નગીનદાસ મારફતિયા | Nagindas marfatiya | Gujarati sahitya

નગીનદાસ મારફતિયા | Nagindas marfatiya

પૂરું નામનગીનદાસ તુલસીદાસ મારફતિયા
જન્મ1840
જન્મસ્થળસુરત
અવસાન1902
  • ગુજરાતી ભાષાના પ્રથમ મૌલિક નાટક “ગુલાબ” થી નાટ્યક્ષેત્રે નામના મેળવનાર નગીનદાસ તુલસીદાસ મારફતિયા મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી સ્નાતક થનાર પ્રથમ ગુજરાતી હતાં.
  • તેઓ કવિ નર્મદે સ્થાપેલી “બુદ્ધિવર્ધક સભા”ના સક્રિય સભ્ય રહ્યા હતાં અને તે સંસ્થાના મુખપત્ર “બુદ્ધિવર્ધક ગ્રંથ”ના સંચાલનમાં પણ સક્રિય રહ્યા હતા. આ ઉપરાંત તેઓ કવિ નર્મદે શરૂ કરેલ લિટરરી કલબના સ્થાપક સભ્યોમાંના એક હતાં. વર્ષ 1864માં કવિ નર્મદ દ્વારા શરૂ કરવામાં આવેલ ગુજરાતી સાહિત્યનું સામયિક “ડાંડિયો” નામ તેમના દ્વારા આપવામાં આવ્યું હતું.
  • બુદ્ધિવર્ધક ગ્રંથમાં પ્રગટ થયેલું નાટક “માણેક” તેમણે લખ્યું હતું.
  • તેઓ “મહારાજ લાયબલ કેસ” માં નર્મદનાં કાયદાકીય સલાહકાર પણ રહ્યા હતાં.
  • તેમણે મુંબઈ હાઈકોર્ટમાં પ્રથમ ગુજરાતી એડવોકેટ તરીકે સનદ મેળવી હતી.
  • તેમણે માણેક નામના નાટક અને મુંબઈનું સર્વ વિદ્યોત્તેજકાલય નામથી નિબંધની રચના પણ કરી છે.

અન્ય સાહિત્યકાર

સાહિત્યકારવાંચવા માટે
ભોળાનાથ દિવેટીયાઅહી ક્લિક કરો
મનસુખરામ ત્રિપાઠીઅહી ક્લિક કરો
હરગોવિંદદાસ કાંટાવાળાઅહી ક્લિક કરો
રણછોડભાઈ દવેઅહી ક્લિક કરો
એલેક્ઝાન્ડર ફાર્બસઅહી ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!