંયે આંખથી યાદી ઝરે છે આપની

દર્દીના દર્દની પીડા વિધિને દિસે ખ૨ી,
તો દર્દ કાં દે છે ! ને ઔષધ કાં પછી ?

જે પોષતું તે મારતું એવો દીસે ક્રમ કુદ૨તી

હું જાઉં છું ! હું જાઉં છું ત્યાં આવશો કોઈ નહિ
જો ઈશ્ક જગમાં ના ખુદા આલમ બધીને શુ કરે ?

સૌંદર્ય વેડફી દેતા, ના ના સુંદરતા મળે;
સૌંદર્ય પામતાં પહેલાં સુંદર બનવું પડે.

તે પંખીની ઉ૫૨ પથરો ફેંકતા ફેંકી દીધો,
છૂટયો તે ને અ૨૨ ! પડી ફાળ હૈયા મહીં તો !

ચળકાટ તારો એ જ પણ, તું જ ખૂનની તલવાર છે.

રહેવા દે! ૨હેવા દે! આ સંહાર યુવાન ! તું.

જીવીશ, બની શકે તો, એકલા પુસ્તકોથી

પાસાં ફેંકે જનો સર્વે દા દેવો હરિ હાથ છે.

૨સહીન ધ૨ા થૈ, દયાહીન થયો નૃપ

ધોરણ

ધોરણ : 7 (સેમેસ્ટર : 2)ગ્રામમાતા (ખંડકાવ્ય)
ધોરણ : 10શિકા૨ીને (ઊર્મિકાવ્ય)

અન્ય સાહિત્યકાર

સાહિત્યકારવાંચવા માટે
આનંદશંકર ધ્રુવઅહી ક્લિક કરો
કેશવ હર્ષદ ધ્રુવઅહી ક્લિક કરો
રમણભાઈ નીલકંઠઅહી ક્લિક કરો
નરસિંહરાવ દિવેટીયાઅહી ક્લિક કરો
મણિલાલ દ્વિવેદીઅહી ક્લિક કરો

1 thought on “કલાપી | Kalapi”

Leave a Comment

error: Content is protected !!