મનસુખરામ ત્રિપાઠી | Mansukhram tripathi | Gujarati sahitya

મનસુખરામ ત્રિપાઠી | Mansukhram tripathi

પૂરું નામમનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી
જન્મ23 મે, 1840
જન્મસ્થળનડિયાદ
બિરુદસંસ્કૃતમય ગુજરાતી આદ્યદ્રષ્ટા
અવસાન30 મે, 1907 (નડિયાદ)
  • સ્વજનોમાં “ભાણાકાકા” ના નામથી જાણીતા નિબંધકાર અને ચરિત્રકાર મનસુખરામ ત્રિપાઠી સંસ્કૃતમય ગુજરાતીના આગ્રહી હતા.
  • તેમણે સમગ્ર ભારતભરમાં સંસ્કૃત ભાષાના પ્રચાર માટે પ્રયત્નો કર્યાં હતા. તેમના લેખોમાં વેદાંત વિચાર અને પ્રાચીન સંસ્કૃતિનું નિરૂપણ જોવા મળે છે.
  • ઈ.સ 1865માં મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીએ એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસની મદદથી “ગુજરાતી સભા” નામથી સંસ્થા સ્થાપી હતી. એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસના મૃત્યુ પછી સંસ્થાનું નામ બદલી “શ્રી ફાર્બસ ગુજરાતી સભા” રાખવામાં આવ્યું હતું.
  • તેઓ “બુદ્ધિવર્ધક” સભાના સભ્ય રહ્યા હતા તેમજ તેમણે “બુદ્ધિપ્રકાશ” માં લેખો પણ લખ્યા હતા.
  • તેમણે વર્ષ 1859માં રણછોડભાઈ ઉદયરામના સહયોગથી “વિવિધોપદેશ” પદ્યકૃતિ પ્રગટ કરી હતી.
  • ગોવર્ધનરામ ત્રિપાઠીના જીવન ઘડતરમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું.
  • તેમણે પોતાની પત્નીના નામ પરથી “ડાહીલક્ષ્મી લાયબ્રેરી” (નડિયાદ)ની સ્થાપના કરી હતી.

સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ

નાટકઉત્તર જયકુમારી
પુસ્તકોદેશી રાજ્ય અને મનુસ્મૃતિમાંનો રાજ્યનીતિ સાર, વેદાંત વિચાર, વેદાંતતત્વ પત્રાવલિ,
અંગ્રેજી પુસ્તકધ સ્કેચ ઓફ વેદાંત ફિલોસોફી
અનુવાદભગવદ્ ગીતા, અદ્વૈતાનુભૂતિ, મણિરત્નમાળા
અન્યવિપત્તિ વિશે નિબંધ, અસ્તોદય

અન્ય સાહિત્યકાર

સાહિત્યકારવાંચવા માટે
અંબાલાલ દેસાઈઅહી ક્લિક કરો
હરગોવિંદદાસ કાંટાવાળાઅહી ક્લિક કરો
રણછોડભાઈ દવેઅહી ક્લિક કરો
એલેક્ઝાન્ડર ફાર્બસઅહી ક્લિક કરો
કરસનદાસ મૂળજીઅહી ક્લિક કરો

3 thoughts on “મનસુખરામ ત્રિપાઠી | Mansukhram tripathi | Gujarati sahitya”

Leave a Comment

error: Content is protected !!