ગુજરાતી સાહિત્ય પરિષદ તથા ગુજરાતી સાહિત્યસભાના આદ્યસ્થાપક રણજિતરામ મહેતાને કનૈયાલાલ મુનશીએ “ગુજરાતની રાષ્ટ્રીય અસ્મિતાના અવતાર” તરીકે ઓળખાવ્યા હતા.
તેમના વિશે કનૈયાલાલ મુનશીએ કહ્યું છે કે “રણજીતરામ માણસ ન હતા, એક ભાવના હતા ગુજરાતની રાષ્ટ્રીય અસ્મિતાનો એ અવતા૨, એમની નજર આગળ નવીન ગુજરાત સ્વપ્ન ન હતું, પરંતુ એક જીવંત વ્યકિત હતા”
વર્ષ 1898માં અમદાવાદ ખાતે “સોશિયલ એન્ડ લિટરી એસોસિયેશન” નામની એક સંસ્થાના સભ્ય થઈ સહમંત્રી બન્યા હતા. આ સંસ્થાનું નામ પાછળથી વર્ષે 1904માં ગુજરાત સાહિત્યસભા પડ્યું.
ગુજરાતી અસ્મિતાના સંવર્ધક અને તેમના પ્રયાસોથી પ્રથમવાર ગુજરાતી સાહિત્ય પરિષદનું અમદાવાદમાં વર્ષ 1905માં અધિવેશન ભરાયું હતું. આ સંસ્થા દ્વારા “પરબ” નામનું સામયિક ચલાવવામાં આવે છે.
વર્ષ 1905માં ૨સાયણ વિજ્ઞાનની ત્રિભુવનદાસ ગજ્જરના સેક્રેટરી તરીકે જોડાયા હતા.
ગુજરાતના ઈતિહાસને લગતાં મળી આવેલાં શિલાલેખો અને તામ્રપત્રોની નકલો ઉતારીને એક સંગ્રહ તેમણે સુરત સાહિત્ય પ્રદર્શનમાં રજૂ કર્યો હતો.
5 મે, 1917ના રોજ મુંબઈમાં જૂહુ દરિયા કિનારામાં ડૂબી જવાથી તેમનું અવસાન થયું હતું.
વર્ષ 1921માં તેમના અવસાન પછી કનૈયાલાલ મુનશીએ “રણજીત કૃતિ સંગ્રહ” પ્રકાશિત કર્યો હતો.
તેમની યાદમાં “ગુજરાત સાહિત્ય સભા” દ્વારા વર્ષ 1928થી સાહિત્યકારોને “રણજિતરામ સુવર્ણચંદ્રક” આપવામાં આવે છે. વર્ષ 1928માં સૌપ્રથમ ઝવેરચંદ મેઘાણીને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
1 thought on “રણજિતરામ મહેતા | Ranjitram Mehta”