રણજિતરામ મહેતા | Ranjitram Mehta

ગુજરાતી સાહિત્ય સંસ્થાના સ્વપ્નદ્રષ્ટા : રણજિતરામ મહેતા

નામરણજિતરામ મહેતા
પૂરું નામરણજિતરામ વાવાભાઈ મહેતા
જન્મ25 ઓક્ટોબર, 1881
જન્મસ્થળસુરત
અવસાન5 મે, 1917

રણજિતરામ મહેતા | Ranjitram Mehta

  • ગુજરાતી સાહિત્ય પરિષદ તથા ગુજરાતી સાહિત્યસભાના આદ્યસ્થાપક રણજિતરામ મહેતાને કનૈયાલાલ મુનશીએ “ગુજરાતની રાષ્ટ્રીય અસ્મિતાના અવતાર” તરીકે ઓળખાવ્યા હતા.
  • તેમના વિશે કનૈયાલાલ મુનશીએ કહ્યું છે કે “રણજીતરામ માણસ ન હતા, એક ભાવના હતા ગુજરાતની રાષ્ટ્રીય અસ્મિતાનો એ અવતા૨, એમની નજર આગળ નવીન ગુજરાત સ્વપ્ન ન હતું, પરંતુ એક જીવંત વ્યકિત હતા”
  • વર્ષ 1898માં અમદાવાદ ખાતે “સોશિયલ એન્ડ લિટરી એસોસિયેશન” નામની એક સંસ્થાના સભ્ય થઈ સહમંત્રી બન્યા હતા. આ સંસ્થાનું નામ પાછળથી વર્ષે 1904માં ગુજરાત સાહિત્યસભા પડ્યું.
  • ગુજરાતી અસ્મિતાના સંવર્ધક અને તેમના પ્રયાસોથી પ્રથમવાર ગુજરાતી સાહિત્ય પરિષદનું અમદાવાદમાં વર્ષ 1905માં અધિવેશન ભરાયું હતું. આ સંસ્થા દ્વારા “પરબ” નામનું સામયિક ચલાવવામાં આવે છે.
  • વર્ષ 1905માં ૨સાયણ વિજ્ઞાનની ત્રિભુવનદાસ ગજ્જરના સેક્રેટરી તરીકે જોડાયા હતા.
  • ગુજરાતના ઈતિહાસને લગતાં મળી આવેલાં શિલાલેખો અને તામ્રપત્રોની નકલો ઉતારીને એક સંગ્રહ તેમણે સુરત સાહિત્ય પ્રદર્શનમાં રજૂ કર્યો હતો.
  • 5 મે, 1917ના રોજ મુંબઈમાં જૂહુ દરિયા કિનારામાં ડૂબી જવાથી તેમનું અવસાન થયું હતું.
  • વર્ષ 1921માં તેમના અવસાન પછી કનૈયાલાલ મુનશીએ “રણજીત કૃતિ સંગ્રહ” પ્રકાશિત કર્યો હતો.
  • તેમની યાદમાં “ગુજરાત સાહિત્ય સભા” દ્વારા વર્ષ 1928થી સાહિત્યકારોને “રણજિતરામ સુવર્ણચંદ્રક” આપવામાં આવે છે. વર્ષ 1928માં સૌપ્રથમ ઝવેરચંદ મેઘાણીને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

અન્ય સાહિત્યકાર

સાહિત્યકારવાંચવા માટે
દામોદર બોટાદકરઅહી ક્લિક કરો
અરદેશર ખબરદારઅહી ક્લિક કરો
ન્હાનાલાલઅહી ક્લિક કરો
બળવંતરાય ઠાકોરઅહી ક્લિક કરો
કવિ કાન્તઅહી ક્લિક કરો

1 thought on “રણજિતરામ મહેતા | Ranjitram Mehta”

Leave a Comment

error: Content is protected !!