લોકવાદ્યો
પ્રાચીનકાળથી ભારતમાં જુદા જુદા લોકવાદ્યો નો ઉપયોગ થતો આવ્યો છે જેનું વર્ગીકરણ નીચે મુજબ છે.
- તંતુ વાદ્ય
- સુષિર વાદ્ય
- અવનાદ વાદ્ય
- ઘન વાદ્ય
લોકવાદ્યો :
શિષ્ટ સંગીત લઈએ કે લોકસંગીત, પણ તેમાં વાદ્ય નું સ્થાન ખાસ જોવા મળે છે. સિતાર અને સારંગી જેવા શિષ્ટમ વાદ્યો ના મૂળ તંબુરો, રાવણહથ્થો અને જંતર જેવા લોકવાદ્યો માં છે.
સામવેદને સંગીતની ગંગોત્રી માનવામાં આવે છે. સંગીત વિશે પ્રમાણિત માહિતી આપનાર ગ્રંથ ભરતમુનિ નું ‘નાટ્યશાસ્ત્ર’ છે આ ઉપરાંત સંગીત આધારિત ‘ઢોલ સાગર’ નામનો ગ્રંથ પણ મળી આવે છે.
તંતુવાદ્ય :
જે વાદ્યમાં દોરી, તંતુ અથવા તાર વડે ધૂન ઉત્પન્ન કરવામાં આવે તેને તંતુવાદ્ય કહેવામાં આવે છે.
ઉદાહરણ : એકતારો, રાવણહથ્થો, સુરંદો વગેરે…

એકતારો – દોતારો :
લોકસંગીતના સૌથી પ્રાચીન વાદ્ય ને આપણે એકતારા તરીકે ઓળખીએ છીએ. એક તારામાં સૌપ્રથમ એક જ તારો હતો એટલે તે એકતારો કહેવાય છે. સમયાંતરે તેમાં બદલાવ લાવીને બે તાર થયા એમાં એક ષડજ અને બીજો પંચમનો તાર હોય છે.
એકતારામાં તંબુડા પર જાડા વાસની એક દાંડી લગાવવામાં આવે છે. એકતારો સામાન્ય રીતે ભજન કીર્તન દરમિયાન વગાડવામાં આવે છે. એક તારામાં પંચમનો તાર હોતો નથી એકતારાને રામસાગરના નામે ઓળખવામાં આવે છે.
દોતારામાં આગળના ભાગે બે ખુંટીઓ હોય છે અને તેના પર તાર બાંધવામાં આવે છે એમાં બે તાર હોવાથી દોતારો તરીકે ઓળખાય છે.
તંબુરો એક તંત્રી, બે તંત્રી અને ત્રણ તંત્રી હોય છે, જ્યારે ત્રણતારો ઉત્તર ગુજરાતમાં જોવા મળે છે.
રાવણહથ્થો :
લંકાપતિ રાવણ જ્યારે સાધુના વેશમાં વનમાં સીતાનું હરણ કરવા ગયો ત્યારે તેના હાથમાં જે વાજિંત્ર હતું તેનો સંસ્કૃત ગ્રંથોમાં ‘રાવણ હસ્તવીણા’ તરીકે ઉલ્લેખ જોવા મળે છે. સમયાંતરે તેનું નામ રાવણહથ્થો થયું રાવણહથ્થો ને ગુજરાત અને રાજસ્થાનમાં પ્રમુખ વાદ્ય માનવામાં આવે છે.
ગુજરાતના રાવણહથ્થામાં 3 થી 4 તાર હોય છે. તેના નીચેના ભાગમાં નાળિયેરની કાચલી પર ચામડા મઢી તેમાં નાનકડો દંડ રાખવામાં આવે છે. કાચલી પર મઢેલા ચામડાની ઉપર વાંસની પટ્ટીની ઘોડી રાખી તેના પર પાતળા તાર રાખી, તારની મેળવણી કરી ઘોડાના વાળના ગજથી તે વગાડવામાં આવે છે.
સુરંદો :
સારંગી એ ભજન સમયે ઉપયોગમાં લેવાતું આદિવાસીનું લાક્ષણિક વાદ્ય છે.તેની રચના શિમળાના વૃક્ષમાંથી થાય છે.દોઢ ફૂટ લાંબા લાકડાને વચ્ચેથી કોરી, ચામડું મઢી વચ્ચે ઘોડા ના પૂછાડાના વાળ બાંધી સારંગી બનાવવામાં આવે છે. સારંગી માં સ્વર કાઢવા માટે બનાવવામાં આવતી કામડીના તાર પણ ઘોડા ના પૂછડા ના વાળ હોય છે.સારંગી માં 29 તાર આવેલા હોય છે.
સિતાર :
સિતાર એ વીણાનો જ એક પ્રકાર છે.અલાઉદ્દીન ખીલજીના દરબારી કવિ અમીર ખુસરોએ સીતારા નો સૌ પ્રથમ પરિચય આપ્યો.સિતારમાં 3 કે 8 તાર જોવા મળે છે.પ્રખ્યાત સિતારવાદક પંડિત રવિશંકરને ભારત સરકાર દ્વારા 1999 માં ભારતરત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.
જંતર :
સૌરાષ્ટ્ર અને કચ્છના ચારણોમાં જંતર ને દેવી વાદ્ય તરીકે ઓળખવામાં આવે છે.વૃંદગાન સમયે જંતર વગાડવામાં આવતું.તે રુદ્રવીણા નું એક સ્વરૂપ છે. તેમાં બિન ની જેમ બે તુંબડાં, દાંડી, ખુટી વગેરે હોય છે. જંતર ગળામાં પહેરીને ઊભા રહીને વગાડવામાં આવે છે.આ વાદ્યને વગાડવા માટે બંને હાથનો ઉપયોગ કરવો પડે છે.
સુષિર વાદ્ય :
જે વાદ્યને ફૂંક મારીને વગાડવામાં આવે છે તેને સુષિર વાદ્ય કહે છે.જેમકે શંખ, મોરલી, પાવો, જોડીયા, પાડો, વેણુ, ભૂંગળ, શીંગી, મહુવર, કાન વાંસળી, શરણાઈ વગેરે…

વાંસળી :
સુષિર વાદ્ય માં સૌથી મધુર વાદ્ય છે.પાતળા, પોલા વાસ ના ટુકડા પર અગ્નિ ની મદદથી કાણા પાડી વાંસળી બનાવવામાં આવે છે.વાંસળી મેળા, લગ્ન, હોળી, ગોર, નોરતુ જેવા સામાજિક અને ધાર્મિક પ્રસંગોમાં નૃત્યટાણે ઢોલીને સંગત આપવા માટે વગાડવામાં આવે છે.
શરણાઈ ( લગા ) :
આદિવાસી લોકો શરણાઈ ને લગા કહે છે.શરણાઈ નો ઉપયોગ હોળી, ગોરના ઉત્સવ પ્રસંગે, નાટ્ય ભજવવામાં અને લગ્ન પ્રસંગમાં થાય છે.શરણાઈ નો અવાજ કર્કશ હોવાથી અને તેના સુર વધુ પડતા ઊંચા હોવાથી લોકગીતોમાં તેનો ઉપયોગ થતો નથી. બિસ્મિલ્લા પ્રસિદ્ધ શરણાઈવાદક હતા.
મોરલી :
વાંસની બે પોલી ભુંગળીઓ અને તુંબડા માંથી બનાવેલી મોરલીએ મદારી કે નાથબાવાનું લોકવાદ્ય છે.જૈન ગ્રંથોમાં તેને પુંગી તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ વાદ્ય વગાડતી વખતે એક ભૂંગળી સતત સુર આપે છે જ્યારે બીજી ડુંગળી ના છિદ્રો ચિતવાદન નું કામ કરે છે. જ્યારે વચલી તુંબડીમાં હવા ભરાય છે.
શંખ ( હખ ) :
ફૂંકથી ઘોષ જન્મે એવા વાદ્યો માં શંખ સૌથી પ્રાચીન વાદ્ય છે.આદિવાસી સાધુ ભજનો ગાતી વખતે, દેવની મૂર્તિઓ સ્થાપવાના પ્રસંગે શંખ વગાડે છે. મહાભારતમાં શ્રી કૃષ્ણનો પંચજન્ય શંખ વગાડીને મહાભારતના યુદ્ધની શરૂઆત થઈ હતી.
રણશિંગુ :
ગુજરાતમાં પ્રાણીઓ ના શિંગડા માંથી રણશિંગુ બનાવવામાં આવતું. ખાસ કરીને ભગવાન શિવના મંદિરમાં તે વાદ્યનો ઉપયોગ કરવામાં આવતો. રણશિંગુ વાદ્ય જેવો જ નાગફણી નો પણ ઉપયોગ કરવામાં આવે છે.
ભૂંગળ :
ભૂંગળ નું પ્રાચીન નામ નાળીકા અને નાળી છે. ભૂંગળ એ રણશિંગાનું મૂળ સ્વરૂપ છે.
ભૂંગળ નો ઉપયોગ ભવાઈના કાર્યક્રમોમાં શરૂઆત કરવા માટે થાય છે. ભવાઈ કરનાર નાયકો એને માતાજીએ દીધેલું દૈવી વાદ્ય માનીને પૂજે છે.
ગુજરાતમાં ભૂંગળો વિસનગરના એકમાત્ર કંસારા પરિવાર બનાવે છે જે 5 થી 6 ફૂટ લાંબું હોય છે.
પાવરી :
ડાંગ આદિવાસીઓનું આ પ્રિય સુષિર વાદ્ય છે.
મોં વડે ફૂંક મારીને વગાડાય છે.
તાડપુ અથવા ડોબરુ :
તાડપુ આદિવાસીઓનું બહુ પ્રિય વાદ્ય છે. પાવરી ની જેમ તાડપુ મા પણ પોલા વાસની ભૂંગળીઓ હોય છે અને છેડે લાંબુ ભૂંગળું હોય છે. ડોબરું એના જેવું જ વાદ્ય છે પણ એ વેવપુંજ વેળાએ જ વગાડવામાં આવે છે. આ ઉપરાંત તેના જેવા જ વાદ્યોમાં ભેરી, સુગરો, પિસવો, પિસવી, નરહિલો વગેરે પણ જાણીતા છે.
વેણુ :
સુકાયેલા વાસ કે વૃક્ષોની ડાળીઓમાં ભમરાઓ જ્યારે દર કરવા માટે છિદ્રો પાડતાં અને પવનના સૂસવાટા થાય ત્યારે તેમાંથી આપોઆપ સ્વર ઉત્પન્ન થતો આમ તેની સાથે સંકળાયેલ વેણુનું સંગીત તેવા જ પ્રકારનું સ્વર ઉત્પન્ન કરે છે.
વેણુ નું સંગીત શ્રી કૃષ્ણની બાળલીલા સાથે સંકળાયેલ છે. વેણુ નો જ એક પ્રકાર પાવો આજે ગાયો ચરાવતા માલધારી સમાજ વગાડે છે. વેણુ ની જેવો જ ભારીદો જે લોકવાદ્ય માટીના ગોળા માં 3 કાણા પાડી તેને પકડવામાં આવે છે અને ફૂંક મારીને વગાડવામાં આવે છે.
અવનધ વાદ્ય :
જે વાદ્યોને ચામડા વડે મઢવામાં આવે છે તેને અવનધ વાદ્ય કહેવામાં આવે છે.જેમકે ઢોલ, નગારા, મૃદમ, તબલા…

આ મેમ્બરોફોનિક સંગીત સાધન છે. સાધનોમાંથી સંગીતનો ધ્વનિ કાઢવા તેના પર હાથ વડે અથવા તો ડાંડી વડે આઘાત લગાડવામાં આવે છે. તેમાં સામાન્ય રીતે ચામડાથી ઢાંકેલા એક અથવા બે પડ હોય છે.
તબલા મોટેભાગે હિન્દુસ્તાની શાસ્ત્રીય કંઠ્ય સંગીતની સાથે છે અને તે મૃદંગમ કર્ણાટક સંગીતના પ્રદર્શનો સાથે સંગત કરનારું વાજિંત્ર છે.
ઢોલ :
જન્મથી મૃત્યુ સુધી વિશ્વના પ્રત્યેક આદિવાસી સમાજનું સજીવ લોકવાદ્ય છે. જૂના સમયમાં ઢોલ રણવાદ્ય તરીકે વપરાતો પણ હાલ મંગલવાદ્ય તરીકે વપરાય છે. ઢોલ ને આનક, કમલ, ક્ષુણક તરીકે પ્રાચીન સમયમાં ઓળખાતો. સર્વપ્રથમ ઉધમદાસ નામે ઢોલી હતો.
નગારું :
નગારા ને દુદુંભી તરીકે પણ ઓળખવામાં આવે છે. મોટા કદના નગારાને આડંબર, લંબર અથવા આલંબર કહેવામાં આવે છે. નગારા માંથી જે રણકાર ઉત્પન્ન થાય છે તેને ધીબતક કહેવામાં આવે છે. નગારા ને નોબત ના નામે પણ ઓળખાય છે. કચ્છના સ્વ.શ્રી સુલેમાન ઝુમ્મા નગારા વાદનમાં પ્રખ્યાત હતા.
ચોઘડિયા :
ચોઘડિયા નગારા નો એક પ્રકાર છે. ગુજરાતમાં ચોઘડિયા નું વાદ્ય નોબત, ટકારખાનું વગેરે નામે પ્રચલિત છે. ચોઘડિયા માં નાના અને મોટા એમ બે નગારા હોય છે તેની પડીમાં ઢોલની જેવો ગજરો હોતો નથી. જુના જૈન દેરાસરો, રામજી મંદિરો, વૈષ્ણવ હવેલીઓ અને સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો ઉપરાંત મુસ્લિમ બાદશાહોના મકબરાઓમાં શરણાઇ સાથે ચોઘડિયા સાંભળવા મળે છે. જૈન દેરાસરોમાં ભોજક અને અકબરાઓના લંઘા જાતિના લોકો તો ઘડિયા વગાડવામાં કુશળ ગણાય છે.
ત્રાસા :
ત્રાસા એ નગારાનો જ એક પ્રકાર છે તેના એક ભાગ તાંબાના નગારા જેવો હોય છે. તેને ચામડાથી મઢવામાં આવે છે. ઢોલ ની સામે ત્રાસ વગાડવામાં આવે છે તેને પતલી સોટી થી વગાડવામાં આવે છે. તેની ઊંડાઈ છીછરી હોવાથી તીક્ષ્ણ અવાજ કરે છે.
મૃદંગ :
મૃદંગ ઢોલક જેવું જ હોય છે. પરંતુ તેનો એક છેડો ખૂબ મોટો અને એક છેડો નાનો હોય છે અને બંને બાજુએ બકરીના ચામડાથી મઢવામાં આવે છે.
તબલા :
અલ્લાઉદ્દીન ખીલજીના દરબારી કવિ અમીર ખુસરોએ મૃદંગના બે ભાગ પાડી તબલાની શોધ કરી. તબલા નરધા તરીકે પણ ઓળખાય છે. તબલાની પડી બકરાના ચામડાથી બાંધવામાં આવે છે તેના પર કોલસી અને ગુંદરની શાહી લગાડવામાં આવે છે. શાહી ફરતે ગોળ કિનારી ચાંટ કહેવાય છે. શાહી અને કિનારી વચ્ચેની જગ્યા લવ તરીકે ઓળખાય છે અને કિનારીની નીચેનો ગોળ ભાગ ગજરા ના નામે ઓળખાય છે. તબલા બનાવનાર કે તેમાં ચામડું મઢનારને ડબગરો કહે છે. અમદાવાદ અને સુરત ડબગરવાડ નામની જગ્યા માટે પ્રખ્યાત છે પ્રસિદ્ધ તબલાવાદકોમાં ઝાકીર હુસેન અને કિશન મહારાજ નો સમાવેશ થાય છે.
ડફ :
ડફ નું અન્ય નામ છે ઝલ્લરી છે.
આ વાદ્ય મુખ્ય રાજસ્થાન રાજ્યનું છે. ઉત્તર ગુજરાતમાં તેને દાયરો કે ઘેરો નામથી ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેને ડાકલું, ડુગડુગી, ફંદી, માદળ, પખવાજ પણ કહેવામાં આવે છે.
ખંજરી :
તેના એક ભાગ પર ચામડું અને બીજો ભાગ ખુલ્લો હોય છે. આ વાદ્ય ની પટ્ટી માં નાની ઝાંઝ નાખવામાં આવે છે જે તાલની સાથે વાગે છે. આ વાદ્યનો ઉપયોગ ભજન મંડળીમાં વિશેષ રીતે થાય છે.
નિશાન ડંકા :
આઝાદી પહેલા દેશી રજવાડાઓમાં રાજાની સવારી કે કોઈ જાહેરાત કરવા માટે વગાડવામાં આવતા. તેમાં બે મોટા એકસરખા માપના નગારાને ઘોડા કે ઊંટની બંને બાજુએ ગોઠવીને તેના પર બેઠેલો રાજસેવક દાંડી વડે નગારા ને એક સાથે તાલમાં વગાડતો હોય છે. આ દ્રશ્ય ઉત્સાહ અને ઉમંગ માં વધારો કરતું.
આની પ્રતિકૃતિ ઊંટ નગારાના ભીંતચિત્રો શિહોરમાં દરબારગઢ ની દીવાલ પર જોવા મળે છે.
આ ઉપરાંત ડમરુ, ડાકલી, ડુગડુગી, ફંડી, પખવાજ એ અવનધ વાદ્ય ના ઉદાહરણ છે.
ઘન વાદ્ય :
જે વાદ્ય અથડાવવા થી રણકાર ઉત્પન્ન થાય છે તેને ઘન વાદ્યો કહેવામાં આવે છે જેમ કે કરતાલ, મંજીરા, ઘૂઘરા, ઘંટ, થાળી, માટલા, ઝાંઝ વગેરે…

મંજીરા :
પિત્તળ, ટીન કે કાસાના મિશ્રણમાંથી બનાવી એકબીજાને અથડાવી મંજીરા વગાડાય છે. સૌરાષ્ટ્રમાં કામળિયા નામના સાધુ ની કોમ મંજીરા વગાડવામાં વખણાય છે. કામળિયા સ્ત્રીઓ શરીર પર મંજીરા બાંધી લોટા પર સળગતો દીવો અને મોઢામાં તલવાર લઈને નૃત્ય કરે છે.
કરતાલ :
નરસિંહ મહેતા શ્રીકૃષ્ણની ભક્તિ માટે કિર્તન કરવા માટે કરતાલ નો ઉપયોગ કરતા હતા. કરતાલ 10 થી 12 ઈંચ લાંબા અને 3 ઇંચ પહોળા લાકડાના ટુકડા માંથી બનાવવામાં આવે છે. એના ચારેય ખૂણે લંબચોરસ ખાંચામાં ચકરડીઓ લગાવવામાં આવે છે. જે હાથના અંગુઠાને આધારે અને બીજા હાથની આંગળીઓ ના આધારે તેમાંથી સંગીત ઉત્પન્ન કરે છે અથવા તો ક્યારેક બંને હાથમાં પણ કરતાલ ધારણ કરવામાં આવે છે.
માણ :
માણ એ એક પ્રકારનો માટી કે ધાતુના સાંકડા મુખ ધરાવતો ગોળો છે. માણ માં મુખ્યત્વે તેનો ઉપરનો ભાગ સાંકડો હોય છે અને વચ્ચેનો ભાગ પહોળો હોય છે.
મધ્યકાળમાં પ્રેમાનંદ શ્રોતા સમક્ષ આખ્યાન માણના માધ્યમથી કરતા. બન્ને હાથના આંગળા પર ધાતુ ની વીંટી પહેરી ને માણ ને વગાડવામાં આવતું જેથી પ્રેમાનંદને માણભટ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતના આધુનિક માણભટ્ટ તરીકે વડોદરાના ધાર્મિકલાલ પંડ્યા ને ઓળખવામાં આવે છે.
કાંસીજોડા :
મંજીરા થી થોડા મોટા કાંસામાં ઢાળેલા વાદ્ય કાંસીજોડા તરીકે ઓળખાય છે. હસી જોડામાં ગોળાઈ અને ઊંડાઈ ઓછી હોવાથી અથડાનાર સપાટીમાં સમતલ ભાગ વધુ બહાર રહે છે તેને સામ સામે અથડાવીને અવાજ ઉત્પન્ન કરવામાં આવે છે જ્યારે મંજીરા ની ધાર ને અથડાવીને વગાડવામાં આવે છે.
ઝાલર :
કાંસાની થાળી લઇને દાંડીથી વગાડે છે જેને ઝાલર કહે છે. ભજનોમાં દેવરા ની આરતી કરતી વખતે ઝાલર વગાડે છે. ડાંગી આદિવાસી થાળીની મધ્યમાં મીણ ચોંટાડી ઉભી શરૂ ની સોટી મૂકી વિવિધ સ્વરૂપો પ્રગટાવી રામકથા ગાય છે. મધ્યકાળમાં તે જયઘંટા તરીકે જાણીતું હતું. ટહેલીયા સાધુ ટહેલ નાખવા નીકળતા ત્યારે ઝાલર વગાડતા.
દાંડિયા :
રાસ અને ગરબા માં લાકડાના કે પિત્તળ ના બનાવેલા ડાંડીયા માંથી સ્વર ઉત્પન્ન થતો. લાકડાના દાંડીયા ને ઊનથી શણગારવામાં આવતા તેની ટોચ પર ઘૂઘરા બાંધવામાં આવતા આથી ડાંડીયાના તાલ સાથે ઘૂઘરા નો મીઠો અવાજ ઉમેરાતો. સૌરાષ્ટ્રમાં યોજાતો ગોફગૂંથણ કે નવરાત્રીના સમયે દાંડિયા થી રાસલીલા નું આયોજન કરવામાં આવે છે.
આ ઉપરાંત ઘડિયાળ, ઘંટ, થાળી, ટોકરી, ઘુઘરમાળ, ઘૂઘરા, ચીપીયો વગેરે ઘન વાદ્યો ના ઉદાહરણ છે.
વિડિયો જોવા માટે અમારી Youtube ચેનલ પર જાઓ.
આ પોસ્ટ માં કઈ પણ Typing ની ભૂલ હોય તો Comment કરી અવશ્ય જણાવજો. જેથી બધા ને સચોટ અને સાચી માહિતી મળી રહે.