અહી તમને સામજિક વિજ્ઞાન પાઠ : 10. પૃથ્વીનાં આવરણો | Pruthvina aavrano ની PDF અને સ્વાધ્યાયના સવાલ-જવાબ આપવામાં આવ્યા છે.
પૃથ્વીનાં આવરણો સ્વાધ્યાય | Pruthvina aavrano swadhyay
1. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર આપો :
- પૃથ્વી પરનાં મુખ્ય આવરણો કેટલાં છે ?
- પૃથ્વી પરનાં મુખ્ય ચાર આવરણો છે :
- મૃદાવરણ (ઘનાવરણ),જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ.
- મૃદાવરણ એટલે શું ?
- ‘મૃદા’ એટલે માટી. પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે. તેથી પૃથ્વીની સપાટી પરના ભૂમિભાગોને ‘મૃદાવરણ’ (ઘનાવરણ) કહે છે.
- જલાવરણ શેનું બનેલું છે ?
- પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલા વિસ્તારને ‘જલાવરણ’ કહે છે. તેમાં મહાસાગરો, સમુદ્રો, ઉપસાગરો, સરોવરો, તળાવો, નદીઓ વગેરેનો સમાવેશ થાય છે.
- વાતાવરણના મુખ્ય વાયુઓ ક્યાં-ક્યાં છે ?
- નાઈટ્રોજન, ઑક્સિજન, ઓઝોન, કાર્બન ડાયૉક્સાઈડ વગેરે વાતાવરણના મુખ્ય વાયુઓ છે.
- જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે ?
- જીવસૃષ્ટિમાં મનુષ્યો, વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે.
2. નીચેની ખાલી જગ્યા પૂરો :
- પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનો વગેરે ……….. આવરણમાં આવેલાં છે.
- મૃદા
- પૃથ્વી સપાટીથી આશરે ……….. કિમી સુધી વાતાવરણ વિસ્તરેલું છે.
- 800 થી 1000
- વાતાવરણમાં ……….. વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે.
- નાઈટ્રોજન
3. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :
- વાતાવરણમાં ઑક્સિજન 150 કિમીની ઊંચાઈ સુધી હોય છે.
- ખોટું
- મહાસાગરો આપણા જળમાર્ગો બન્યા છે.
- ખરું
- જીવાવરણમાં અનેક પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે.
- ખરું
- પૃથ્વીની સપાટી પર પાણી અને હવાને કારણે સજીવસૃષ્ટિ વિકાસ પામે છે.
- ખરું
- ઓઝોન વાયુ સૂર્યનાં પારજાંબલી કિરણોથી પૃથ્વી પરના સજીવોને બચાવે છે.
- ખરું
4. ટૂંક નોંધ લખો :
(1) વાતાવરણ
![વાતાવરણમાં-વાયુઓનું-પ્રમાણ](https://i0.wp.com/educationvala.com/wp-content/uploads/2023/09/વાતાવરણમાં-વાયુઓનું-પ્રમાણ-scaled.jpg?resize=1200%2C675&ssl=1)
- પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલા વિવિધ વાયુઓના આવરણને “વાતાવરણ” કહે છે. વાતાવરણ પારદર્શક, રંગહીન, વાસરહિત તેમજ સ્વાદરહિત છે. તેમાં વાયુ તત્ત્વો, પ્રવાહી તત્ત્વો અને ઘન તત્ત્વો હોય છે.
- વાતાવરણમાં નાઈટ્રોજન, ઑક્સિજન, ઓઝોન, કાર્બન ડાયૉક્સાઈડ તેમજ પાણીની વરાળ હોય છે. વાતાવરણમાં આ વાયુઓ ઉપરાંત ધૂળના રજકણો, ક્ષારકણો, સૂક્ષ્મ જીવજંતુઓ, ઉલ્કાકણો વગેરે હોય છે. પૃથ્વીની સપાટી નજીકનું વાતાવરણ ઘટ્ટ છે, જ્યારે પૃથ્વીની સપાટીથી ઊંચે જતાં હવા પાતળી થતી જાય છે.
- કાર્બન ડાયૉક્સાઈડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં તે વધારે પ્રમાણમાં હોય છે. ઊંચે જતાં તેનું પ્રમાણ ઘટતું જાય છે. કાર્બન ડાયૉક્સાઈડ આશરે 20 કિમીની ઊંચાઈ પછી, ઑક્સિજન આશરે 110 કિમીની ઊંચાઈ પછી અને નાઈટ્રોજન આશરે 130 કિમીની ઊંચાઈ પછી તેની હાજરી ઓછી જણાય છે. ખૂબ ઊંચાઈએ જતાં માત્ર હાઈડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ જ જોવા મળે છે.
- વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ ઓછું છે. રજકણો અને ક્ષારકણો વાતાવરણના ઘન ઘટકો છે. તે વાતાવરણના નીચલા સ્તરમાં હોય છે.
![વાતાવરણમાં-ઊંચાઈ-અનુસાર-વાયુઓનું-પ્રમાણ](https://i0.wp.com/educationvala.com/wp-content/uploads/2023/09/વાતાવરણમાં-ઊંચાઈ-અનુસાર-વાયુઓનું-પ્રમાણ-scaled.jpg?resize=1200%2C675&ssl=1)
(2) જલાવરણનું મહત્ત્વ
- જલાવરણનું મહત્ત્વ આ પ્રમાણે છે :
- જલાવરણ આપણને પીવા માટે મીઠું પાણી પૂરું પાડે છે.
- વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ સમુદ્રોમાંથી આવે છે.
- સમુદ્રોના પાણીમાંથી રસાયણો મળે છે. સમુદ્રતળ નીચેથી મેંગેનીઝ, લોખંડ, કલાઈ અને ખનીજ તેલ મળે છે.
- સમુદ્રો માનવીના પ્રોટીનયુક્ત ખોરાકના ભંડારો છે. સમુદ્રોમાંથી માનવીને ખોરાક માટે માછલાં તેમજ અન્ય જીવો મળે છે.
- સમુદ્રના પાણીમાંથી મીઠું પકવવામાં આવે છે.
- સમુદ્રનાં મોજાં, પ્રવાહો અને ભરતીથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે.
- મહાસાગરોનો જળમાર્ગો તરીકે ઉપયોગ થાય છે.
(3) મૃદાવરણનું મહત્ત્વ
- મૃદાવરણ (ઘનાવરણ) માનવીનું નિવાસસ્થાન છે. તે માનવને રહેઠાણ માટે જગ્યા અને ઘર બાંધવા માટેની સામગ્રી આપે છે.
- માનવને મૃદાવરણ(ઘનાવરણ)ના જલસ્રોતોમાંથી પાણી મળે છે.
- માનવી મૃદાવરણ (ઘનાવરણ) પર ખેતી કરી વિવિધ પાક ઉગાડે છે તેમજ ઉદ્યોગ-ધંધા અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓ કરે છે.
- મૃદાવરણ (ઘનાવરણ) વનસ્પતિ અને પ્રાણીઓનું નિવાસસ્થાન છે. મૃદાવરણ (ઘનાવરણ) પરનાં જંગલો, ઘાસનાં મેદાનો, પ્રાણીઓ વગેરે વિવિધ પ્રકારે ઉપયોગી છે.
- મૃદાવરણ(ઘનાવરણ)માંથી મળતાં ખનીજોનો ઉદ્યોગોમાં અને બીજી રીતે ઉપયોગ થાય છે.
- માનવીનું અસ્તિત્વ અને માનવ-સંસ્કૃતિનો વિકાસ મૃદાવરણ(ઘનાવરણ)ને આભારી છે.
પૃથ્વીનાં આવરણો | Pruthvina aavrano pdf download
પૃથ્વીનાં આવરણો (PDF ડાઉનલોડ કરવા માટે પાઠના નામ પર ક્લિક કરો.) |
Other Chapter PDF Download
ક્રમ | જે પાઠની PDF ડાઉનલોડ કરવી હોય એ પાઠના નામ પર ક્લિક કરો |
---|---|
09 | આપણું ઘર : પૃથ્વી |
08 | ભારતવર્ષની ભવ્યતા |
07 | ગુપ્તયુગ અને અન્ય શાસકો |
06 | મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક |
05 | શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર |
04 | ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા |
03 | પ્રાચીન નગરો અને ગ્રંથો |
02 | આદિમાનવથી સ્થાયી જીવનની સફર |
01 | ચાલો, ઈતિહાસ જાણીએ |
FAQ’s About પૃથ્વીનાં આવરણો | Pruthvina aavrano
પૃથ્વી પરનાં મુખ્ય આવરણો કેટલાં છે ?
પૃથ્વી પરનાં મુખ્ય ચાર આવરણો છે :
મૃદાવરણ (ઘનાવરણ),જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ.
મૃદાવરણ એટલે શું ?
‘મૃદા’ એટલે માટી. પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે. તેથી પૃથ્વીની સપાટી પરના ભૂમિભાગોને ‘મૃદાવરણ’ (ઘનાવરણ) કહે છે.
જલાવરણ શેનું બનેલું છે ?
પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલા વિસ્તારને ‘જલાવરણ’ કહે છે. તેમાં મહાસાગરો, સમુદ્રો, ઉપસાગરો, સરોવરો, તળાવો, નદીઓ વગેરેનો સમાવેશ થાય છે.
વાતાવરણના મુખ્ય વાયુઓ ક્યાં-ક્યાં છે ?
નાઈટ્રોજન, ઑક્સિજન, ઓઝોન, કાર્બન ડાયૉક્સાઈડ વગેરે વાતાવરણના મુખ્ય વાયુઓ છે.
જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે ?
જીવસૃષ્ટિમાં મનુષ્યો, વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે.
પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનો વગેરે ……….. આવરણમાં આવેલાં છે.
મૃદા
પૃથ્વી સપાટીથી આશરે ……….. કિમી સુધી વાતાવરણ વિસ્તરેલું છે.
800 થી 1000
વાતાવરણમાં ……….. વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે.
નાઈટ્રોજન
વાતાવરણમાં ઑક્સિજન 150 કિમીની ઊંચાઈ સુધી હોય છે.
ખોટું
મહાસાગરો આપણા જળમાર્ગો બન્યા છે.
ખરું
જીવાવરણમાં અનેક પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે.
ખરું
પૃથ્વીની સપાટી પર પાણી અને હવાને કારણે સજીવસૃષ્ટિ વિકાસ પામે છે.
ખરું
ઓઝોન વાયુ સૂર્યનાં પારજાંબલી કિરણોથી પૃથ્વી પરના સજીવોને બચાવે છે.
ખરું
વાતાવરણ વિશે ટૂંક નોંધ
પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલા વિવિધ વાયુઓના આવરણને “વાતાવરણ” કહે છે. વાતાવરણ પારદર્શક, રંગહીન, વાસરહિત તેમજ સ્વાદરહિત છે. તેમાં વાયુ તત્ત્વો, પ્રવાહી તત્ત્વો અને ઘન તત્ત્વો હોય છે.
વાતાવરણમાં નાઈટ્રોજન, ઑક્સિજન, ઓઝોન, કાર્બન ડાયૉક્સાઈડ તેમજ પાણીની વરાળ હોય છે. વાતાવરણમાં આ વાયુઓ ઉપરાંત ધૂળના રજકણો, ક્ષારકણો, સૂક્ષ્મ જીવજંતુઓ, ઉલ્કાકણો વગેરે હોય છે. પૃથ્વીની સપાટી નજીકનું વાતાવરણ ઘટ્ટ છે, જ્યારે પૃથ્વીની સપાટીથી ઊંચે જતાં હવા પાતળી થતી જાય છે.
કાર્બન ડાયૉક્સાઈડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં તે વધારે પ્રમાણમાં હોય છે. ઊંચે જતાં તેનું પ્રમાણ ઘટતું જાય છે. કાર્બન ડાયૉક્સાઈડ આશરે 20 કિમીની ઊંચાઈ પછી, ઑક્સિજન આશરે 110 કિમીની ઊંચાઈ પછી અને નાઈટ્રોજન આશરે 130 કિમીની ઊંચાઈ પછી તેની હાજરી ઓછી જણાય છે. ખૂબ ઊંચાઈએ જતાં માત્ર હાઈડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ જ જોવા મળે છે.
વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ ઓછું છે. રજકણો અને ક્ષારકણો વાતાવરણના ઘન ઘટકો છે. તે વાતાવરણના નીચલા સ્તરમાં હોય છે.
જલાવરણનું મહત્ત્વ
જલાવરણનું મહત્ત્વ આ પ્રમાણે છે :
જલાવરણ આપણને પીવા માટે મીઠું પાણી પૂરું પાડે છે.
વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ સમુદ્રોમાંથી આવે છે.
સમુદ્રોના પાણીમાંથી રસાયણો મળે છે. સમુદ્રતળ નીચેથી મેંગેનીઝ, લોખંડ, કલાઈ અને ખનીજ તેલ મળે છે.
સમુદ્રો માનવીના પ્રોટીનયુક્ત ખોરાકના ભંડારો છે. સમુદ્રોમાંથી માનવીને ખોરાક માટે માછલાં તેમજ અન્ય જીવો મળે છે.
સમુદ્રના પાણીમાંથી મીઠું પકવવામાં આવે છે.
સમુદ્રનાં મોજાં, પ્રવાહો અને ભરતીથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે.
મહાસાગરોનો જળમાર્ગો તરીકે ઉપયોગ થાય છે.
મૃદાવરણનું મહત્ત્વ
મૃદાવરણ (ઘનાવરણ) માનવીનું નિવાસસ્થાન છે. તે માનવને રહેઠાણ માટે જગ્યા અને ઘર બાંધવા માટેની સામગ્રી આપે છે.
માનવને મૃદાવરણ(ઘનાવરણ)ના જલસ્રોતોમાંથી પાણી મળે છે.
માનવી મૃદાવરણ (ઘનાવરણ) પર ખેતી કરી વિવિધ પાક ઉગાડે છે તેમજ ઉદ્યોગ-ધંધા અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓ કરે છે.
મૃદાવરણ (ઘનાવરણ) વનસ્પતિ અને પ્રાણીઓનું નિવાસસ્થાન છે. મૃદાવરણ (ઘનાવરણ) પરનાં જંગલો, ઘાસનાં મેદાનો, પ્રાણીઓ વગેરે વિવિધ પ્રકારે ઉપયોગી છે.
મૃદાવરણ(ઘનાવરણ)માંથી મળતાં ખનીજોનો ઉદ્યોગોમાં અને બીજી રીતે ઉપયોગ થાય છે.
માનવીનું અસ્તિત્વ અને માનવ-સંસ્કૃતિનો વિકાસ મૃદાવરણ(ઘનાવરણ)ને આભારી છે.
2 thoughts on “પૃથ્વીનાં આવરણો | Pruthvina aavrano”