સાક્ષાત સરસ્વતીનું બિરુદ પામનાર અને શતાવધાની એવા શ્રીમદ્ રામચંદ્ર મહાત્મા ગાંધીના આધાત્મિક ગુરુ હતા.
તેઓને પિતા પાસેથી કૃષ્ણ ભકિતના પદોની ભેટ મળી પરંતુ, 13 વર્ષની વયે જૈન ધર્મ તરફ આકર્ષાયા.
તેમણે 8 વર્ષની વયે કવિતા લખવાની શરૂઆત કરી હતી.
તેમની પ્રથમ કવિતા “બુદ્ધિપ્રકાશ” માં પ્રકાશિત થઈ હતી.
તેમણે મહાભારત અને રામાયણની પદ્યમાં 5 હજાર કરતા પણ વધારે પંકિતઓ રચી હતી.
તેમણે જૈન ધર્મમાં ઉત્કૃષ્ઠ રચના ગણાતી “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર” ની રચના કરી હતી. જેમાં ઈશ્વર વિશે જણાવ્યું છે કે “કર્તા ઈશ્ર્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ.”
મોરબીના જૈન આચાર્ય શંકરલાલ મહેશ્વર ભટ્ટ પાસેથી સૌપ્રથમવાર તેમણે અષ્ટાવધાનના પ્રયોગ શીખેલા. ત્યારબાદ તેમણે પોતાના જાત પર પ્રયોગ કરીને મુંબઈમાં બ્રિટિશરોની હાજરીમાં શતાવધાનના પ્રયોગ કરી બતાવ્યાં. શતાવધાન એટલે 100 જુદી-જુદી બાબતો / ઘટના / પરિસ્થિતિ યાદ રાખીને તરત જ ફરીથી એકપણ ભૂલ કર્યા વિના રજૂ કરે તેવી આધ્યાત્મિક વિદ્યા
1 thought on “શ્રીમદ્ રાજચંદ્ર | Shrimad Rajchandra”